Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર મોટી ઢોલડુંગરી ગામે પરંપરા અનુસાર આદિવાસીઓ દ્વારા વરસાદી દેવ પૂજા-અર્ચના કરાઈ

આદિવાસી સમાજે સંસ્‍કૃતિ અને વારસો જાળવી રાખ્‍યો છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.17: પ્રકૃતિ પ્રેમી ગણાતો આદિવાસી સમાજ આજે પણ પરંપરાગત રીતરિવાજ અને સંસ્‍કૃતિની જતન કરતો રહ્યો છે. ધરમપુર, કપરાડા જેવા આદિવાસી વિસ્‍તારમાં પૌરાણિક પ્રથા અનેમાન્‍યતાઓની જાળવણી કરવામાં આવે છે તે અંતર્ગત ધરમપુર મોટી ઢોલડુંગરીના પીપરોળ ખાતે વડીલો દ્વારા વરસાદી દેવની પૂજા કરવામાં આવી હતી.
વરસાદી દેવ (અભિનાથ મહાદેવ) પૂજા કરવાની પરંપરા આદિવાસી સમાજની વર્ષો જુની વડીલો દ્વારા વારસો યથાવત સાચવી રાખવામાં આવ્‍યો છે. ગામના ખેડૂતો દ્વારા સારો વરસાદ આવે, ખેતીનો પાક સારો થાય, ગામમાં સુખ-શાંતિ રહે તે માટે પ્રાર્થના-પૂજા કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, આવતા રવિવારે ગામમાં ગામદેવી ખાતે વડીલો દ્વારા આખુ ગામ ભેગુ થઈને હવન કરવાનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ કોઈ અંધશ્રધ્‍ધા નથી પરંતુ આદિવાસીઓએ જાળવી રાખેલ વર્ષો જુની પરંપરા માટેનો સૌ ભેગા મળી પ્રયાસ યથાવત રાખવામાં આવે છે.

Related posts

વલસાડમાં તિથલ ખાતે ભવ્‍ય રજત જયંતિ મહોત્‍સવ અને સમૂહ લગ્નોત્‍સવનું કરાયેલુ આયોજનઃ 102 યુગલોએ પ્રભુતામાં પાડેલા પગલાં

vartmanpravah

ધરમપુરમાં આદિવાસી અમૃત કુંભ મહોત્‍સવ રથ આવી પહોંચતા ધારાસભ્‍ય અરવિંદભાઈ પટેલના હસ્‍તે ઉષ્‍માભેર સ્‍વાગત કરાયુ

vartmanpravah

દમણ-દીવ પ્રદેશ ભાજપે ઉચ્‍ચ સ્‍તરે કરેલી રજૂઆતના પરિણામે દીવ જિલ્લાના 4 સહિત 36 માછીમારોને 30મી એપ્રિલે પાકિસ્‍તાની જેલમાંથી મુક્‍ત કરાશે

vartmanpravah

વલસાડ જિલ્લાની ધરમપુર, પારડી અને કપરાડા બેઠકો માટે ‘આપ’ પાર્ટીએ ઉમેદવારો જાહેર કર્યા : એક માત્ર ઉમરગામ બાકી

vartmanpravah

25 જૂન, 1975માં કોંગ્રેસ સરકાર દ્વારા સમગ્ર દેશમાં લાદવામાં આવેલી કટોકટીને વખોડવા દમણ ભાજપે કાઢેલી વિરોધ રેલી

vartmanpravah

દાનહમાં ડેલકર પરિવારનું 33 વર્ષ કરતા વધુનું શાસનઃ પારઝાઈપાડાનો રસ્‍તો નથી બનાવી શક્‍યા

vartmanpravah

Leave a Comment