Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર મોટી ઢોલડુંગરી ગામે પરંપરા અનુસાર આદિવાસીઓ દ્વારા વરસાદી દેવ પૂજા-અર્ચના કરાઈ

આદિવાસી સમાજે સંસ્‍કૃતિ અને વારસો જાળવી રાખ્‍યો છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.17: પ્રકૃતિ પ્રેમી ગણાતો આદિવાસી સમાજ આજે પણ પરંપરાગત રીતરિવાજ અને સંસ્‍કૃતિની જતન કરતો રહ્યો છે. ધરમપુર, કપરાડા જેવા આદિવાસી વિસ્‍તારમાં પૌરાણિક પ્રથા અનેમાન્‍યતાઓની જાળવણી કરવામાં આવે છે તે અંતર્ગત ધરમપુર મોટી ઢોલડુંગરીના પીપરોળ ખાતે વડીલો દ્વારા વરસાદી દેવની પૂજા કરવામાં આવી હતી.
વરસાદી દેવ (અભિનાથ મહાદેવ) પૂજા કરવાની પરંપરા આદિવાસી સમાજની વર્ષો જુની વડીલો દ્વારા વારસો યથાવત સાચવી રાખવામાં આવ્‍યો છે. ગામના ખેડૂતો દ્વારા સારો વરસાદ આવે, ખેતીનો પાક સારો થાય, ગામમાં સુખ-શાંતિ રહે તે માટે પ્રાર્થના-પૂજા કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, આવતા રવિવારે ગામમાં ગામદેવી ખાતે વડીલો દ્વારા આખુ ગામ ભેગુ થઈને હવન કરવાનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ કોઈ અંધશ્રધ્‍ધા નથી પરંતુ આદિવાસીઓએ જાળવી રાખેલ વર્ષો જુની પરંપરા માટેનો સૌ ભેગા મળી પ્રયાસ યથાવત રાખવામાં આવે છે.

Related posts

ચીખલી તાલુકાના કુકેરીની શાંતાબા વિદ્યાલયમાં મેડીકલમાં પ્રવેશ મેળવનાર 14-જેટલા વિદ્યાર્થીઓનું સન્‍માન કરવામાં આવ્‍યું

vartmanpravah

‘રોબોટિક્‍સ મહોત્‍સવ’ હેઠળ ‘રોબોટેક્‍સ ઈન્‍ટરનેશનલ ચેમ્‍પિયનશિપ-2024’માં ભાગ લેવા સંઘપ્રદેશ શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પાંચ વિદ્યાર્થીઓ તાલીન પહોંચ્‍યા

vartmanpravah

વલસાડ જિલ્લાના એન.ડી.પી.એસ.ના 32 આરોપીઓને કેફી પદાર્થના નુકશાન અંગે માર્ગદર્શન અપાયું

vartmanpravah

લક્ષદ્વિપને વિશ્વના પ્રવાસન નકશા ઉપર લાવવા સંઘપ્રદેશ પ્રશાસન અને ભારત સરકારના વિશેષ પ્રયાસો

vartmanpravah

દાનહ પ્રશાસન દ્વારા ખખડધજ બનેલા મુખ્‍ય રસ્‍તાઓના નવીનિકરણના કામનો કરાયેલો પ્રારંભ

vartmanpravah

વાપી જી.આઈ.ડી.સી. ફેઈઝ-2 બિલખાડી ઉપર બની રહેલ પુલની કામગીરીના વિલંબને લઈ હાડમારી

vartmanpravah

Leave a Comment