December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડાના નાનાપોંઢા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વાજતે-ગાજતે નીકળેલી તિરંગા યાત્રા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: આગામી સ્‍વાતંત્ર્ય પર્વને લઈને રાજ્‍ય સરકારે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત મોટા પાયે ઉજવણી કરવાનું આયોજન કર્યું છે. 15 ઓગસ્‍ટ સુધી રાજ્‍યમાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે.
જે અંતર્ગત રાજ્‍યના રાજ્‍યકક્ષાના કાર્યક્રમો જેના ભાગરૂપે તિરંગા યાત્રાનો પ્રારંભ જય અંબે વિદ્યાયલ બાલચોંડીથી કરવામાં આવ્‍યો હતો. પૂર્વ મંત્રી કપરાડા ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરી, એપીએમસી ચેરમેન મુકેશભાઈ પટેલ, રમેશભાઈ ગાંવિત, વિપુલભાઈ ભોયા, મંગુભાઈ ગાંવિત, મગનભાઈ ગાંવિત અગ્રણી આગેવાનોની વિશેષઉપસ્‍થિતિમાં નાનાપોંઢામાં આજે ભવ્‍ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં જય અંબે વિદ્યાયલ બાલચોંડી, સ્‍વામિનારાયણ સ્‍કૂલ નાનાપોંઢા, એન.આર.રાઉત નાનાપોંઢાના શિક્ષકો, વિદ્યાર્થીઓ, તાલુકા ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો સાથે મોટી સંખ્‍યામાં ગ્રામજનો પણ જોડાયા હતા અને આ તિરંગા યાત્રા મુખ્‍ય માર્ગો પર ફરી હતી. વાજતે-ગાજતે 2 થી 3 કિલોમીટર લાંબી તિરંગા યાત્રા નીકળી હતી.
તિરંગા યાત્રા નાનાપોંઢા પહોંચી બિરસા મુંડા સર્કલ પર બિરસા મુંડાની પ્રતિમાને પુષ્‍પાજંલિ અર્પણ કરીને યાત્રા આગળ પ્રસ્‍થાન થયું હતું.

Related posts

વાપી-વલસાડ જિલ્લા અને સંઘપ્રદેશમાં ધો.10-12ની બોર્ડ પરીક્ષાનો આરંભ : કુલ 55832 વિદ્યાર્થી પરીક્ષા આપશે

vartmanpravah

વલસાડ જિલ્લામાં પોષણ અભિયાનની ઉજવણીઃ ગણેશ મંડળોમાં મહિલા લાભાર્થીઓને કરાઈ રહ્યા છે જાગૃત

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે યુ.પી.ના મુખ્‍યમંત્રી યોગી આદિત્‍ય નાથ સાથે કરેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

નવસારી જિલ્લા નિરીક્ષક જમીન દફતરની કચેરીનો સર્વેયર 30 હજારની લાંચ લેતા ઝડપાયો

vartmanpravah

આજે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિવસને ઉજવવા માટે થનગની રહેલો સમસ્‍ત સંઘપ્રદેશ

vartmanpravah

દાનહમાં છેવાડેના ગામોના સેંકડો આદિવાસી યુવાનો-બહેનોએ વિધિવત કરેલો ભાજપમાં પ્રવેશ

vartmanpravah

Leave a Comment