April 29, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણના ‘સ્‍ટેપ અપ ફાઉન્‍ડેશન’ના મોક્ષરથને 6 વર્ષ પૂરા થયા

  • વિવિધ ધર્મના 1 હજારથી વધુ લોકોને આપવામાં આવેલી સેવા

  • જિલ્લાની અન્‍ય સંસ્‍થાઓએ પણ લોકોની મદદ માટે આગળ આવવાની જરૂરઃ વિશાલભાઈ ટંડેલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ,તા.14
દમણના ‘સ્‍ટેપ અપ ફાઉન્‍ડેશને’ વર્ષ 2016માં મૃતકોના અંતિમ સંસ્‍કાર માટે મોક્ષરથ સેવા શરૂ કરી હતી. આજે આ સેવાને 6 વર્ષ પૂર્ણ થયા છે. છેલ્લા 6 વર્ષમાં ‘સ્‍ટેપ અપ ફાઉન્‍ડેશન’ના મોક્ષરથે વિવિધ ધર્મના 1 હજારથી વધુ લોકોની સેવા કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ‘સ્‍ટેપ અપ ફાઉન્‍ડેશન’ના અધ્‍યક્ષ શ્રી વિશાલભાઈ ટંડેલે જણાવ્‍યું હતું કે, ‘સ્‍ટેપ અપ ફાઉન્‍ડેશન’ સંસ્‍થા દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાના હેતુથી વર્ષ 2016માં મોક્ષ રથ સેવા શરૂ કરવામાં આવી હતી. આ સેવા દ્વારા દમણના રહેવાસીઓ અને નજીકના લોકોના પરિવારના સભ્‍યો અને પરિચિતોને વધુ સારી સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. વર્ષ 2022માં આ સેવાને 6 વર્ષ પૂરા થયા છે અને આ દરમિયાન સંસ્‍થાના સભ્‍યોએ આ ઉમદા કાર્ય કરવા માટે પૂરેપૂરો પ્રયાસ કર્યો છે. તેમણે કહ્યું કે કોરોના મહામારીના સમયગાળા દરમિયાન પણ મોક્ષ રથના ડ્રાઈવરો શ્રી જીતેન્‍દ્રભાઈ હળપતિ અને શ્રી બસીમભાઈ પટેલે કોઈપણ ખચકાટ વિના તેમની સેવા ચાલુ રાખી હતી.
‘સ્‍ટેપ અપ ફાઉન્‍ડેશન’ના અધ્‍યક્ષ શ્રી વિશાલભાઈ ટંડેલે વધુમાં જણાવ્‍યું હતું કે, દમણ જિલ્લામાં તેમની સંસ્‍થા દ્વારા એકમાત્ર મોક્ષરથ વાહન સુવિધા ચલાવવામાં આવી રહી છે, જે પૂરતું નથી. તેમણે જણાવ્‍યું હતું કે, જાળવણીનેકારણે કેટલીકવાર મોક્ષરથની સુવિધા અવરોધાય છે, તેથી દમણ જિલ્લાની અન્‍ય સંસ્‍થાઓએ પણ આગળ આવીને મોક્ષરથ જેવી સુવિધા શરૂ કરવી જોઈએ. શ્રી વિશાલભાઈ ટંડેલે જિલ્લાની અન્‍ય ખાનગી સંસ્‍થાઓને મોક્ષરથ જેવી વાહન સુવિધા શરૂ કરીને આ સેવામાં સહયોગ આપવા હાકલ કરી છે.

Related posts

પિપરિયા પર હુમલો, માતૃભૂમિની મુક્‍તિ કાજે લડાઈ લડવા નીકળેલા, શ્રી વિનાયકરાવ આપટેના હાથ નીચે તૈયાર થયેલા આ સો સવાસો યુવાનોનો મોટો ગુણ એ હતો કે પ્રાણની પરવા જેવા શબ્‍દો એમના શબ્‍દકોશમાં જ ન હતા

vartmanpravah

ભારત સરકારના કલા ઉત્‍સવ કાર્યક્રમમાં અભિષેક શાહે રાષ્‍ટ્રીય સ્‍તરે શાસ્ત્રીય ગાયન કૃતિ રજૂ દીવનું વધારેલું ગૌરવ

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા સંવિધાન દિવસના ઉપલક્ષમાં ભારતના બંધારણની પ્રસ્‍તાવનાનું કરાયેલું વાંચન

vartmanpravah

વલસાડ જિલ્લામાં નેશનલ લોક અદાલતમાં 11258 કેસોનો નિકાલ, રૂ. 12. 57કરોડનું સમાધાન કરાયું

vartmanpravah

પડતર માંગણી મુદ્દે વિરોધઃ વલસાડ જિલ્લાના સરકારી કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી

vartmanpravah

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિરુદ્ધ આપત્તીજનક શબ્‍દનો પ્રયોગ કરવા પર ખાનવેલ જિલ્લા ભાજપા દ્વારા અધિર રંજનનું પૂતળાદહન કરાયું

vartmanpravah

Leave a Comment