October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીમાં ઠેર ઠેર વટ સાવિત્રી વ્રતની કરાયેલી ઉજવણી

પોતાના પતિની લાંબી ઉંમર, પુત્ર પ્રાપ્તિ તથા પોતાના સંસારમાં સુખ સગવડોને લઈ વ્રત કરવાનો મહિમા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.21: જેઠ સુદ ચૌદસનો દિવસ એટલે વટ સાવિત્રીનું વ્રતનો દિવસ… પોતાના પતિના દીર્ઘાયુ માટે સૌભાગ્‍યવતી બહેનો આ વટ સાવિત્રીનું વ્રત કરે છે.
આમ તો ઘણા વર્ષોથી રાજા રજવાડા કાળથી આ વ્રતની પૂજા થતી આવી છે પરંતુ રાજા સત્‍યવાન અને એમની પત્‍ની સાવિત્રીને લઈ સૌથી વધારે આ વ્રતનું મહત્‍વ વધ્‍યું છે કારણ કે રાણી સાવિત્રીએ યમરાજા પાસેથી પોતાના મરણ પામેલ પતિ સત્‍યવાનને જ નહીંપરંતુ પોતાને ત્‍યાં પુત્રો તથા સુખ સગવડ પણ માંગ્‍યા હતા તે દિવસથી આ વ્રત ભારત વર્ષમાં ઉજવાતું આવ્‍યું છે.
આજના દિવસે સૌભાગ્‍યવતી બહેનો વડના ઝાડ નીચે જઈ અબીલ ગુલાલ કંકુ ચોખા વડે વડની પૂજા કરી વડને જળ ચઢાવી સુતરના દોરાથી 108 વખત વડની પ્રદક્ષિણા કરી પોતાના પતિના દીર્ઘાયું માટે પ્રાર્થના કરે છે.
પારડીના વેજનાથ મહાદેવ મંદિર તથા તળાવની પાળ ખાતે આવેલા એકલિંગી મહાદેવ મંદિર તથા નગરમાં અન્‍ય ઘણી જગ્‍યાએ વડની પૂજા કરી સૌભાગ્‍યવતી બહેનોએ આજના આ વટ સાવિત્રી વ્રતની ઉજવણી કરી હતી.

Related posts

ચીખલી તાલુકાના વંકાલમાં જિલ્લા કલેકટરને સ્‍થાનિકોની રજૂઆતની સાથે જ ગ્રામ પંચાયત દ્વારા તળાવમાંથી નકામું વહી જતું પાણી બંધ કરી દેવામાં આવતા સ્‍થાનિકોને મોટી રાહત

vartmanpravah

દાદરા નગર હવેલીમાં પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબક્‍યોઃ મધુબન ડેમના છ દરવાજા અડધો મીટર ખોલાયા

vartmanpravah

વલસાડની જાહેર સભા બાદ સરકીટ હાઉસમાં રાત્રિ રોકાણ કરી વડાપ્રધાન આજે રવિવારે સવારે સોમનાથ જવા રવાના

vartmanpravah

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ શિક્ષણ વિભાગનું ગૌરવ

vartmanpravah

દાનહઃ વાઘછીપાના જર્જરિત રસ્‍તાઓનું જિલ્લા કલેક્‍ટરે પોતાની ટીમ સાથે કરેલું નિરીક્ષણઃ રસ્‍તાઓના નવીનિકરણની સંભાવના

vartmanpravah

ચીખલી તાલુકાના સુરખાઈ ગામથી ખેતરમાંથી મૃત હાલતમાં દીપડી મળી આવીઃ વનવિભાગે હાથ ધરેલી તપાસ

vartmanpravah

Leave a Comment