September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીની શ્રી એલ જી હરિઆ મલ્‍ટિપર્પઝ સ્‍કૂલમાં 10મા આંતરરાષ્‍ટ્રીય યોગા દિનની ઉજવણી કરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: યોગ પ્રત્‍યે સૌ જાગૃત બને વધુમાં વધુ યોગાસન કરે અને યોગને પોતાની જીવનશૈલીમાં અપનાવે એ હેતુથી આંતરરાષ્‍ટ્રીય યોગ દિનની ઉજવણી કરવામાં આવે છે. આજરોજ વહેલી સવારે શાળાના પટાંગણમાં યોગ શિબિરનુ આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં યોગ ટ્રેનર શ્રીમતી શીતલ દેસાઈની આગેવાની હેઠળ શાળાના આચાર્યા શ્રીમતી બિન્ની પૌલ, શાળાના શિક્ષક ભાઈ-બહેનો અને સમગ્ર વિદ્યાર્થીગણોએ ઉત્‍સાહ પૂર્વક ભાગ લીધો હતો.
શાળાના આચાર્યા શ્રીમતી બિન્ની પૌલે યોગનુ મહત્‍વ સમજાવી જણાવ્‍યુ કે, માનસિક અને શારીરિક રીતે સ્‍વસ્‍થ રહેવા માટે યોગ ખૂબજ જરૂરી છે. યોગ દ્વારા જ સ્‍વાસ્‍થ્‍ય, બૌદ્ધિક જાગૃતિ, માનસિક શાંતિ અને આનંદની અનુભૂતિ થઈ શકે છે. સારુ સ્‍વાસ્‍થ્‍ય જ સંપૂર્ણ સુખોનો આધાર છે. અંતે શાળાના આચાર્યા શ્રીમતી બિન્ની પૌલે શાળાના મેનેજમેન્‍ટ અને શાળા પરિવાર વતી કાર્યક્રમની સફળતા બદલ અભિનંદન પાઠવી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી.

Related posts

રાષ્‍ટ્રીય રક્ષા યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા સેલવાસ સરકિટ હાઉસમાં ‘ભારતીય ન્‍યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમ’ વિશે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડમાં 108 કર્મીઓ રજા કેન્‍સલ સેવાના સંકલ્‍પ સાથે 24×7 ખડેપગે હાજર રહેશે

vartmanpravah

વાપી નોટીફાઈડ બોર્ડની આગામી ટર્મની રચના જાહેર કરાઈ

vartmanpravah

દાનહઃ રાંધામાં ‘‘બાળ વિવાહ મુક્‍ત સંઘપ્રદેશ” અભિયાન અંતર્ગત યોજાયેલી જાગૃતિ રેલી

vartmanpravah

દીવ જિલ્લાને નશા મુક્‍ત બનાવવા કરાયેલું વિચાર મંથન : સ્‍કૂલ-કોલેજમાં વધુ જાગૃતિ લાવવા જોર

vartmanpravah

નવસારી જિલ્લામાં કોરોના પોઝિટીવના 69 કેસ નોંધાયાં : 418 એક્‍ટિવ કેસ

vartmanpravah

Leave a Comment