April 25, 2024
Vartman Pravah
ગુજરાતનવસારી

મધ્‍યપ્રદેશના રાજયપાલશ્રીએ કુંકણા સમાજના સુખી ભવનની મુલાકાત લીધી : કુંકણા સમાજના બાળકોના શિક્ષણ માટે ધનરાશિ આપી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

નવસારી,તા.26: મધ્‍યપ્રદેશના રાજયપાલ તરીકે હોદ્‌ો સંભાળ્‍યા બાદ શ્રી મંગુભાઇ પટેલ પહેલી વખત નવસારી આવતા નવસારીવાસીઓએ તેઓનું ઉમળકાભેર સ્‍વાગત કર્ર્યુ હતું. નવસારી ખાતેના પ્રવાસ કાર્યક્રમ દરમિયાન તેઓએ નવસારી કાલિયાવાડી ખાતે આવેલી કુંકણા સમાજના સુખી ભવન ખાતે ખાસ મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે સુખીભવન રાજયપાલશ્રીના માતૃશ્રીની યાદમાં બનાવેલ છે.

કુંકણા સમાજના બાળકોને શૈક્ષણિક હેતુ માટે રાજ્‍યપાલશ્રીએ રૂા.51,000/- ધનરાશિ આપી હતી. આ ધનરાશિ આદિવાસી કુંકણા સમાજના બાળકોને ખૂબ જ ઉપયોગી બનશે. તેમની આ મુલાકાત દરમિયાન કુંકણા જ્ઞાતિ પંચના પ્રમુખ શ્રી ઇશ્વરભાઇ પટેલ, ઉપપ્રમુખ શ્રી પ્રકાશભાઇ દેશમુખ, ભૂમિકાબેન કુન્‍બી, રવજીભાઇ ઉપસ્‍થિત રહી મહામહિમ રાજયપાલશ્રીનું શાલ ઓઢાડી સન્‍માનિત કરાયા હતાં. કુંકણા સમાજના મોભીને રાજયપાલશ્રી તરીકે નિયુકત થતા હર્ષની લાગણી ફેલાઇ છે.

Related posts

શ્રી ઘનશ્‍યામ વિદ્યા મંદિરમાં સુરક્ષા અને માસિક સ્‍વચ્‍છતા જાગૃતતા કાર્યક્રમનું કરાયેલું આયોજન

vartmanpravah

પારડીના રોકડિયા હનુમાન મંદિર ખાતે હનુમાનદાદાના જન્‍મોત્‍સવની ધામધૂમથી ઉજવણી

vartmanpravah

સોનવાડામાં ગણપતિ મંડપમાં જુગાર રમતાપાંચ ઝડપાયા-બે ફરાર

vartmanpravah

વાપીમાં બે વર્ષથી સરેરાશ 100 ઈંચ વરસાદઃ 6 દિવસની સતત હેલી બાદ રવિવારે વરસાદે વિરામ લીધો

vartmanpravah

ચૂંટણીની જાહેરાત બાદ વલસાડ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આદર્શ આચાર સંહિતાનો અમલ

vartmanpravah

લોકસભાની ચૂંટણી પડઘમ શરૂઃ વલસાડ-ડાંગ, સંસદીય મતવિસ્તાર માટે ભાજપ દ્વારા વલસાડમાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય શરૂ

vartmanpravah

Leave a Comment