October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

દમણની ઝરી આશ્રમ શાળામાં 10 દિવસીય નિવાસી સમર કેમ્‍પનો આરંભઃ સરકારી શાળાના 55થી વધુ વિદ્યાર્થીઓની ભાગીદારી: સમર કેમ્‍પમાં વિદ્યાર્થીઓના ઓલરાઉન્‍ડ ડેવલપમેન્‍ટ ઉપર પડનારૂં ફોકસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.08: સંઘપ્રદેશના શિક્ષણ સચિવ શ્રી ટી. અરૂણ કુમાર અને શિક્ષણ નિયામક શ્રી જતીન ગોયલના માર્ગદર્શન હેઠળ કેન્‍દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના વિદ્યાર્થીઓ માટે આજથી તા.17મી મે, 2023 સુધી 10 દિવસીય રહેણાંક સમર કેમ્‍પનું આયોજન મોટી દમણની ઝરી આશ્રમ શાળા ખાતે કરવામાં આવ્‍યું છે. આ 10 દિવસીય નિવાસી સમર કેમ્‍પમાં 55 થી વધુ સરકારી શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લઈ રહ્યા છે.
આ સમર કેમ્‍પનો હેતુ (1) ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી ભાષામાં તેમના મૂળભૂતને સુધારવું. (2) વૈજ્ઞાનિક સ્‍વભાવ, માનવતાવાદ અને તપાસની ભાવના વિકસાવવી.(3) તેમને ઉચ્‍ચ અભ્‍યાસ માટે પ્રોત્‍સાહિત કરવા. (4) સંવાદ માટે મંચ પ્રદાન કરવા.(5) સ્‍પર્ધા માટે પ્‍લેટફોર્મ પૂરું પાડવું. (6)રમત ગમત અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓમાં તેમની સક્રિય ભાગીદારી માટે પ્રોત્‍સાહિત કરવાના ઉદ્દેશ્‍યો હાંસલ કરવાનો છે.આ 10 દિવસીય સમર કેમ્‍પમાં ડીપીઓ શ્રીમતી સ્‍મિતા થોમસ, મદદનીશ શિક્ષણ નિયામક શ્રી અરવિંદ પટેલ, ઝરી આશ્રમ શાળાના આચાર્ય શ્રી બી. કાનન, એમ.આઈ.એસ. કો-ઓર્ડિનેટર શ્રી શ્વેતલ પટેલ તથા અન્‍ય અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.
આ અવસરે આચાર્ય શ્રી બી. કાનને વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને સંબોધતા તેઓને નિવાસી સમર કેમ્‍પમાં ભાગ લેવા પ્રોત્‍સાહિત કર્યા. 10 દિવસીય રહેણાંક સમર કેમ્‍પનું સંચાલન શ્રી શ્વેતલ પટેલે કર્યું હતું.

Related posts

સેલવાસઃ આમલી ગાયત્રી મંદિર મેદાન શાકભાજી માર્કેટમાં જગ્‍યાના ભાડા બાબતે નાના વેપારીઓ નારાજ

vartmanpravah

દૂધની ગ્રામ પંચાયતમાં મનરેગાના વિકાસ કામોનું કરાયું સોશિયલ ઓડિટઃ બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ

vartmanpravah

પારડી ઓવરબ્રિજ પાસે વરના ગાડીનું શીર્ષાસન: ચાલાક અને ગાડીમાં સવાર અન્‍યનો ચમત્‍કારિક બચાવ

vartmanpravah

વાપી શહેર કોંગ્રેસ કોરોના મૃતકોને પ0 હજાર નહી પણ 4 લાખ વળતર માટે રેલી કાઢી આવેદન આપ્‍યું

vartmanpravah

વાપી-વલસાડમાં રોડ અકસ્‍માતમાં બે મોત : ચણોદમાં ટેમ્‍પો પલટી મારી જતા દબાઈ ગયેલ સાયકલ સવારનું મોત

vartmanpravah

દાનહ જિલ્લા પ્રશાસન દ્વારા ચોમાસાની તૈયારી સંદર્ભે કંટ્રોલરૂમ શરૂ કરાયો : આગામી ત્રણ દિવસ દરમિયાન આવનાર વાવાઝોડાં અને વરસાદ અંગેની પણ જાણકારી અપાશે

vartmanpravah

Leave a Comment