January 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

‘વર્તમાન પ્રવાહ’ના અહેવાલને પગલે તંત્ર જાગ્‍યું: ચીખલી કોલેજ રોડની ડિવાઈડર વચ્‍ચે લગાવે મસમોટા પોસ્‍ટર અને હોર્ડિંગ્‍સ ઉતારી લેવાયા


(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.21: ચીખલી-વાંસદા રાજ્‍યધોરી માર્ગ સ્‍થિત થાલામાં બગલાદેવ સર્કલ પાસેથી ખેરગામ તરફ જતો રાજ્‍યધોરી માર્ગ પર પણ પસાર થાય છે. અને આ સર્કલ પાસે અવાર નવાર ટ્રાફિક પણ સર્જતો હોય છે. તેવામાં હાલે ચીખલીના એક જવેલર્સના દુકાનદારે માર્ગની વચ્‍ચેના ડિવાઈડર પર સર્કલની બન્ને બાજુ લોખંડની ચેનલથી ધણી ઊંચાઈવાળું સ્‍ટ્રક્‍ચર બનાવી પોતાની દુકાનની જાહેરાતના મસમોટા હોર્ડિંગ્‍સ લગાવી દીધા છે. માર્ગ મકાન વિભાગની પરવાનગી વિના સર્કલ બન્નેબાજુના અને ચીખલી કોલેજ સર્કલથી ચીખલી હાઇવે ચાર રસ્‍તા ઓવરબ્રિજ સુધીમાં લાઈટ પોલના થાંભલા ઉપર હોર્ડિંગ્‍સની હારમાળા હતી. અને હાલે ચોમાસાની પણ સિઝન છે. તેવામાં તેજ ગતિથી પવમ ફૂંકાઈ અને આ લોખંડની ચેનલ, હોર્ડિંગ્‍સના કારણે કોઈ જાનહાની થાય તો તે માટે જવાબદાર કોણ ? તેવા અનેક સવાલો ઉભા થવા પામ્‍યા છે.
ઉપરોક્‍ત હકીકત અંગેના અખબારી અહેવાલ બાદ સફાળા જાગેલા માર્ગ મકાન વિભાગના અધિકારીઓએ યુધ્‍ધના ધોરણે રાજ્‍ય ધોરી માર્ગ વચ્‍ચેના ડિવાઈડર ઉપરના તમામ હોર્ડિંગ્‍સ ઉતારી લેવાની કામગીરી હાથ ધરી હતી. જોકે આ હોર્ડિંગ્‍સ જાહેર માર્ગ ઉપર લાગેલા હોવા છતાં સ્‍થાનિક માર્ગ મકાન વિભાગના અધિકારીઓ ગાંધારીની ભૂમિકા ભજવતા હોય તેમ જાહેર હિતને નેવે મૂકી આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હતા. પરંતુ અખબારી અહેવાલ બાદ અધિકારીઓએ સક્રિયતા દાખવતા લોકોને રાહત થવા પામી છે.

જાહેર માર્ગ પર બેનરો નહીં લગાવી શકાય
માર્ગ મકાનના કાર્યપાલક ઈજનેર મનીષભાઈના જણાવ્‍યાનુસાર થાલામાં રાજ્‍ય ધોરી માર્ગ સહિત જાહેર માર્ગ પરના ડિવાઈડર પર હોર્ડિંગ્‍સ દૂર કરવા બાબતે અમે સૂચના આપી છે. અને જાહેર માર્ગ ઉપર આવી રીતે કોઈ હોર્ડિંગ્‍સ કે બેનરો લગાવી શકાતા નથી.

Related posts

રાજ્‍યના પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરીનો પ્રવાસ કાર્યક્રમ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ તા.05: ગુજરાતના કલ્‍પસર, મત્‍સ્‍યોદ્યોગ (સ્‍વતંત્ર હવાલો), નર્મદા, જળસંપત્તિ, અને પાણી પુરવઠા વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રી શ્રી જીતુભાઈ ચૌધરી તા.6/4/2022ના રોજ સવારે 10-00 કલાકે નાનાપોંઢા ખાતે ભાજપના સ્‍થાપના દિનના કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેશે, ત્‍યારબાદ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. તા.7/4/2022 અને તા.8/4/2022ના રોજ અનુラકૂળતાએ તેમના મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. તા.9/4/2022ના રોજ સાંજે 4-00 કલાકે જલારામધામ, ફલધરા ખાતે રામનવમી નિમિત્તે ભવ્‍ય આનંદ મેળામાં હાજરી આપશે, ત્‍યારબાદ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. તા.10/4/2022ના રોજ સવારે 9-00 કલાકે નૂતન વિદ્યાલય ધરાસણા ખાતે ગુજરાત પ્રદેશ અધ્‍યક્ષની ઉપસ્‍થિતિમાં યોજાનારા મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પમાં હાજરી આપશે અને ત્‍યારબાદ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. સાંજે 4-30 કલાકે મહર્ષિ સદ્‌ગુરુ સદાફલ દેવ દંડકવન આશ્રમ, વાંસીયાતળાવ, તા.વાંસદા, જિ.નવસારી ખાતે વિહંગમ યોગસત્‍સંગ સમારોહ અને ધ્‍યાન શિબિરમાં હાજરી આપી અનુકૂળતાએ ગાંધીનગર જવા રવાના થશે

vartmanpravah

ચીખલી કોલેજ સર્કલ નહેર પાસે વિનલ પટેલની હત્‍યામાં ઝડપાયેલ ત્રણેય આરોપીના 11 દિવસના રિમાન્‍ડ

vartmanpravah

સેલવાસના સ્‍કાયહાઇટ્‍સ સોસાયટીના લોકોએ વાઇન શોપનો વિરોધ કર્યો

vartmanpravah

ધરમપુરના નાની ઢોલડુંગરીમાં સ્‍પર્ધાત્‍મક પરીક્ષા પુસ્‍તક અર્પણનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ધરમપુરના હનમતમાળ અને ખાંડાગામથી બે બોગસ તબીબો ઝડપાયા

vartmanpravah

દાનહ અને દમણ-દીવમાં ડેંગ્‍યુના રોગચાળાને કાબુમાં લેવા આરોગ્‍ય વિભાગે શરૂ કરેલા અસરકારક પગલાં

vartmanpravah

Leave a Comment