February 5, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર મોટી ઢોલડુંગરી ગામે પરંપરા અનુસાર આદિવાસીઓ દ્વારા વરસાદી દેવ પૂજા-અર્ચના કરાઈ

આદિવાસી સમાજે સંસ્‍કૃતિ અને વારસો જાળવી રાખ્‍યો છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.17: પ્રકૃતિ પ્રેમી ગણાતો આદિવાસી સમાજ આજે પણ પરંપરાગત રીતરિવાજ અને સંસ્‍કૃતિની જતન કરતો રહ્યો છે. ધરમપુર, કપરાડા જેવા આદિવાસી વિસ્‍તારમાં પૌરાણિક પ્રથા અનેમાન્‍યતાઓની જાળવણી કરવામાં આવે છે તે અંતર્ગત ધરમપુર મોટી ઢોલડુંગરીના પીપરોળ ખાતે વડીલો દ્વારા વરસાદી દેવની પૂજા કરવામાં આવી હતી.
વરસાદી દેવ (અભિનાથ મહાદેવ) પૂજા કરવાની પરંપરા આદિવાસી સમાજની વર્ષો જુની વડીલો દ્વારા વારસો યથાવત સાચવી રાખવામાં આવ્‍યો છે. ગામના ખેડૂતો દ્વારા સારો વરસાદ આવે, ખેતીનો પાક સારો થાય, ગામમાં સુખ-શાંતિ રહે તે માટે પ્રાર્થના-પૂજા કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, આવતા રવિવારે ગામમાં ગામદેવી ખાતે વડીલો દ્વારા આખુ ગામ ભેગુ થઈને હવન કરવાનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ કોઈ અંધશ્રધ્‍ધા નથી પરંતુ આદિવાસીઓએ જાળવી રાખેલ વર્ષો જુની પરંપરા માટેનો સૌ ભેગા મળી પ્રયાસ યથાવત રાખવામાં આવે છે.

Related posts

ચીખલી તાલુકાના કૂકેરી ગામે ઘરની દીવાલ ધસી પડતાં શ્રમજીવી પરિવારના દંપતિનું મોત

vartmanpravah

દાનહમાં ભાજપ સંગઠનના ફાટેલા આભને પ્રદેશ પ્રભારીએ થિંગડા મારવા શરૂ કરી કોશિષ

vartmanpravah

પારડી ડુમલાવથી અતુલ કંપનીમાં નોકરીએ જતી મહિલાનું ખરાબ રસ્‍તાથી મોપેડ સ્‍લીપ ખાતા સારવારમાં મોત

vartmanpravah

જે.પી.પારડીવાલા આર્ટ્‍સ એન્‍ડ કોમર્સ કોલેજ કિલ્લા-પારડી ખાતે એનએસએસના ઉપક્રમે ઈ-એફઆઈઆર એપની માહિતીના કાર્યક્રમનું આયોજન

vartmanpravah

સુરખાઈ ખાતે જિલ્લા કક્ષાનો પશુપાલન શિબિર કમ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દમણ જિલ્લા પંચાયત અને સરપંચોના પ્રતિનિધિ મંડળે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

Leave a Comment