October 15, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ મામલતદાર કચેરીમાં ખેડૂત ખાતેદારની ચાલી રહેલી ખરાઈ પ્રક્રિયાથી બોગસ ખેડૂત બનારાઓમાં સન્નાટો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.17: ઉમરગામ તાલુકામાં દેહરી, સોળસુંબા અને ઉમરગામ સહિત ઘણા ગામડાઓમાં બોગસ ખેડૂત બનાવવાનું માફિયાઓ દ્વારા નેટવર્ક ચલાવવામાં આવ્‍યું હોવાની ભૂતકાળમાં ઘણી ઘટનાઓ પ્રકાશમાં આવી છે. પરંતુ અધિકારીઓની અને માફિયાઓની સાંઠગાંઠના કારણે તપાસ પ્રક્રિયા દરમિયાન અપેક્ષા મુજબના પરિણામો આવી શકયા નથી.
હાલમાં ઉમરગામ મામલતદાર કચેરીમાં ઉમરગામના સુંદરવન ખાતે મિલકત ધરાવતા ઉદ્યોગપતિ અને મિલકત ધારક કિશોરભાઈ વાડીલાલભાઈ સંઘવી સહિત પરિવારના નવ સભ્‍યો સામે સર્વે નંબર 81/999, 82 / ષ્ટ4/998, 82 / ષ્ટ5/1004 મિલકત સામે ખેડૂત ખાતેદાર તરીકેની ખાતરી થતી ન હોવાનું જણાવી ખરાઈની તપાસ પ્રક્રિયા ચાલુ કરી છે. તેવી જ રીતે સોળસુંબાના મિલકતધારક મહમદ હબીબ મહમદ ઉમર લાકડાવાલા સામે પણ સર્વે નંબર 25/1/ 2—1041 મિલકત સામે ખરાઈ પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે. આ બંને ઘટનામાં નામદાર સરકાર શ્રી ઉમરગામ અરજદાર બની બંને ઘટનામાં સામેવાળાઓ સામે લેખિત જવાબ કે દસ્‍તાવેજ રજૂ કરવા મુદત આપવામાં આવી છે.
ઉમરગામ મામલતદાર કચેરીની આપ્રકારે ખરાઈ પ્રક્રિયાની ચાલુ કરી તપાસના કારણે ઉમરગામ તાલુકામાં ઘણા બોગસ ખેડૂતો અને બોગસ ખેડૂતોને મદદ કરનારાઓ ભુમાફિયામાં હડકપ મચેલી છે. આ ઘટનામાં મામલતદારશ્રીએ સામેવાળાઓને આપેલી પુરાવા રજૂ કરવાની મુદત વીતી જવા પામી છે. સામેવાળા પુરાવા રજૂ કરવામાં સફળ થયા છે કે નહીં એની જાણકારી પ્રાપ્ત થઈ શકી નથી. પરંતુ તપાસના અંતે યોગ્‍ય પરિણામ આવશે એવું આકલન કરવામાં આવી રહ્યું છે. આ ઘટનામાં સંપૂર્ણ વિગત તપાસ કરી મદદ કરનાર ભૂમાફિયા અને સંકળાયેલા અધિકારીઓને પણ બેનકાબ થવા જોઈએ એવી પ્રજામાં લાગણી પ્રવર્તિ રહી છે. આમ ઉમરગામ અને સોળસુંબા તેમજ દેહરીના ખાતેદારોમાં આપવામાં આવેલી એન્‍ટ્રીઓની નોંધ ક્રોસ ચેકિંગ કરી તપાસવામાં આવે તો ઘણા મોટા માથાઓ બેનકાબ થઈ શકે એમાં બે મત નથી.
—-

Related posts

એન.આર. અગરવાલ રોટરી હોસ્‍પિટલના પટાંગણમાં સ્‍વતંત્ર્ય દિવસની કરેલી ભવ્‍ય ઉજવણી

vartmanpravah

ચોથું નોરતું- શ્રી ખોડલધામ આયોજિત નવરાત્રિ મહોત્‍સવના ચારેય ઝોનમાં ખૈલાયાઓથી ગ્રાઉન્‍ડ ભરચક્ક

vartmanpravah

વલસાડ જિલ્લાના ભદેલી જગાલાલા ખાતે ગુજરાત એનર્જી ટ્રાન્‍સમિશન કોર્પોરેશન (જેટકો) દ્વારા રૂા ૧૯.૩૨ કરોડના ખર્ચે તૈયાર થનાર ૬૬ કે. વી. વીજસ્‍ટેશનનું ભૂમિપૂજન કરતાં રાજયના નાણાં, ઉર્જા અને પ્રેટ્રોકેમિકલ્‍સમંત્રી કનુભાઇ દેસાઇ

vartmanpravah

બાળકના જન્‍મ પહેલાંથી લઈ તેના અભ્‍યાસ અને આરોગ્‍યની કાળજી લેતી દેશની પહેલી સરકાર એટલે મોદી સરકારઃ સરપંચ મુકેશ ગોસાવી

vartmanpravah

સેલવાસની પ્રાથમિક કેન્‍દ્ર શાળા હિન્‍દી માધ્‍યમના વિદ્યાર્થીઓ દ્વારા જાગૃકતા રેલી યોજાઈ

vartmanpravah

વલસાડ-ડાંગ સાંસદ ધવલભાઈ પટેલે કુંભઘાટ પર થયેલ અકસ્‍માતના ઈજાગ્રસ્‍તો અને દેવસરની ફેક્‍ટરીમાં આગથી ઘાયલ કામદારોની વલસાડ સિવિલમાં મુલાકાત લીધી

vartmanpravah

Leave a Comment