Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી જીઆઈડીસી પાણીનો ભાવ વધારો ગાંધીનગરમાં ગાજ્‍યો : ઉચ્‍ચ સમિક્ષા બેઠક યોજાઈ

ત્રણ વિભાગોના મંત્રીઓ, સચિવોની હાજરીમાં પાણી ભાવ વધારાની ચર્ચા વિચારણા યોજાઈ : વી.આઈ.એ.ના ઉદ્યોગકારોએ રજૂઆત કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.30: ગુજરાતની તમામ ઔદ્યોગિક વસાહતો કરતા વાપી વસાહતમાં પાણીના દર ઊંચા છે. જેને નિયત કરવા માટે ગાંધીનગરમાં ઉચ્‍ચસ્‍તરીય બેઠક યોજાઈ હતી. બેઠકમાં વિવિધ વિભાગના ત્રણ સચિવ તથા ત્રણ મંત્રીઓ અને વાપીના ઉદ્યોગ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. બેઠકમાં વાપીમાં પાણીનો વધારે ભાવઅંગે સમિક્ષા કરાઈ હતી. આગામી સમયે તેની ફળશ્રૃતિ મળશે તેવો અણસાર મળી રહ્યા છે.
વાપી એસ્‍ટેટમાં પાણીના ભાવ વધારા અંગેની વારંવાર રજૂઆતો બાદ પણ પરિણામ નહી મળતા મામલો ગાંધીનગર સુધી પહોંચ્‍યો હતો. સોમવારે સચિવાલયમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈની આગેવાની હેઠળ ઉચ્‍ચ સ્‍તરીય બેઠક યોજાઈ હતી. અગ્ર સચિવ જે.પી. ગુપ્તા, પાણી પુરવઠા અધિકારીઓ, નર્મદા વિભાગ અધિકારી તથા આરોગ્‍ય મંત્રી ઋષિકેશ પટેલ, પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ તતા વી.આઈ.એ.ના પ્રમુખ કમલેશભાઈ પટેલ, સેક્રેટરી સતિષભાઈ પટેલ, હેમંત પટેલ, એડવાઈઝર મિલનભાઈ દેસાઈ, યોગેશ કાબરીયા સહિતના ઉદ્યોગ પ્રતિનિધિઓ મીટિંગમાં જોડાયા હતા. સરકાર અને ઉદ્યોગકારો વચ્‍ચે યોજાયેલ આ પાણી દર અંગેની સમિક્ષા બેઠક બાદ 10 ટકા થયેલ પાણી દરના વધારામાં રાહત મળશે તેવી બેઠકની ફળશ્રૃતિ મળી હતી.

Related posts

આજે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિવસને ઉજવવા માટે થનગની રહેલો સમસ્‍ત સંઘપ્રદેશ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ત્રિ-દિવસીય દાનહ મુલાકાતના સમાપન બાદ દાનહના કાર્યાન્‍વિત પ્રોજેક્‍ટોને ગતિઅને નવી યોજનાને મળનારો ઓપ

vartmanpravah

આપણુ ગુજરાતઃ ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતઃ વલસાડની સરકારી ઈજનેરી કોલેજમાં ભ્રષ્ટાચાર સામે જાગૃતતા માટે ઇનોવેટીવ ટેક્નિક્સ અંગે કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દમણ કાર્યાલય ખાતે પ્રદેશ ભાજપે આન બાન અને શાનથી 62મા મુક્‍તિ દિવસની કરેલી ઉજવણી

vartmanpravah

સેલવાસ કોર્ટ દ્વારા આરોપીને દોષી ઠરાવ્‍યો

vartmanpravah

રામ મંદિરના નિર્માણ કાર્યમાં શ્રમદાન કરવા પારડીથી આરએસએસ, વિશ્વ હિન્‍દુ પરિષદ અને બજરંગ દળની ટીમ રવાના

vartmanpravah

Leave a Comment