Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલી

ચીખલી-વાંસદા રાજ્‍યધોરી માર્ગની વચ્‍ચેના ડીવાઈડર ઉપર ધૂળનો જમેલોઃ રાત્રી દરમ્‍યાન વાહનચાલકોને સફેદ પટ્ટા નહિ દેખાતા મોટી દુર્ઘટનાની જોવાતી રાહ?

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
ચીખલી(વંકાલ)
ચીખલી-વાંસદા રાજ્‍યધોરી માર્ગની વચ્‍ચે બનાવવામાં આવેલ ડીવાઈડરનાં નીચેના ભાગમાં સફેદ રંગના પટ્ટા ઉપર ધૂળના થર જામી જતાં વાહનચાલકો મુશ્‍કેલીમાં મુકાઈ રહ્યા છે, છતાં આ બાબતે તંત્ર ગંભીરતા દખાવી રહ્યું નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી-વાંસદા રાજ્‍યધોરી માર્ગની વચ્‍ચે બનાવવામાં આવેલ ડીવાઈડરનાં નીચેના ભાગમાં સફેદ રંગના પટ્ટા ઉપર ધૂળના થર જામી જતાં વાહનચાલકો માટે ખાસ કરીને રાત્રિના સમયે અડચણ ઉભી થઈ રહી છે. રાત્રી દરમ્‍યાન અવર-જવર કરતા નાના-મોટા વાહનોને સફેદ રંગના પટ્ટા નહિ દેખાતા મોટી દુઘર્ટના થવાની ભીતિ સેવાઈ રહી છે. ચીખલી તાલુકામાંથી પસાર થતા રાજ્‍ય ધોરીમાર્ગ પર રાત્રી દરમ્‍યાન ચીખલીથી વાંસદા, વઘઈ, આહવા, સાપુતારા સુધી અનેક વાહનો પ્રસાર થતા હોય છે, જેમાંના કેટલાક વાહનો રાત્રી દરમ્‍યાન મહારાષ્‍ટ્રના નાશિકથી શાકભાજી લઈને બીલીમોરા સરદાર માર્કેટમાં તથા ચીખલી, નવસારીના માર્કેટોમાં વેપાર તેમજ અનેક વાહનો રાત્રી દરમ્‍યાન અનેક નાના-મોટા વાહનો ચીખલી તાલુકામાંથી પ્રસાર થતા હોય છે. જ્‍યારે વાહનો માટે રાત્રી દરમ્‍યાન રસ્‍તાની વચ્‍ચે મૂકવામાં આવેલ ડીવાઈડરના નીચેના ભાગે સફેદ રંગના પટ્ટાનો કલર નહિ દેખાતા દુર્ઘટના ઘટવાની નોબત આવી શકે છે. ચીખલીથી માણેકપોરસુધી રસ્‍તાની વચ્‍ચે મૂકવામાં આવેલ ડીવાઈડરના નીચેના ભાગે ધૂળનાં ઢગલા જામી જતાં પાડવામાં આવેલા સફેદ પટ્ટા વાહનચાલકોને રાત્રિના સમય દરમ્‍યાન નહિ દેખાતાં મોટી દુઘર્ટના ઘટવાની શક્‍યતા નકારાતી નથી. જ્‍યારે ચીખલી માર્ગ મકાન વિભાગના અધિકારીઓ નિંદ્રામાંથી જાગી યોગ્‍ય રીતે ડીવાઈડરની બન્ને સાઇડની સાફ-સફાઈ કરાવે અને ડિવાઈડર યોગ્‍ય રીતે નજરે પડે વ્‍યવસ્‍થા કરવામાં આવે એ સમયની માંગ છે.

Related posts

ગઝવા એ હિન્‍દ આતંકી સંગઠન ગતિવિધિનો રેલો વાપીમાં ?: એન.આઈ.એ.નું ગોદાલનગરમાં એક ફલેટમાં સર્ચ ઓપરેશન

vartmanpravah

સિલ્‍ધા ગામે કરજપાડા પ્રાથમિક શાળામાં શૌચાલય મકાનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યુ

vartmanpravah

વાપીમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં ‘‘એક તારીખ, એક કલાક” સૂત્ર સાથે મહા શ્રમદાન પ્રવૃત્તિઓ હાથ ધરાઈ

vartmanpravah

સરીગામ પંચાયતે રૂ.15 લાખના ખર્ચે નિર્માણ થનારા વિકાસના કામોના કરેલા ખાતમુહૂર્ત

vartmanpravah

સંઘપ્રદેશ થ્રીડી અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં શરૂ કરાયેલ સ્‍વચ્‍છતા અભિયાન હવે આંદોલનમાં ફેરવાઈ

vartmanpravah

દીવમાં અગ્નિશમન દિવસ નિમિત્તે ‘અગ્નિશમન સેવા સપ્તાહ’ની ઉજવણીનો પ્રારંભ

vartmanpravah

Leave a Comment