September 1, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણના ‘સ્‍ટેપ અપ ફાઉન્‍ડેશન’ના મોક્ષરથને 6 વર્ષ પૂરા થયા

  • વિવિધ ધર્મના 1 હજારથી વધુ લોકોને આપવામાં આવેલી સેવા

  • જિલ્લાની અન્‍ય સંસ્‍થાઓએ પણ લોકોની મદદ માટે આગળ આવવાની જરૂરઃ વિશાલભાઈ ટંડેલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ,તા.14
દમણના ‘સ્‍ટેપ અપ ફાઉન્‍ડેશને’ વર્ષ 2016માં મૃતકોના અંતિમ સંસ્‍કાર માટે મોક્ષરથ સેવા શરૂ કરી હતી. આજે આ સેવાને 6 વર્ષ પૂર્ણ થયા છે. છેલ્લા 6 વર્ષમાં ‘સ્‍ટેપ અપ ફાઉન્‍ડેશન’ના મોક્ષરથે વિવિધ ધર્મના 1 હજારથી વધુ લોકોની સેવા કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ‘સ્‍ટેપ અપ ફાઉન્‍ડેશન’ના અધ્‍યક્ષ શ્રી વિશાલભાઈ ટંડેલે જણાવ્‍યું હતું કે, ‘સ્‍ટેપ અપ ફાઉન્‍ડેશન’ સંસ્‍થા દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાના હેતુથી વર્ષ 2016માં મોક્ષ રથ સેવા શરૂ કરવામાં આવી હતી. આ સેવા દ્વારા દમણના રહેવાસીઓ અને નજીકના લોકોના પરિવારના સભ્‍યો અને પરિચિતોને વધુ સારી સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. વર્ષ 2022માં આ સેવાને 6 વર્ષ પૂરા થયા છે અને આ દરમિયાન સંસ્‍થાના સભ્‍યોએ આ ઉમદા કાર્ય કરવા માટે પૂરેપૂરો પ્રયાસ કર્યો છે. તેમણે કહ્યું કે કોરોના મહામારીના સમયગાળા દરમિયાન પણ મોક્ષ રથના ડ્રાઈવરો શ્રી જીતેન્‍દ્રભાઈ હળપતિ અને શ્રી બસીમભાઈ પટેલે કોઈપણ ખચકાટ વિના તેમની સેવા ચાલુ રાખી હતી.
‘સ્‍ટેપ અપ ફાઉન્‍ડેશન’ના અધ્‍યક્ષ શ્રી વિશાલભાઈ ટંડેલે વધુમાં જણાવ્‍યું હતું કે, દમણ જિલ્લામાં તેમની સંસ્‍થા દ્વારા એકમાત્ર મોક્ષરથ વાહન સુવિધા ચલાવવામાં આવી રહી છે, જે પૂરતું નથી. તેમણે જણાવ્‍યું હતું કે, જાળવણીનેકારણે કેટલીકવાર મોક્ષરથની સુવિધા અવરોધાય છે, તેથી દમણ જિલ્લાની અન્‍ય સંસ્‍થાઓએ પણ આગળ આવીને મોક્ષરથ જેવી સુવિધા શરૂ કરવી જોઈએ. શ્રી વિશાલભાઈ ટંડેલે જિલ્લાની અન્‍ય ખાનગી સંસ્‍થાઓને મોક્ષરથ જેવી વાહન સુવિધા શરૂ કરીને આ સેવામાં સહયોગ આપવા હાકલ કરી છે.

Related posts

દેવકાની સેન્‍ડી રિસોર્ટમાં દમણ લાયન્‍સ ક્‍લબ ઈન્‍ટરનેશનલ ડિસ્‍ટ્રીક્‍ટ 3232જ્‍2ના રિજિયન-5 દ્વારા યુનિટિ રિજિયન કોન્‍ફરન્‍સ યોજાઈ

vartmanpravah

ઉમરગામ ઇન્‍ડસ્‍ટ્રીઝ એસોસિયેશનની વાર્ષિક સાધારણ સભા સંપન્ન

vartmanpravah

ગુજરાત પ્રાકૃતિક- વ- સેન્દ્રિ ય કૃષિ વિશ્વવિદ્યાલય આણંદ દ્વારા આયોજીત ઉમરગામ ખાતે પ્રાકૃતિક કૃષિના કૃષિકાર પૂ. ભાસ્કાર સાવેની જન્મતશતાબ્દીદ નિમિત્તે રાજયના નાણાં, ઊર્જા અને પ્રેટોકેમિકલ્સન મંત્રી કનુભાઇ દેસાઇના અધ્યયક્ષસ્થાકને ખેડૂતોની વિચાર ગોષ્ઠિદ યોજાઇ

vartmanpravah

ઈ.સ. 1670માં જવ્‍હારના રાજાએ રામનગરના રાણાનો પરાજય કરીને દમણ પ્રદેશમાં ચોથ ઉઘરાવવાનો પોતાનો હક પ્રસ્‍થાપિત કર્યો

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય દિવસ પર અનુરાગ સિંહ અને મનિષ ઝા દ્વારા વિશેષ સેમિનારનું સમાપન

vartmanpravah

દાનહ જિ.પં. સંચાલિત નરોલી પ્રાથમિક ગુજરાત કેન્‍દ્ર શાળામાં યોજાયો વાર્ષિકોત્‍સવઃ કુલ 9 શાળાઓએ લીધેલો ભાગ

vartmanpravah

Leave a Comment