Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડાના નાનાપોંઢા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વાજતે-ગાજતે નીકળેલી તિરંગા યાત્રા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: આગામી સ્‍વાતંત્ર્ય પર્વને લઈને રાજ્‍ય સરકારે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત મોટા પાયે ઉજવણી કરવાનું આયોજન કર્યું છે. 15 ઓગસ્‍ટ સુધી રાજ્‍યમાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે.
જે અંતર્ગત રાજ્‍યના રાજ્‍યકક્ષાના કાર્યક્રમો જેના ભાગરૂપે તિરંગા યાત્રાનો પ્રારંભ જય અંબે વિદ્યાયલ બાલચોંડીથી કરવામાં આવ્‍યો હતો. પૂર્વ મંત્રી કપરાડા ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરી, એપીએમસી ચેરમેન મુકેશભાઈ પટેલ, રમેશભાઈ ગાંવિત, વિપુલભાઈ ભોયા, મંગુભાઈ ગાંવિત, મગનભાઈ ગાંવિત અગ્રણી આગેવાનોની વિશેષઉપસ્‍થિતિમાં નાનાપોંઢામાં આજે ભવ્‍ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં જય અંબે વિદ્યાયલ બાલચોંડી, સ્‍વામિનારાયણ સ્‍કૂલ નાનાપોંઢા, એન.આર.રાઉત નાનાપોંઢાના શિક્ષકો, વિદ્યાર્થીઓ, તાલુકા ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો સાથે મોટી સંખ્‍યામાં ગ્રામજનો પણ જોડાયા હતા અને આ તિરંગા યાત્રા મુખ્‍ય માર્ગો પર ફરી હતી. વાજતે-ગાજતે 2 થી 3 કિલોમીટર લાંબી તિરંગા યાત્રા નીકળી હતી.
તિરંગા યાત્રા નાનાપોંઢા પહોંચી બિરસા મુંડા સર્કલ પર બિરસા મુંડાની પ્રતિમાને પુષ્‍પાજંલિ અર્પણ કરીને યાત્રા આગળ પ્રસ્‍થાન થયું હતું.

Related posts

ખેરગામ તાલુકામાં રૂા.1025લાખના ખર્ચે રસ્‍તાઓ અને મકાનોના ખાતમુહૂર્ત/લોકાર્પણ કાર્યક્રમ યોજાયા

vartmanpravah

સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં ‘‘વિશ્વ પર્યાવરણ દિવસ” નિમિત્તે  ‘બેસ્‍ટ આઉટ ઓફ વેસ્‍ટ”સ્પર્ધા યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના વિકાસકામોથી મહામહિમ રાષ્‍ટ્રપતિ ખુબ જ પ્રભાવિત

vartmanpravah

દક્ષિણ ગુજરાતના સૌથી મોટા યાર્ડ સુરત APMC ના પ્રમુખ તરીકે સંદીપ દેસાઈની વરણી

vartmanpravah

વાપીમાં યુવા બોર્ડની બેઠક મળી: દરેક તાલુકા-પાલિકા વિસ્‍તારમાં ‘‘સ્‍વામી વિવેકાનંદ વન” અભિયાન હાથ ધરાશે

vartmanpravah

કાગળની થપ્‍પી બનાવી છેતરપીંડી કરનાર ગેંગના બે આરોપીઓની દાનહ પોલીસે કરેલી ધરપકડ

vartmanpravah

Leave a Comment