October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજર રહેવાના હોવાથી મોરલ સપોર્ટ માટે વલસાડ જિલ્લામાંથી નિકળેલા કોંગ્રેસ કાર્યકરોને બગવાડા હાઈવે-કરમબેલામાં પોલીસે અટકાવ્‍યા

વાપી, પારડી, વલસાડ પોલીસનું સઘન ચેકીંગ જિલ્લા પ્રમુખને કરમબેલા નિવાસ સ્‍થાને નજર કેદ કરાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: સુરતમાં માનહાનીના કેસમાં અરજી ફાઈલ કરવા માટે રાહુલ ગાંધી સુરત સેસન્‍સ કોર્ટમાં આજે સોમવારે ઉપસ્‍થિત રહેવાના હોવાથી વલસાડ જિલ્લાના કોંગ્રેસ કાર્યકરો રાહુલ ગાંધીના મોરલ સપોર્ટ માટે ઉમરગામ, વાપી, પારડીના કોંગ્રેસ કાર્યકરો સવારે સુરત જવા નિકળ્‍યા હતા ત્‍યારે જિલ્લા પોલીસે જુદી જુદી જગ્‍યાએ કાર્યકરોને અટકાવી દીધા હતા અને જરૂર પડી તો કેટલાકની અટકાયત પણ કરી હતી તેથી કોંગ્રેસ કાર્યકરોમાં વ્‍યાપક રોષ વ્‍યાપી જવા પામ્‍યો હતો.
સુરત કોર્ટમાં રાહુલ ગાંધી ઉપસ્‍થિત રહેવાના હોવાથીઉમરગામ, વાપી, પારડી, વલસાડના કોંગ્રેસ હોદ્દેદારો અને કાર્યકરો સોમવારે સવારે સુરત જવા નિકળ્‍યા હતા તો બીજી તરફ જિલ્લા પોલીસે મહારાષ્‍ટ્ર તરફથી આવતા તમામ વાહનોનું ચેકીંગ હાઈવે ઉપર જુદા જુદા સ્‍થળે ચાલુ કરી દીધું હતું. બગવાડા ટોલનાકા અને કરમબેલા હાઈવે ઉપર કોંગ્રેસ કાર્યકરોને સુરત પહોંચે તે પહેલા હાઈવે ઉપર અટકાવી દેવામાં આવ્‍યા હતા. કાર્યવાહીમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ પટેલ, ઉમરગામ પ્રમુખ ફુલજીભાઈ પટેલ, યુવા પ્રમુખ ભાવેશ પટેલ, નરેશ વડવી સહિત કાર્યકરોને કરમબેલા તેમના નિવાસ સ્‍થાને નજર કેદ કરી દેવાયા હતા. પોલીસ કાર્યવાહીથી કોંગ્રેસ આલમમાં નારાજગી સાથે રોષ ફેલાયેલો જોવા મળ્‍યો હતો.

Related posts

ચીખલીના મલવાડા-મજીગામ નેશનલ હાઇવે સ્‍થિત અંડર પાસ પર હાઇવે ઓથોરિટી દ્વારા વાહન વ્‍યવહાર શરૂ : સાત માસ જેટલો સમય વિતવા છતાં સર્વિસ રોડના ઠેકાણા નહી : વાહનચાલકોના માથે જોખમ યથાવત

vartmanpravah

વલસાડ લેન્‍ડ ગ્રેબિંગ સ્‍પેશિયલ કોર્ટ વાપીના આરોપીની જામીન અરજી નામંજુર કરી

vartmanpravah

વાપી આરઓબી-આરયુબીના કન્‍સ્‍ટ્રકશન માટે ખોદેલા ખાડામાં અંધારામાં બાઈક સવાર ખાબક્‍યો

vartmanpravah

દીવની ખ્‍યાતનામ હોટલ અઝારો અને કોહિનુર હવે સરકારી જગ્‍યામાં કાર્યરત ગણાશે

vartmanpravah

દાનહમાં સરકારી વ્‍યાજબી ભાવની દુકાનો(કંટ્રોલ)માંથી દર મહિને અનાજ નહીં ઉઠાવતા લાભાર્થીઓને પૂછાનારૂંકારણ

vartmanpravah

શ્રી ભાવભાવેશ્વર મહાયજ્ઞ સમિતિ વાપીના ઉપક્રમે તા.07 થી 13 જાન્‍યુઆરીમાં શ્રી શિવ-શક્‍તિ મહાયજ્ઞ યોજાશે

vartmanpravah

Leave a Comment