October 21, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર મોટી ઢોલડુંગરી ગામે પરંપરા અનુસાર આદિવાસીઓ દ્વારા વરસાદી દેવ પૂજા-અર્ચના કરાઈ

આદિવાસી સમાજે સંસ્‍કૃતિ અને વારસો જાળવી રાખ્‍યો છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.17: પ્રકૃતિ પ્રેમી ગણાતો આદિવાસી સમાજ આજે પણ પરંપરાગત રીતરિવાજ અને સંસ્‍કૃતિની જતન કરતો રહ્યો છે. ધરમપુર, કપરાડા જેવા આદિવાસી વિસ્‍તારમાં પૌરાણિક પ્રથા અનેમાન્‍યતાઓની જાળવણી કરવામાં આવે છે તે અંતર્ગત ધરમપુર મોટી ઢોલડુંગરીના પીપરોળ ખાતે વડીલો દ્વારા વરસાદી દેવની પૂજા કરવામાં આવી હતી.
વરસાદી દેવ (અભિનાથ મહાદેવ) પૂજા કરવાની પરંપરા આદિવાસી સમાજની વર્ષો જુની વડીલો દ્વારા વારસો યથાવત સાચવી રાખવામાં આવ્‍યો છે. ગામના ખેડૂતો દ્વારા સારો વરસાદ આવે, ખેતીનો પાક સારો થાય, ગામમાં સુખ-શાંતિ રહે તે માટે પ્રાર્થના-પૂજા કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, આવતા રવિવારે ગામમાં ગામદેવી ખાતે વડીલો દ્વારા આખુ ગામ ભેગુ થઈને હવન કરવાનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ કોઈ અંધશ્રધ્‍ધા નથી પરંતુ આદિવાસીઓએ જાળવી રાખેલ વર્ષો જુની પરંપરા માટેનો સૌ ભેગા મળી પ્રયાસ યથાવત રાખવામાં આવે છે.

Related posts

કપરાડાના કોલવેરા ગામે ખૂંખાર દીપડો પાંજરે પુરાયોઃ ગ્રામ્ય વિસ્તારમાં રાહતની લાગણી

vartmanpravah

દાદરા નગર હવેલી ક્રાઈમ બ્રાન્‍ચે ગેરકાયદેસર ઓઈલની હેરાફેરી કરનારાઓને ઝડપી પાડયા

vartmanpravah

દમણ ન.પા. અને જિ.પં.ના અધ્‍યક્ષોએ દમણવાડા અને પરિયારી ગ્રા.પં. વિસ્‍તારમાં ચાલી રહેલી વિવિધ યોજનાઓના લાભાર્થી સાથે કરેલી મુલાકાત

vartmanpravah

વાપી પાલિકાની 23 જગ્‍યા માટે 2300 અરજી, વલસાડ પાલિકા સિટી બસ 15 કન્‍ડક્‍ટર માટે 1000 અરજી!!

vartmanpravah

વલસાડ ભાગળ ગામે દરિયા કિનારે લાંગરેલી બોટમાં આજે શુક્રવારે મળસ્‍કે અચાનક આગ લાગી

vartmanpravah

પાકિસ્‍તાનનું નિર્માણ તો 1947માં થયું, પરંતુ એ વિભાજનનું વાતાવરણ મુસ્‍લિમ સમાજે ગામેગામ અને શેરીઓમાં તોફાનો કરતા રહીને તૈયાર કર્યું હતું

vartmanpravah

Leave a Comment