September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી લવાછામાં 50 ફૂટ ઊંચી પાણીની ટાંકીમાં પડી ગયેલ શ્વાનનું મહામુસીબતે રેસ્‍ક્‍યુ કરાયું

બે દિવસથી કોઈ પ્રાણીના રડવાનો અવાજ આવતો હતો પણ
અવાજ ક્‍યાંથી આવે છે તે શોધવું લોકોને મુશ્‍કેલ બનેલ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: વાપી નજીક લવાછા ગામમાં આવેલ પાણીની ટાંકીમાં વિચિત્ર રીતે પડી ગયેલ શ્વાનનું રેસ્‍ક્‍યુ કરવામાં આવ્‍યું હતું.આશરે 50 ફૂટ ઊંચી ટાંકીમાં સ્‍વાન પડી ગયો હતો અને સત બે દિવસથી તેનો રડવાનો અવાજ આવતો હતો પરંતુ અવાજ કયા પ્રાણીનો અને ક્‍યાંથી આવે છે તે કહેવું સ્‍થાનિકો માટે દોહ્યલું બની ગયું હતું. અંતે મહામહેનતે ખબર પડી કે શ્વાન પાણીની ટાંકીમાં પડી ગયો છે અને તેનો રડવાનો અવાજ આવે છે.
લવાછા ગામમાં આવેલી પાણીની ટાંકી ઉપર શ્વાન ચઢી ગયો હશે અને ભૂલથી 50 ફૂટ ઊંચી ટાંકીમાં પડી ગયો હતો તે પછી સતત ટાંકીની અંદર પડી ગયેલા શ્વાને રડવાનું ચાલુ કરેલ. બે દિવસ સુધી કોઈ પશુ, પ્રાણીનો રડવાનો અવાજ સ્‍થાનિકો સાંભળતા હતા પરંતુ આ ભેદી અવાજ ક્‍યાંથી આવે છે તે શોધવું મુશ્‍કેલ હતું. અંતે કેટલાક લોકોએ પાણીની ટાંકી ઉપર ચઢીને તપાસ કરી તો ટાંકીની અંદર શ્વાન પડી ગયેલો જોયો તેજ રડતો હતો. સાચી વિગતો જાણ્‍યા પછી લોકોએ એનિમલ રેસ્‍ક્‍યુના વર્ધમાન શાહને જાણ કરી હતી. રેસ્‍ક્‍યુ ટીમે આવીને જોયુ તો ટાંકીમાં ઉતરી શકાય એવી કોઈ સ્‍થિતિ નથી તેથી રસ્‍સીનો પાસો બનાવીને ટાંકીમાં નાખી મહામુસીબતે સ્‍વાનનું રેસ્‍ક્‍યુ કરી બહાર કાઢી સલામત ખુલ્લી જગ્‍યામાં છોડી દેવાયો હતો. જો કે ટાંકીમાં પાણી નહોતું તેથી શ્વાનનો જીવ બચી ગયો હતો.

Related posts

દાનહના રખોલીમાં રહેતા પરપ્રાંતિય પરિવારની 17 વર્ષિય કિશોરીએ હાથની નસ કાપી જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

આપણા યશસ્‍વી પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની સરકાર ભારતરત્‍ન ડો. ભીમરાવ બાબા સાહેબ આંબેડકરના સિદ્ધાંતો ઉપર ચાલી રહી છેઃ પ્રદેશ ભાજપ પ્રભારી અશોક ખટરમલ

vartmanpravah

સેલવાસના ગાયત્રી પરિવાર ટ્રસ્‍ટ દ્વારા પિતૃકૃપાર્થે શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન

vartmanpravah

દીવ ભાજપ દ્વારા ડો.ભીમરાવ આંબેડકરની 131મી જન્‍મજયંતિ નિમિત્તે પુષ્‍પાંજલિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ધોરણ 1માં પ્રવેશ લેતાં બાળકોનાં સંઘપ્રદેશમાં સત્‍કારસન્‍માન સાથે ઉજવાયો પ્રવેશોત્‍સવ

vartmanpravah

પારડી નગરપાલિકા પશ્ચિમ વિભાગના લોકોને પડતી પાણીની સમસ્‍યા ટૂંક જ સમયમાં દૂર થશે

vartmanpravah

Leave a Comment