November 13, 2025
Vartman Pravah
ગુજરાતનવસારી

મધ્‍યપ્રદેશના રાજયપાલશ્રીએ કુંકણા સમાજના સુખી ભવનની મુલાકાત લીધી : કુંકણા સમાજના બાળકોના શિક્ષણ માટે ધનરાશિ આપી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

નવસારી,તા.26: મધ્‍યપ્રદેશના રાજયપાલ તરીકે હોદ્‌ો સંભાળ્‍યા બાદ શ્રી મંગુભાઇ પટેલ પહેલી વખત નવસારી આવતા નવસારીવાસીઓએ તેઓનું ઉમળકાભેર સ્‍વાગત કર્ર્યુ હતું. નવસારી ખાતેના પ્રવાસ કાર્યક્રમ દરમિયાન તેઓએ નવસારી કાલિયાવાડી ખાતે આવેલી કુંકણા સમાજના સુખી ભવન ખાતે ખાસ મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે સુખીભવન રાજયપાલશ્રીના માતૃશ્રીની યાદમાં બનાવેલ છે.

કુંકણા સમાજના બાળકોને શૈક્ષણિક હેતુ માટે રાજ્‍યપાલશ્રીએ રૂા.51,000/- ધનરાશિ આપી હતી. આ ધનરાશિ આદિવાસી કુંકણા સમાજના બાળકોને ખૂબ જ ઉપયોગી બનશે. તેમની આ મુલાકાત દરમિયાન કુંકણા જ્ઞાતિ પંચના પ્રમુખ શ્રી ઇશ્વરભાઇ પટેલ, ઉપપ્રમુખ શ્રી પ્રકાશભાઇ દેશમુખ, ભૂમિકાબેન કુન્‍બી, રવજીભાઇ ઉપસ્‍થિત રહી મહામહિમ રાજયપાલશ્રીનું શાલ ઓઢાડી સન્‍માનિત કરાયા હતાં. કુંકણા સમાજના મોભીને રાજયપાલશ્રી તરીકે નિયુકત થતા હર્ષની લાગણી ફેલાઇ છે.

Related posts

ભારત સરકાર રાજ્‍ય સરકારો સાથે મળીને આજથી ચલણ પ્રોત્‍સાહન યોજના ‘મેરા બિલ, મેરા અધિકાર’નો શુભારંભ કરશે

vartmanpravah

ઉમરગામના અંકલાસમાં પી.એમ.જે.વાય કાર્ડ બાબતે લોકોની ઉદાસીનતા દૂર થઈ, હવે સપ્તાહમાં 25થી 30 કાર્ડ લોકો કઢાવી રહ્યા છે

vartmanpravah

વલસાડમાં તિથલ ખાતે ડાયાબીટીસ મુક્‍ત ગુજરાત યોગ શિબિરનો પ્રારંભ થયો

vartmanpravah

દમણીઝાંપા હાઈવે પર ડ્રાઈવરે સ્‍ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા ટેન્‍કરે મારી પલટી

vartmanpravah

કપરાડાના નારવડમાં મૃત દિપડાનું ચામડું તથા પંજા કાપી વેચવાની તજવીજ કરતા 7 ઝડપાયા

vartmanpravah

સ્‍વાગત કાર્યક્રમના 20 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે 29 એપ્રિલ સુધી સ્‍વાગત સપ્તાહની ઉજવણી કરાશે

vartmanpravah

Leave a Comment