March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીની શ્રી એલ જી હરિઆ મલ્‍ટિપર્પઝ સ્‍કૂલમાં 10મા આંતરરાષ્‍ટ્રીય યોગા દિનની ઉજવણી કરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: યોગ પ્રત્‍યે સૌ જાગૃત બને વધુમાં વધુ યોગાસન કરે અને યોગને પોતાની જીવનશૈલીમાં અપનાવે એ હેતુથી આંતરરાષ્‍ટ્રીય યોગ દિનની ઉજવણી કરવામાં આવે છે. આજરોજ વહેલી સવારે શાળાના પટાંગણમાં યોગ શિબિરનુ આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં યોગ ટ્રેનર શ્રીમતી શીતલ દેસાઈની આગેવાની હેઠળ શાળાના આચાર્યા શ્રીમતી બિન્ની પૌલ, શાળાના શિક્ષક ભાઈ-બહેનો અને સમગ્ર વિદ્યાર્થીગણોએ ઉત્‍સાહ પૂર્વક ભાગ લીધો હતો.
શાળાના આચાર્યા શ્રીમતી બિન્ની પૌલે યોગનુ મહત્‍વ સમજાવી જણાવ્‍યુ કે, માનસિક અને શારીરિક રીતે સ્‍વસ્‍થ રહેવા માટે યોગ ખૂબજ જરૂરી છે. યોગ દ્વારા જ સ્‍વાસ્‍થ્‍ય, બૌદ્ધિક જાગૃતિ, માનસિક શાંતિ અને આનંદની અનુભૂતિ થઈ શકે છે. સારુ સ્‍વાસ્‍થ્‍ય જ સંપૂર્ણ સુખોનો આધાર છે. અંતે શાળાના આચાર્યા શ્રીમતી બિન્ની પૌલે શાળાના મેનેજમેન્‍ટ અને શાળા પરિવાર વતી કાર્યક્રમની સફળતા બદલ અભિનંદન પાઠવી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી.

Related posts

યુપી પોલીસ ચીખલીના ખૂંધમાં 20 વર્ષથી છૂપાઈને રહેતા વોન્ટેડ આરોપીને ઉંચકી ગઈ

vartmanpravah

વલસાડમાં જાનૈયા બન્‍યા ગુંડા : કાર પાર્કિંગ મામલે નનકવાડામાં જઈ યુવાનને ઢોર માર માર્યો

vartmanpravah

વલસાડના કપરાડા-ધરમપુરમાં કમોસમી વરસાદથી કેરી પાકને થયેલ નુકશાનનો સર્વે પુરો : ખેડૂતોને વળતર મળશે

vartmanpravah

બે દિવસીય મુલાકાતના સમાપન સાથે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો ઔર વધુ શ્રેષ્‍ઠ દાનહના નિર્માણનો સંકલ્‍પ

vartmanpravah

‘જન ઔષધિ સે જન આરોગ્‍ય’ અંતર્ગત દમણમાં ‘જન આરોગ્‍ય શિબિર’ યોજાઈ

vartmanpravah

રાજ્‍યના પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરીનો પ્રવાસ કાર્યક્રમ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ તા.05: ગુજરાતના કલ્‍પસર, મત્‍સ્‍યોદ્યોગ (સ્‍વતંત્ર હવાલો), નર્મદા, જળસંપત્તિ, અને પાણી પુરવઠા વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રી શ્રી જીતુભાઈ ચૌધરી તા.6/4/2022ના રોજ સવારે 10-00 કલાકે નાનાપોંઢા ખાતે ભાજપના સ્‍થાપના દિનના કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેશે, ત્‍યારબાદ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. તા.7/4/2022 અને તા.8/4/2022ના રોજ અનુラકૂળતાએ તેમના મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. તા.9/4/2022ના રોજ સાંજે 4-00 કલાકે જલારામધામ, ફલધરા ખાતે રામનવમી નિમિત્તે ભવ્‍ય આનંદ મેળામાં હાજરી આપશે, ત્‍યારબાદ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. તા.10/4/2022ના રોજ સવારે 9-00 કલાકે નૂતન વિદ્યાલય ધરાસણા ખાતે ગુજરાત પ્રદેશ અધ્‍યક્ષની ઉપસ્‍થિતિમાં યોજાનારા મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પમાં હાજરી આપશે અને ત્‍યારબાદ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. સાંજે 4-30 કલાકે મહર્ષિ સદ્‌ગુરુ સદાફલ દેવ દંડકવન આશ્રમ, વાંસીયાતળાવ, તા.વાંસદા, જિ.નવસારી ખાતે વિહંગમ યોગસત્‍સંગ સમારોહ અને ધ્‍યાન શિબિરમાં હાજરી આપી અનુકૂળતાએ ગાંધીનગર જવા રવાના થશે

vartmanpravah

Leave a Comment