Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

લાયન્‍સ ક્‍લબ ઓફ ઉમરગામ અને શ્રી સાંઈ શ્રદ્ધા ટ્રસ્‍ટ દ્વારા મફત આંખની તપાસના કેમ્‍પનું કરવામાં આવેલુ આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.05: આજરોજ ઉમરગામ તાલુકાના દેહરી ખાતે શ્રી સાંઈ ધામ હોલમાં લાયન્‍સ ક્‍લબ ઓફ ઉમરગામ અને શ્રી સાંઈ શ્રદ્ધા ટ્રસ્‍ટ તેમજ દેહરી પંચાયતના સંયુક્‍ત રાહે મફત આંખની તપાસના શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. સવારના 10.00 કલાકે પ્રારંભ કરવામાં આવેલા કેમ્‍પ બપોરના 1.00 કલાક સુધી કાર્યરત રહ્યો હતો જેમાં 240 જેટલા વ્‍યક્‍તિઓની આંખની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન નિદાન થયેલા મોતી બિંદુની સમસ્‍યાથી પીડાતા દર્દીઓને ટ્રસ્‍ટ દ્વારા નજીકના ભવિષ્‍યમાં મફત ઓપરેશન કરી આપવાની બાહેંધરી આપવામાં આવી હતી. આ શિબિરમાં મુખ્‍ય મહેમાન તરીકે ઉપસ્‍થિત રહેલા યુઆઇએના પ્રેસિડન્‍ટ શ્રી નરેશભાઈ બંથીયાએ લાયન્‍સ ક્‍લબ ઓફ ઉમરગામ અને શ્રી સાંઈ શ્રદ્ધા ટ્રસ્‍ટના પ્રમુખ અને સંચાલકોનો આભાર વ્‍યક્‍ત કરવા સાથે જનહિતની સેવાકીય પ્રવૃતિને બિરદાવી હતી અને ભવિષ્‍યમાં આ પ્રકારના જનહિતના કાર્યમાં સહયોગ આપવાની પણ બાહેંધરી આપી હતી. આજે પણ યુઆઈએના પ્રમુખ અને સિટિઝન અમરેલા કંપનીના માલિક શ્રી નરેશભાઈ બંથીયા દ્વારા શિબિરમાં સેવા આપનારા તમામને છત્રીનુંવિતરણ કરવામાં આવ્‍યું હતું.
આજના શિબિરમાં લાયન્‍સ ક્‍લબ ઓફ ઉમરગામના પ્રમુખ શ્રી દિલીપભાઈ રાજપુત, સેક્રેટરી દીપકભાઈ પંચાલ, ટ્રેઝર શ્રી નયનભાઈ શેઠ અને પ્રોજેક્‍ટ અધ્‍યક્ષ શ્રી મિહિરભાઈ સોનપાલ, અગ્રણીશ્રી અનિલભાઈ જૈન તેમજ દેહરી પંચાયતના સરપંચશ્રી ધનેશભાઈ, ઉપસરપંચશ્રી ઉમેશભાઈ સોલંકી, સભ્‍યશ્રી નીતિનભાઈ કામળી, શ્રી સાંઈ શ્રદ્ધા ટ્રસ્‍ટના પ્રમુખશ્રી નીતિનભાઈ સાવે, ગોવાડાના સરપંચ શ્રીમતી મંજુબેન સહિતના આગેવાનોની ઉપસ્‍થિતિ જોવા મળી હતી.

Related posts

વાપી વિપ્ર કલ્‍યાણ ચેરિટેબલ ટ્રસ્‍ટની દીપાવલી બેઠક યોજાઈ

vartmanpravah

દમણ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં ખેલ મહોત્‍સવનો થનગનાટ : એપ્રિલના ત્રીજા-ચોથા સપ્તાહથી થનારો આરંભ

vartmanpravah

વાપીથી સુરત જઈ રહેલી રિક્ષા ધરમપુર ચોકડી હાઈવે બ્રિજ પાસે પલટી મારી ગઈ : મુસાફરોનો ચમત્‍કારિક બચાવ

vartmanpravah

શ્રીમદ્‌ રાજચંદ્ર હોસ્‍પિટલમાં થઈ ધરમપુર-કપરાડા-વલસાડ વિસ્‍તારની પ્રથમ બાયપાસ સર્જરી!

vartmanpravah

નરોલી સરકારી હાઈસ્‍કૂલમાં ફાયર વિભાગ દ્વારા મોકડ્રિલ યોજાઈ: આકસ્‍મિક રીતે લાગતી આગને ઓલવવાની વિદ્યાર્થીઓને બતાવેલી વ્‍યવહારૂ રીત

vartmanpravah

ચીખલી વંકાલમાં સિંચાઈ વિભાગ દ્વારા માઈનોર કેનાલ અંડર ગ્રાઉન્ડ કરવાની કામગીરી હાથ ધરાતા સ્થાનિકોમાં ફેલાયેલી આનંદણી લાગણી

vartmanpravah

Leave a Comment