March 3, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

દમણની ઝરી આશ્રમ શાળામાં 10 દિવસીય નિવાસી સમર કેમ્‍પનો આરંભઃ સરકારી શાળાના 55થી વધુ વિદ્યાર્થીઓની ભાગીદારી: સમર કેમ્‍પમાં વિદ્યાર્થીઓના ઓલરાઉન્‍ડ ડેવલપમેન્‍ટ ઉપર પડનારૂં ફોકસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.08: સંઘપ્રદેશના શિક્ષણ સચિવ શ્રી ટી. અરૂણ કુમાર અને શિક્ષણ નિયામક શ્રી જતીન ગોયલના માર્ગદર્શન હેઠળ કેન્‍દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના વિદ્યાર્થીઓ માટે આજથી તા.17મી મે, 2023 સુધી 10 દિવસીય રહેણાંક સમર કેમ્‍પનું આયોજન મોટી દમણની ઝરી આશ્રમ શાળા ખાતે કરવામાં આવ્‍યું છે. આ 10 દિવસીય નિવાસી સમર કેમ્‍પમાં 55 થી વધુ સરકારી શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લઈ રહ્યા છે.
આ સમર કેમ્‍પનો હેતુ (1) ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી ભાષામાં તેમના મૂળભૂતને સુધારવું. (2) વૈજ્ઞાનિક સ્‍વભાવ, માનવતાવાદ અને તપાસની ભાવના વિકસાવવી.(3) તેમને ઉચ્‍ચ અભ્‍યાસ માટે પ્રોત્‍સાહિત કરવા. (4) સંવાદ માટે મંચ પ્રદાન કરવા.(5) સ્‍પર્ધા માટે પ્‍લેટફોર્મ પૂરું પાડવું. (6)રમત ગમત અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓમાં તેમની સક્રિય ભાગીદારી માટે પ્રોત્‍સાહિત કરવાના ઉદ્દેશ્‍યો હાંસલ કરવાનો છે.આ 10 દિવસીય સમર કેમ્‍પમાં ડીપીઓ શ્રીમતી સ્‍મિતા થોમસ, મદદનીશ શિક્ષણ નિયામક શ્રી અરવિંદ પટેલ, ઝરી આશ્રમ શાળાના આચાર્ય શ્રી બી. કાનન, એમ.આઈ.એસ. કો-ઓર્ડિનેટર શ્રી શ્વેતલ પટેલ તથા અન્‍ય અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.
આ અવસરે આચાર્ય શ્રી બી. કાનને વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને સંબોધતા તેઓને નિવાસી સમર કેમ્‍પમાં ભાગ લેવા પ્રોત્‍સાહિત કર્યા. 10 દિવસીય રહેણાંક સમર કેમ્‍પનું સંચાલન શ્રી શ્વેતલ પટેલે કર્યું હતું.

Related posts

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે પાકિસ્‍તાની જેલમાં બંદીવાન માછીમારોને છોડાવવા લોકસભામાં કરેલી સિંહગર્જના: વિદેશ મંત્રીને દરમિયાનગીરી કરવા કરેલી હાકલ

vartmanpravah

દમણ-દીવના ઉદ્યોગોના નવજીવન માટે 50 ટકા જી.એસ.ટી. માફ કરવા સાંસદ ઉમેશભાઈ પટેલની લોકસભામાં રજૂઆત

vartmanpravah

પાલિકા અને સભ્‍યોના ગજગ્રાહ વચ્‍ચે વેપારીઓ અટવાયા

vartmanpravah

વાપી નૂતનનગર ખુલ્લા મેદાનમાં ભર ઉનાળે પાણીની તંગી વચ્‍ચે પાણીનો થઈ રહેલો વેડફાટ

vartmanpravah

વાપી કચ્‍છ કડવા પાટીદાર સમાજ દ્વારા ગરબાની રમઝટ

vartmanpravah

સેલવાસ ન.પા.ના અધ્‍યક્ષ રાકેશસિંહ ચૌહાણે વિવિધ સોસાયટીના રહેવાસીઓને પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેવા કરેલું આહ્‌વાન

vartmanpravah

Leave a Comment