(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.23
દાનહમાં નવા 04 કોરોના પોઝીટીવ કેસો નોંધાયા છે. પ્રદેશમાં હાલમાં 28 સક્રિય કેસ છે, અત્યાર સુધીમા 5857 કેસ રીકવર થઈ ચુકયા છે, ત્રણ વ્યક્તિનું મોત થયેલ છે. પ્રદેશમાં આરટીપીસીઆરના 334 નમૂનાઓ લેવામા આવ્યા હતા. જેમાંથી 04 વ્યક્તિનો કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્યા હતો અને રેપિડ એન્ટિજન 391 નમૂના લેવામા આવ્યા હતા. જેમાંથી એકપણ રિપોર્ટ પોઝિટિવ નહી આવતા કુલ 04 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. આજરોજ 01 દર્દી રીકવર થતાં રજા આપવામા આવી છે. પ્રદેશમા 04 કન્ટાઈમેન્ટ ઝોન નક્કી કરાયા છે. દાનહ આરોગ્ય વિભાગ દ્વારા પીએચસી સીએચસી સેન્ટર પર અને સબ સેન્ટર સહિત વિવિધ સોસાયટીમાં કોવીશીલ્ડ વેક્સીનનું ટીકાકરણ કરવામાં આવ્યું હતું. જેમાં આજે 2770 લોકોને વેક્સીન આપવામા આવ્યા છે.