April 25, 2024
Vartman Pravah
ગુજરાતવલસાડ

વલસાડ જિલ્લામાં રવિવારે યોજાયેલા સ્‍પેશિયલ રસીકરણ કેમ્‍પમાં વેપારીઓ-સેવાકીય સંસ્‍થાઓના 10567 વ્‍યક્‍તિઓનું રસીકરણ કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

વલસાડ, તા.26: સમગ્ર દેશ અને રાજ્‍યમાં ચાલી રહેલી કોરોના મહામારીના નિયંત્રણ માટે કોવીડ-19 રસીકરણ અભિયાન અંતર્ગત તમામ દુકાનો, વાણિજિયક સંસ્‍થાઓ, લારી ગલ્લાઓ, શોપિંગ કોમ્‍પ્‍લેક્ષ, માર્કેટિંગ યાર્ડ, હેર કટિંગ સલૂન, બ્‍યુટી પાર્લર, રેસ્‍ટોરન્‍ટ, અઠવાડીક ગુજરી/ બજાર/ હાટ તેમજ અન્‍ય વ્‍યાપારિક ગતિવિધીઓ સાથે સંકળાયેલા વ્‍યક્‍તિઓનો પ્રથમ ડોઝ સુનિશ્‍ચિત થઈ શકે તે હેતુસર તા.25 જુલાઈને રવિવારે વલસાડ જિલ્લામાં વિવિધ 65 સ્‍થળોએ સ્‍પેશિયલ રસીકરણ કેમ્‍પ યોજી 10567 વ્‍યક્‍તિઓનું રસીકરણ કરાયું હતું. જેમાં વલસાડ તાલુકાના 4153, પારડી તાલુકાના 945, વાપી તાલુકાના 2472, ઉમરગામ તાલુકાના 1644, ધરમપુર તાલુકાના 844 અને કપરાડા તાલુકામાં 509 વ્‍યક્‍તિઓનો સમાવેશ થતો હોવાનું જિલ્લા આરોગ્‍ય વિભાગ દ્વારા જણાવાયું છે.

 

Related posts

લાયન્‍સ કલબ ઓફ ભિલાડ દ્વારા શિક્ષકદિન નિમિત્તે આચાર્યો અને શિક્ષકોનું સન્‍માન કરાયું

vartmanpravah

વાપી કે.બી.એસ કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્‍સ કોલેજ ખાતે સ્‍ટાફ ઓરિએન્‍ટેશન પ્રોગ્રામ યોજાયો

vartmanpravah

વલસાડથી ધરમપુર જતી ઈકો કારમાંથી બિલ વગર અનાજનો જથ્‍થો રૂરલ પોલીસે ઝડપ્‍યો

vartmanpravah

વાપી દમણગંગા કિનારે બિહાર એસોસિએશન દ્વારા આસ્‍થા સાથે ધૂમધામથી દ્વિતીય ચૈત્રી છઠ્ઠની ઉજવણી કરાઈ

vartmanpravah

વાપી જુના રેલવે ફાટકે કરૂણાંતિકા સર્જાઈ : ટ્રેક ક્રોસ કરતા માતા-પુત્રીનું ટ્રેન અડફેટે મોત

vartmanpravah

વાપી વી.આઈ.એ.ના બંધારણમાં અચાનક સુધારો કરવા તા.30 માર્ચના રોજ ખાસ એ.જી.એમ. યોજાશે

vartmanpravah

Leave a Comment