July 28, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરના ઢાંકવળ અને તામછડી ગામે વન વિભાગના પ્‍લાન્‍ટેશનનો સ્‍થાનિકોનો વિરોધ

હાઈકોર્ટમાં કરાયેલ 93 દાવાઓની પ્રકિયાઓ હજુ ચાલુ છે તેથી કરાયેલ વિરોધ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14: તા.14/03/2024 ના દિને ધરમપુર તાલુકાના ઢાકવળ અને તામછડી ગામે વનવિભાગ દ્વારા પ્‍લાન્‍ટેશનની કામગીરી કરવામાં આવતી હોય તે બંધ કરવા બાબતે જો જમીન સરકારી હે વો જમીન હમારી હે ના સૂત્ર સાથે બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબને હારદોરા કરીને ધરમપુર પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
તામછડી ગામે કુલ 366 જેટલી દાવા અરજી કરવામાં આવી હતી તેમાંથી મંજુર થયેલ દાવા 273 સામે 366 જેટલી રિવિઝન અરજીઓ કરવામાં આવી હતી અને 93 દાવા અરજીઓની કાર્યવાહી હજી ચાલુ પ્રક્રિયામાં છે છતાં પાલનન્‍ટેસન કરતા એનો વિરોધ કરવામાં આવ્‍યો હતો.
વન અધિકાર કાયદો 2006 ની કાર્યવાહી અંગે 2013 માં ગુજરાત નામદાર હાઇકોર્ટ ચુકાદો આપેલ કે જ્‍યાં સુધી વન અધિકાર કાયદો 2006 મુજબ દાવા અરજીઓનો સંપુર્ણ પણે નિકાલ ન થાય ત્‍યાં સુધી વન ગુજરાત નામદાર હાઈકોર્ટ વર્ષ 2011માં આપેલ મનાઈ હુકમ ચાલુ રહે છે. જ્‍યાં સુધી દાવાઓનો સંપૂર્ણ નિકાલ ન થાય ત્‍યાં સુધી વન વિભાગ દાવા વાળી જમીનમાં પ્‍લાન્‍ટેસન કે અન્‍ય કામગીરી કરશે નહિ. સંવિધાનની 5મી અનુસૂચિ હેઠળ આદિવાસી વિસ્‍તારમાં અમલવારી બાબતે ગ્રામસભામાં ઠરાવ કરેલ હોય જે બાબતની મોટી સંખ્‍યામાં ગ્રામજનો અનેઆગેવાનો સાથે રજૂઆત કરવામાં આવી હતી.
જ્‍યાં મોહના કાઉચાળી સરપંચ શ્રી દેવું મોકાસી, તામછડી ગામના આગેવાન શ્રી માવજીભાઈ, દેવુભાઈ, નવીનભાઈ, ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્‍ય કલ્‍પેશ પટેલ અને મોટી સંખ્‍યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.

Related posts

દમણ જિલ્લા ભાજપ પ્રમુખ અસ્‍પી દમણિયાએ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની ‘મન કી બાત’ કાર્યક્રમ આંટિયાવાડ મંડળની સાથે સાંભળ્‍યો

vartmanpravah

કેન્‍દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા બદલી કરાતા સંઘપ્રદેશથી બદલી થયેલા ચાર અધિકારીઓના સન્‍માનમાં યોજાયેલો વિદાય સમારંભ

vartmanpravah

આજે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા ‘પંચાયત આપણાં આંગણામાં’ કાર્યક્રમ યોજાશે

vartmanpravah

સામુહિક બદલીના દોરમાં વલસાડ, ચીખલી, નવસારી, ગણદેવીના ટીડીઓની બદલી

vartmanpravah

ગુજરાત બોર્ડનું ધોરણ 12 સામાન્‍ય પ્રવાહનું દમણ જિલ્લાનું 71.18 ટકા અને દીવનું 65.48 ટકા પરિણામ

vartmanpravah

જલાલપોર તાલુકાના વાંસી-બોરસી ખાતે પી.એમ. મિત્ર પાર્કના કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રએ પત્રકારોને માહિતગાર કર્યા

vartmanpravah

Leave a Comment