(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.04: વિશ્વ પર્યાવરણ દિવસ તેમજ મિશન લાઈફની સામૂહિક ગતિશીલતાની જિલ્લા કક્ષાની ઉજવણી રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના મુખ્ય મહેમાન પદે આજે તા.5 મી જૂને સોમવારે સવારે 9 કલાકે વલસાડના ઉમરગામના મરોલીમાં કાલ ભૈરવ મંદિર ખાતે થશે. આ ઉજવણીમાં વલસાડ વન વર્તુળના મુખ્ય વન સંરક્ષક એસ.મનિશ્વર રાજા (આઈએફએસ) ઉપસ્થિત રહેશે. અતિથિ વિશેષ પદે જિલ્લા પંચાયતના પ્રમુખ અલકાબેન શાહ, વલસાડ-ડાંગના સાંસદ ડો.કે.સી.પટેલ, ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકર, કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, વલસાડનાધારાસભ્ય ભરતભાઈ પટેલ અને ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ ઉપસ્થિત રહેશે.