September 12, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પવિત્ર શ્રાવણ માસનાં પહેલા સોમવારે શિવાલયો ભક્‍તોથી ઉભરાયા: ચીખલી-બીલીમોરાના શિવમંદિરો ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજી ઉઠ્‍યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ),તા.05: દેવાધિદેવ મહાદેવજી વિશેષ પૂજા અર્ચના પવિત્ર શ્રાવણ માસની શરૂઆત સોમવાર સાથે જ થતા આજે પ્રથમ દિવસે બીલીમોરા સોમનાથ મહાદેવના દર્શન કરી ભક્‍તોએ ધન્‍યતા અનુભવી હતી. જ્‍યારે મજીગામ સ્‍થિત પૌરાણિક સ્‍યંમભુ શ્રી મલ્લિકાર્જુન મહાદેવજીના મંદિરે ભક્‍તોની કતાર લાગી હતી. ખાસ કરીને ભુદેવોના મંત્રોચ્‍ચાર સાથે સોળ સોમવારની ઉજવણી કરતી બહેનોની સમગ્ર મંદિર કેમ્‍પસમાં સંખ્‍યા વિશેષ જોવા મળી હતી. આ ઉપરાંત ચીખલીમાં કાવેરી નદીના તટે ત્રણ શિવલિંગ ધરાવતા શ્રી મલ્‍હારેશ્વર મહાદેવજી, શ્રી તડકેશ્વર મહાદેવજી, થાલા બગલાદેવ સ્‍થિત શ્રી રામેશ્વર મહાદેવજી, કુકેરી ગામે ભુવનેશ્વર મહાદેવજી, મલિયાધરામાં શ્રી મલયેશ્વર મહાદેવજી, તલાવચોરામાં ભીમનાથ મહાદેવજી, યોગેશ્વર મહાદેવજી, જગદીશ્વર મહાદેવજી, ઘેજમાં પાતળેશ્વર મહાદેવજી, ઘેકટીમાં શ્રી કમલેશ્વર મહાદેવજી, ખૂંધમાં કાવેરી નદીના તટે શ્રી સિધ્‍ધનાથ મહાદેવજી, ખૂંધ સાતપીપળા શ્રી રામેશ્વર મહાદેવજી સહિતના શિવાલયોમાં વહેલી સવારથી જ ભક્‍તો મોટી સંખ્‍યામાં ઉમટી પડ્‍યા હતા.
શિવાલયોમાં ભક્‍તોએ શિવલિંગને દૂધ અને જળનો અભિષેક કરી બિલ્‍વપત્રો, ફૂલો ચઢાવી દર્શન કરી ધન્‍યતા અનુભવી હતી. શિવાલયો ભક્‍તોની ચહલ-પહલથી ધમધમવા સાથે ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવના નાદ સાથે ગુંજતા રહ્યાહતા. શ્રાવણ માસની શરૂઆત સાથે જ તાલુકામાં 24-કલાક અખંડ ભજન કીર્તન સાથેની સપ્તાહ ચાલુ થશે. અને ગામે-ગામ રાત્રી દરમ્‍યાન પણ ભજનોની રમઝટ સાથે ગુંજ સંભળાતી રહેશે.

Related posts

લેટર બોંબ બાદ દાંડી સહિત વલસાડ કાંઠા વિસ્‍તારના ગામોમાં ધવલ પટેલના સમર્થનમાં બેનરો લાગ્‍યા

vartmanpravah

આર.બી.આઈ. દ્વારા આયોજીત જિલ્લા સ્‍તરીય ‘નાણાંકીય સાક્ષરતા-2023′ વિષય પર અખિલ ભારતીય ક્‍વીઝ સ્‍પર્ધામાં દમણવાડા સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક (અંગ્રેજી માધ્‍યમ) શાળાની બે વિદ્યાર્થીનીઓ ઝળકી

vartmanpravah

દમણ જિલ્લાના મહત્તમ રસ્‍તાઓની હાલત જર્જરીત : ચોમાસા પહેલા રસ્‍તાઓની હાલત સુધરશે?

vartmanpravah

વલસાડમાં વૃંદાવન એપાર્ટમેન્‍ટનો સ્‍લેબ ધરાશયી થયા બાદ પાલિકા એકશનમાં: બાકી રહેલા ભાગનું કરાયેલું ડિમોલીશન

vartmanpravah

સુખલાવમાં બહેને ભાઈને ફોન કરી ઝેરી દવા ગટગટાવી

vartmanpravah

સાયલી એસ.એસ.આર. કોલેજના આચાર્ય ડો. રાજીવને ગુજરાત ભૂષણ પુરસ્‍કારથી સન્‍માનિત કરાયા

vartmanpravah

Leave a Comment