December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી હાઈવે શાંતિ કોમ્‍પલેક્ષ સ્‍થિત ડેવલોપરની ઓફિસમાં ફાયરીંગ : જમીનના મામલામાં ઘટના ઘટી

આરોપી ડેવલોપર ગિરીરાજસિંહ જાડેજાની પોલીસે ધરપકડ કરી :
ત્રણ રાઉન્‍ડ ફાયરીંગ કર્યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: વાપી નેશનલ હાઈવે સ્‍થિત શાંતિ કોમ્‍પલેક્ષમાં આજે સોમવારે બપોરે એક ડેવલોપરની ઓફિસમાં ફાયરીંગની ઘટના ઘટતા સનસની મચી જવા પામી હતી. એસ.પી. સહિત પોલીસ કાફલો ઘટના સ્‍થળે ધસી ગયો હતો.
વાપી નેશનલ હાઈવે ઉપર આવેલ શાંતિ કોમ્‍પલેક્ષ 102 માં કાર્યરત શીવ શક્‍તિ ડેવલોપરની ઓફિસમાં બપોરે ફાયરીંગની ઘટના ઘટી હતી. ઘટનાની આંતરિકવિગતો પોલીસ સુત્રોએ જણાવ્‍યા મુજબ શીવ શક્‍તિ ડેવલોપરના સંચાલક ગિરીરાજસિંહ અને અન્‍ય વલસાડ-સુરતના 10 જેટલા ડેવલોપરોએ જમીન ખરીદી હતી. ત્‍યારબાદ સેલડીડ પણ થયું હતું. તે પછી શીવશક્‍તિ ડેવલોપર સંચાલક જમીન અંગે ગોળગોળ ફેરવતો હતો તેમજ દસ્‍તાવેજો ઉપર અઢી કરોડની લોન પણ લઈ લીધી હતી. તેથી ડેવલોપરો વચ્‍ચે બે-ત્રણ વર્ષથી ખટરાગ અને ઝઘડો ચાલતો. આ મામલે આજે કેટલાક પાર્ટનર શાંતિ ચેમ્‍બરમાં બપોરે આવ્‍યા હતા તેની જાણ થતા ગિરીરાજસિંહ જાડેજા બાથરૂમમાં છુપાઈ ગયો હતો અને પછી તે બહાર નિકળીને ફાયરીંગ કરી દીધું હતું. ઘટનાની જાણ બાદ જિલ્લા પોલીસ વડા ડો.કરણસિંહ તથા વાપી ડિવાયએસપી બી.એન. દવે સહિત પોલીસ કાફલો ઘટના સ્‍થળે પહોંચીને આરોપી ગિરીરાજસિંહ જાડેજાની ધરપકડ કરી લીધી હતી. અટેમ્‍પ્‍ટ ઓફ મર્ડર અને આર્મ્‍સ એક્‍ટ હેઠળ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

દમણ ન.પા.એ કોવિડ-19ના આંશિક લોકડાઉનના પગલે એપ્રિલ અને મે મહિનાનું દમણ મ્‍યુનિસિપલ માર્કેટનું ભાડૂ નહીં લેવા કરેલો નિર્ણય

vartmanpravah

દમણ નેહરુ યુવા કેન્‍દ્ર દ્વારા બ્‍લોક લેવલ સ્‍પોર્ટ્‍સ મીટ યોજાઈ

vartmanpravah

બે બોગસ જન્‍મ પ્રમાણપત્ર રાખવાના પ્રકરણમાં દીવ જિ.પં.ના સભ્‍ય પદેથી ઉમેશ રામા બામણિયાને સસ્‍પેન્‍ડ કરાયા: સંઘપ્રદેશના પંચાયતી રાજ સચિવ ગૌરવ સિંહ રાજાવતે જારી કરેલો આદેશ

vartmanpravah

ખાંભડા ગામે લાયબ્રેરીના અદ્યતન મકાન માટે સરપંચ સહિત આગેવાનો દ્વારા ખાતમુહૂર્ત કરતા સ્‍થાનિકોમાં ખુશી ફેલાઈ

vartmanpravah

દમણવાડાની હાયર સેકન્‍ડરી સ્‍કૂલમાં આન બાન શાનથી સ્‍વતંત્રતા દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

‘માટીને નમન, વીરોને વંદન’ કાર્યક્રમમાં દમણવાડા પંચાયત દ્વારા 1971 ભારત-પાકિસ્‍તાન યુદ્ધના લડવૈયા ફૌજી અમ્રતભાઈ રાઠોડનુંતેમના નિવાસ સ્‍થાને જઈ કરાયેલું સન્‍માન

vartmanpravah

Leave a Comment