April 18, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણના ‘સ્‍ટેપ અપ ફાઉન્‍ડેશન’ના મોક્ષરથને 6 વર્ષ પૂરા થયા

  • વિવિધ ધર્મના 1 હજારથી વધુ લોકોને આપવામાં આવેલી સેવા

  • જિલ્લાની અન્‍ય સંસ્‍થાઓએ પણ લોકોની મદદ માટે આગળ આવવાની જરૂરઃ વિશાલભાઈ ટંડેલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ,તા.14
દમણના ‘સ્‍ટેપ અપ ફાઉન્‍ડેશને’ વર્ષ 2016માં મૃતકોના અંતિમ સંસ્‍કાર માટે મોક્ષરથ સેવા શરૂ કરી હતી. આજે આ સેવાને 6 વર્ષ પૂર્ણ થયા છે. છેલ્લા 6 વર્ષમાં ‘સ્‍ટેપ અપ ફાઉન્‍ડેશન’ના મોક્ષરથે વિવિધ ધર્મના 1 હજારથી વધુ લોકોની સેવા કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ‘સ્‍ટેપ અપ ફાઉન્‍ડેશન’ના અધ્‍યક્ષ શ્રી વિશાલભાઈ ટંડેલે જણાવ્‍યું હતું કે, ‘સ્‍ટેપ અપ ફાઉન્‍ડેશન’ સંસ્‍થા દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાના હેતુથી વર્ષ 2016માં મોક્ષ રથ સેવા શરૂ કરવામાં આવી હતી. આ સેવા દ્વારા દમણના રહેવાસીઓ અને નજીકના લોકોના પરિવારના સભ્‍યો અને પરિચિતોને વધુ સારી સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. વર્ષ 2022માં આ સેવાને 6 વર્ષ પૂરા થયા છે અને આ દરમિયાન સંસ્‍થાના સભ્‍યોએ આ ઉમદા કાર્ય કરવા માટે પૂરેપૂરો પ્રયાસ કર્યો છે. તેમણે કહ્યું કે કોરોના મહામારીના સમયગાળા દરમિયાન પણ મોક્ષ રથના ડ્રાઈવરો શ્રી જીતેન્‍દ્રભાઈ હળપતિ અને શ્રી બસીમભાઈ પટેલે કોઈપણ ખચકાટ વિના તેમની સેવા ચાલુ રાખી હતી.
‘સ્‍ટેપ અપ ફાઉન્‍ડેશન’ના અધ્‍યક્ષ શ્રી વિશાલભાઈ ટંડેલે વધુમાં જણાવ્‍યું હતું કે, દમણ જિલ્લામાં તેમની સંસ્‍થા દ્વારા એકમાત્ર મોક્ષરથ વાહન સુવિધા ચલાવવામાં આવી રહી છે, જે પૂરતું નથી. તેમણે જણાવ્‍યું હતું કે, જાળવણીનેકારણે કેટલીકવાર મોક્ષરથની સુવિધા અવરોધાય છે, તેથી દમણ જિલ્લાની અન્‍ય સંસ્‍થાઓએ પણ આગળ આવીને મોક્ષરથ જેવી સુવિધા શરૂ કરવી જોઈએ. શ્રી વિશાલભાઈ ટંડેલે જિલ્લાની અન્‍ય ખાનગી સંસ્‍થાઓને મોક્ષરથ જેવી વાહન સુવિધા શરૂ કરીને આ સેવામાં સહયોગ આપવા હાકલ કરી છે.

Related posts

વલસાડમાં એપાર્ટમેન્‍ટ ફલેટમાં યુવકે શરિરે આગ ચાંપી અગ્નિસ્‍નાન કરી લેતા ચકચાર

vartmanpravah

દાનહમાં મહારાષ્‍ટ્ર જન સેવા સંગઠન દ્વારા એમ્‍બ્‍યુલન્‍સ સેવા શરૂ કરાઈ

vartmanpravah

ઠંડીમાં મીઠી નિંદર માણી રહેલાને વળ્‍યો પરસેવો: પારડી તાલુકા તથા શહેરી વિસ્‍તારમાં વિજીલન્‍સના દરોડા

vartmanpravah

દાદરા નગર હવેલી લેબર વિભાગે ખાનવેલ હાઈસ્‍કૂલમાં યોજેલો રોજગાર મેળો

vartmanpravah

વલસાડ જિલ્લામાં એસ.એસ.સી. બોર્ડની પરીક્ષામાં 13053 વિદ્યાર્થીઓ હાજર અને 579 ગેરહાજર

vartmanpravah

‘વિશ્વ આદિવાસી દિવસ’ નિમિત્તે દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં આયોજીત સમારંભમાં દમણના વરિષ્‍ઠ ભાજપ નેતા વિશાલભાઈ ટંડેલે આપેલું જોશપૂર્ણ ભાષણઃ આદિવાસી સમાજમાં શરૂ થયેલુંશિક્ષણનું ચિંતનઃ ઉજ્જવળ ભવિષ્‍યનું મંથન

vartmanpravah

Leave a Comment