October 21, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડાના નાનાપોંઢા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વાજતે-ગાજતે નીકળેલી તિરંગા યાત્રા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: આગામી સ્‍વાતંત્ર્ય પર્વને લઈને રાજ્‍ય સરકારે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત મોટા પાયે ઉજવણી કરવાનું આયોજન કર્યું છે. 15 ઓગસ્‍ટ સુધી રાજ્‍યમાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે.
જે અંતર્ગત રાજ્‍યના રાજ્‍યકક્ષાના કાર્યક્રમો જેના ભાગરૂપે તિરંગા યાત્રાનો પ્રારંભ જય અંબે વિદ્યાયલ બાલચોંડીથી કરવામાં આવ્‍યો હતો. પૂર્વ મંત્રી કપરાડા ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરી, એપીએમસી ચેરમેન મુકેશભાઈ પટેલ, રમેશભાઈ ગાંવિત, વિપુલભાઈ ભોયા, મંગુભાઈ ગાંવિત, મગનભાઈ ગાંવિત અગ્રણી આગેવાનોની વિશેષઉપસ્‍થિતિમાં નાનાપોંઢામાં આજે ભવ્‍ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં જય અંબે વિદ્યાયલ બાલચોંડી, સ્‍વામિનારાયણ સ્‍કૂલ નાનાપોંઢા, એન.આર.રાઉત નાનાપોંઢાના શિક્ષકો, વિદ્યાર્થીઓ, તાલુકા ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો સાથે મોટી સંખ્‍યામાં ગ્રામજનો પણ જોડાયા હતા અને આ તિરંગા યાત્રા મુખ્‍ય માર્ગો પર ફરી હતી. વાજતે-ગાજતે 2 થી 3 કિલોમીટર લાંબી તિરંગા યાત્રા નીકળી હતી.
તિરંગા યાત્રા નાનાપોંઢા પહોંચી બિરસા મુંડા સર્કલ પર બિરસા મુંડાની પ્રતિમાને પુષ્‍પાજંલિ અર્પણ કરીને યાત્રા આગળ પ્રસ્‍થાન થયું હતું.

Related posts

આજે વાપીમાં યુવા અનાવિલ સંગઠન દ્વારા 40 બટુકોનો યજ્ઞોપવિત સંસ્‍કારનો ભવ્‍ય કાર્યક્રમ યોજાશે

vartmanpravah

ચીખલીના વાંઝણા ગામેથી પોલીસે ત્રણ કેરી ચોરોને ઝડપ્‍યા

vartmanpravah

સરીગામ પંચાયતની મહત્‍વના નિર્ણય માટે મળેલી સામાન્‍ય સભામાં સરપંચના તમામ દાવ નિષ્‍ફળ

vartmanpravah

સલવાવ શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓની સિધ્‍ધિ

vartmanpravah

સેલવાસ સ્‍માર્ટસીટી પ્રોજેક્‍ટ દ્વારા સાયકલ રેલીનું આયોજન કરાયું

vartmanpravah

સાપુતારા નજીક ઘાટમાં મહારાષ્‍ટ્ર એસ.ટી. બસ ખીણમાં ખાબકી : એક મહિલાનું કરુણ મોત

vartmanpravah

Leave a Comment