Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

ધ્‍વજને આડા-અવળા ના ફેંકતા નોટીફાઈડ વાપી કલેકશન સેન્‍ટરને પહોંચાડવાની જાહેર અપીલ

સરદાર ચોક, અંબામાતા મંદિર અને ચણોદ કોલોનીમાં તિરંગા સ્‍વીકૃતિ સેન્‍ટર કાર્યવિંત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16
આઝાદીના અમૃત મહોત્‍સવ અને હર ઘર તિરંગા અભિયાનને વાપી વિસ્‍તારમાં જબરજસ્‍થ સફળતા મળી છે. રોડ, રસ્‍તા, સોસાયટી, મોલ, દુકાનો, મકાનો અને વાહનો ઉપર તિરંગાને પ્રસ્‍થાપિત કરીને માનવ મહેરામણે હર ઘર તિરંગાની વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીની અપીલને ઝીલીને સર્વત્ર તિરંગાઓ લહેરાવી સફળ અને સાર્થક બનાવી દીધી છે.
તા.13, 14, 15 ઓગસ્‍ટ ત્રણ દિવસ હર ઘર તિરંગા અભિયાન પૂર્ણ થઈ ગયું છે. ત્‍યારેહજારોની સંખ્‍યામાં ફરકાવાયેલ તિરંગાને જ્‍યાં ત્‍યાં ફેકી કે આડા અવળા નિકાલ કરશો તો રાષ્‍ટ્રધ્‍વજનું અપમાન થશે. દેશનું અપમાન થશે. દેશ વિરોધી તત્ત્વો તેવા તિરંગાના વિડીયો કે ફોટા બનાવી વાયરલ કરશે અને એ આ દેશમાં શક્‍ય પણ છે. તેથી વાપી નોટિફાઈડ દ્વારા તિરંગા એકત્રિત કરવા વિવિધ ત્રણ સ્‍થળે કલેકશન સેન્‍ટર સ્‍વિકૃતિ સેન્‍ટર કાર્યકર કર્યા છે. જીઆઈડીસી સરદાર ચોક, અંબામાતા મંદિર અને ચણોદ કોલોનીમાં તૈયાર કરાયેલ તિરંગા સ્‍વિકૃતિ સેન્‍ટરોમાં ઝંડા-તિરંગા પહોંચાડવાની જાહેર અપીલ કરવામાં આવી છે. રાષ્‍ટ્રધ્‍વજ ક્‍યાંય પડેલો દેખાય તો સાચવીને ઘરે રાખજો અથવા તેનો યોગ્‍ય નિકાલ કરશો એજ સાચી દેશ સેવા અને નાગરિક ફરજને અદા કરશો.

Related posts

સેલવાસની એક સંસ્‍થાએ 9 લાખના ખર્ચે તૈયાર કરાયેલ મોક્ષ રથ સેવા શરૂ કરી

vartmanpravah

વાપીના કરવડમાં ધોડિયા પટેલ સમાજના યુવક-યુવતીઓનું મૈત્રી પરિચય સંમેલન યોજાયું

vartmanpravah

ઈન્‍ડો-યુરોપિયન બિઝનેશ ફોરમ દ્વારા આયોજીત લંડનમાં ‘‘ઈન્‍ટરનેશનલ કોન્‍કલેવ ઓન ગુડ ગવર્નન્‍સ-2024”માં સન્‍માનિય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહેવા દમણ-દીવના સાંસદ ઉમેશભાઈ પટેલને મળેલું આમંત્રણ

vartmanpravah

વાપી ચાર રસ્‍તાથી ચણોદ સુધીના રોડની વર્ષો જૂની સમસ્‍યા ચાલુ ચોમાસામાં બેવડાઈ

vartmanpravah

યુઆઇએ દ્વારા નિર્માણાધિન હોસ્પિટલ પ્રોજેક્ટ સ્થળની મંત્રી કનુભાઈ દેસાઈએ કરેલી મુલાકાત

vartmanpravah

પંજાબ: ફિરોજપુરમાં પી.એમ. નરેન્‍દ્ર મોદીની સુરક્ષાની સર્જાયેલી ક્ષતિના વિરોધમાં વલસાડ ભાજપ દ્વારા દેખાવો-સુત્રોચ્‍ચાર કર્યા

vartmanpravah

Leave a Comment