Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

લાયન્‍સ ક્‍લબ ઓફ ઉમરગામ અને શ્રી સાંઈ શ્રદ્ધા ટ્રસ્‍ટ દ્વારા મફત આંખની તપાસના કેમ્‍પનું કરવામાં આવેલુ આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.05: આજરોજ ઉમરગામ તાલુકાના દેહરી ખાતે શ્રી સાંઈ ધામ હોલમાં લાયન્‍સ ક્‍લબ ઓફ ઉમરગામ અને શ્રી સાંઈ શ્રદ્ધા ટ્રસ્‍ટ તેમજ દેહરી પંચાયતના સંયુક્‍ત રાહે મફત આંખની તપાસના શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. સવારના 10.00 કલાકે પ્રારંભ કરવામાં આવેલા કેમ્‍પ બપોરના 1.00 કલાક સુધી કાર્યરત રહ્યો હતો જેમાં 240 જેટલા વ્‍યક્‍તિઓની આંખની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન નિદાન થયેલા મોતી બિંદુની સમસ્‍યાથી પીડાતા દર્દીઓને ટ્રસ્‍ટ દ્વારા નજીકના ભવિષ્‍યમાં મફત ઓપરેશન કરી આપવાની બાહેંધરી આપવામાં આવી હતી. આ શિબિરમાં મુખ્‍ય મહેમાન તરીકે ઉપસ્‍થિત રહેલા યુઆઇએના પ્રેસિડન્‍ટ શ્રી નરેશભાઈ બંથીયાએ લાયન્‍સ ક્‍લબ ઓફ ઉમરગામ અને શ્રી સાંઈ શ્રદ્ધા ટ્રસ્‍ટના પ્રમુખ અને સંચાલકોનો આભાર વ્‍યક્‍ત કરવા સાથે જનહિતની સેવાકીય પ્રવૃતિને બિરદાવી હતી અને ભવિષ્‍યમાં આ પ્રકારના જનહિતના કાર્યમાં સહયોગ આપવાની પણ બાહેંધરી આપી હતી. આજે પણ યુઆઈએના પ્રમુખ અને સિટિઝન અમરેલા કંપનીના માલિક શ્રી નરેશભાઈ બંથીયા દ્વારા શિબિરમાં સેવા આપનારા તમામને છત્રીનુંવિતરણ કરવામાં આવ્‍યું હતું.
આજના શિબિરમાં લાયન્‍સ ક્‍લબ ઓફ ઉમરગામના પ્રમુખ શ્રી દિલીપભાઈ રાજપુત, સેક્રેટરી દીપકભાઈ પંચાલ, ટ્રેઝર શ્રી નયનભાઈ શેઠ અને પ્રોજેક્‍ટ અધ્‍યક્ષ શ્રી મિહિરભાઈ સોનપાલ, અગ્રણીશ્રી અનિલભાઈ જૈન તેમજ દેહરી પંચાયતના સરપંચશ્રી ધનેશભાઈ, ઉપસરપંચશ્રી ઉમેશભાઈ સોલંકી, સભ્‍યશ્રી નીતિનભાઈ કામળી, શ્રી સાંઈ શ્રદ્ધા ટ્રસ્‍ટના પ્રમુખશ્રી નીતિનભાઈ સાવે, ગોવાડાના સરપંચ શ્રીમતી મંજુબેન સહિતના આગેવાનોની ઉપસ્‍થિતિ જોવા મળી હતી.

Related posts

નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે રૂ.21.35 કરોડના ખર્ચે નવા બનનારા મોરારજી દેસાઈ વેજીટેબલ માર્કેટ બિલ્‍ડિંગનું ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

માનવ અધિકાર દિવસ નિમિત્તે દાનહઃ હવેલી ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચના ઉપક્રમે ટ્રાન્‍સજેન્‍ડરના અધિકારો પર એક દિવસીય વર્કશોપ યોજાયો

vartmanpravah

દમણના કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવની દિલ્‍હી બદલીનો આદેશઃ દરેક વિભાગોમાં નિષ્‍ઠા અને કર્મઠતાથી બજાવેલી ફરજ

vartmanpravah

“કુપોષણ મુક્ત નવસારી જિલ્લો” જન આંદોલન ત્રીજો તબકકો: નવસારી જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ

vartmanpravah

બાંધકામ વિભાગની ટીમની સરાહનીય કામગીરી : વલસાડ જિલ્લા પંચાયતનાં બાંધકામ વિભાગ દ્વારા મોટાભાગના રસ્‍તાઓ લોકઉપયોગી બનાવ્‍યા

vartmanpravah

પાવરગ્રીડની વર્ષગાંઠની ઉજવણી : ‘આઝાદીના અમળત મહોત્‍સવ’ અંતર્ગત વન નેશન-વન ગ્રીડ-વન ફ્રીક્‍વન્‍સી

vartmanpravah

Leave a Comment