December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડાના નાનાપોંઢા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વાજતે-ગાજતે નીકળેલી તિરંગા યાત્રા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: આગામી સ્‍વાતંત્ર્ય પર્વને લઈને રાજ્‍ય સરકારે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત મોટા પાયે ઉજવણી કરવાનું આયોજન કર્યું છે. 15 ઓગસ્‍ટ સુધી રાજ્‍યમાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે.
જે અંતર્ગત રાજ્‍યના રાજ્‍યકક્ષાના કાર્યક્રમો જેના ભાગરૂપે તિરંગા યાત્રાનો પ્રારંભ જય અંબે વિદ્યાયલ બાલચોંડીથી કરવામાં આવ્‍યો હતો. પૂર્વ મંત્રી કપરાડા ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરી, એપીએમસી ચેરમેન મુકેશભાઈ પટેલ, રમેશભાઈ ગાંવિત, વિપુલભાઈ ભોયા, મંગુભાઈ ગાંવિત, મગનભાઈ ગાંવિત અગ્રણી આગેવાનોની વિશેષઉપસ્‍થિતિમાં નાનાપોંઢામાં આજે ભવ્‍ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં જય અંબે વિદ્યાયલ બાલચોંડી, સ્‍વામિનારાયણ સ્‍કૂલ નાનાપોંઢા, એન.આર.રાઉત નાનાપોંઢાના શિક્ષકો, વિદ્યાર્થીઓ, તાલુકા ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો સાથે મોટી સંખ્‍યામાં ગ્રામજનો પણ જોડાયા હતા અને આ તિરંગા યાત્રા મુખ્‍ય માર્ગો પર ફરી હતી. વાજતે-ગાજતે 2 થી 3 કિલોમીટર લાંબી તિરંગા યાત્રા નીકળી હતી.
તિરંગા યાત્રા નાનાપોંઢા પહોંચી બિરસા મુંડા સર્કલ પર બિરસા મુંડાની પ્રતિમાને પુષ્‍પાજંલિ અર્પણ કરીને યાત્રા આગળ પ્રસ્‍થાન થયું હતું.

Related posts

વાપી ગુંજનમાં ‘બીટ પ્‍લાસ્‍ટિક પ્રદૂષણ’ થીમ ઉપર સ્‍ટ્રીટ ફોર ઓલનો ભવ્‍ય ઈવેન્‍ટ યોજાયો

vartmanpravah

દાદરા સરકારી હાઈસ્‍કૂલ ખાતે એક્‍ઝિબિશન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલોટી સહિત ચીખલી તાલુકામાં શ્રી હનુમાન દાદાના જન્‍મોત્‍સવની વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે કરાયેલી ઉજવણી

vartmanpravah

ધો.12 સામાન્‍ય પ્રવાહની પરીક્ષામાં વલસાડ જિલ્લાનું પરિણામ 63.16 ટકા, એ-1 ગ્રેડમાં 5 વિદ્યાર્થીઓ

vartmanpravah

વલસાડ જિલ્લાની પ બેઠક પર ઉમેદવારી પત્ર ચકાસણીની પ્રક્રિયામાં 38 ફોર્મ મંજૂર, 21 રદ્‌

vartmanpravah

ભારત રત્‍ન ડો. આંબેડકરના પૌત્ર ભીમરાવના અધ્‍યક્ષ સ્‍થાને મુંબઈમાં ત્રિસુત્ર શતાબ્‍દી મહોત્‍સવ સમારોહ યોજાયો

vartmanpravah

Leave a Comment