October 21, 2025
Vartman Pravah
ગુજરાતવલસાડ

વલસાડ જિલ્લામાં રવિવારે યોજાયેલા સ્‍પેશિયલ રસીકરણ કેમ્‍પમાં વેપારીઓ-સેવાકીય સંસ્‍થાઓના 10567 વ્‍યક્‍તિઓનું રસીકરણ કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

વલસાડ, તા.26: સમગ્ર દેશ અને રાજ્‍યમાં ચાલી રહેલી કોરોના મહામારીના નિયંત્રણ માટે કોવીડ-19 રસીકરણ અભિયાન અંતર્ગત તમામ દુકાનો, વાણિજિયક સંસ્‍થાઓ, લારી ગલ્લાઓ, શોપિંગ કોમ્‍પ્‍લેક્ષ, માર્કેટિંગ યાર્ડ, હેર કટિંગ સલૂન, બ્‍યુટી પાર્લર, રેસ્‍ટોરન્‍ટ, અઠવાડીક ગુજરી/ બજાર/ હાટ તેમજ અન્‍ય વ્‍યાપારિક ગતિવિધીઓ સાથે સંકળાયેલા વ્‍યક્‍તિઓનો પ્રથમ ડોઝ સુનિશ્‍ચિત થઈ શકે તે હેતુસર તા.25 જુલાઈને રવિવારે વલસાડ જિલ્લામાં વિવિધ 65 સ્‍થળોએ સ્‍પેશિયલ રસીકરણ કેમ્‍પ યોજી 10567 વ્‍યક્‍તિઓનું રસીકરણ કરાયું હતું. જેમાં વલસાડ તાલુકાના 4153, પારડી તાલુકાના 945, વાપી તાલુકાના 2472, ઉમરગામ તાલુકાના 1644, ધરમપુર તાલુકાના 844 અને કપરાડા તાલુકામાં 509 વ્‍યક્‍તિઓનો સમાવેશ થતો હોવાનું જિલ્લા આરોગ્‍ય વિભાગ દ્વારા જણાવાયું છે.

 

Related posts

શીરડી ગયેલા 33 મુસાફરો રસ્‍તા રોકો આંદોલનમાં ફસાયા હતા: સાપુતારા પોલીસે સિવિલ ડ્રેસમાં રાત્રે મુસાફરોનું રેસ્‍ક્‍યુ કર્યું

vartmanpravah

હેડગેવાર ભવન મણિનગર ખાતે સામાજિક સંગઠનની મળેલી વાર્ષિક સભા

vartmanpravah

વલસાડ જિલ્લા સહિત રાજ્‍યમાં શિષ્‍યવૃત્તિ માટે ઈ-કેવાયસીના તઘલખી નિર્ણયથી વાલીઓ-વિદ્યાર્થીઓ કંટાળી ગયા, શિષ્‍યવૃત્તિ ટાળવા લાચાર

vartmanpravah

ધરમપુરના માકડબંધમાં 30 યુગલો સમૂહલગ્નમાં પ્રભુતામાં પગલાં પાડશે

vartmanpravah

ધોધમાર વરસાદથી નવસારી જિલ્લા પંચાયત વિભાગના 64 રસ્‍તાઓ બંધ

vartmanpravah

ચીખલી સ્‍ટેટ બેંક ઓફ ઈન્‍ડિયાના ખાતેદારનું અકસ્‍માતમાં મોત નિપજતા બેંક દ્વારા પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત પરિવારને બે લાખ રૂપિયાનો ચેક એનાયત કરાયો

vartmanpravah

Leave a Comment