(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.04: ચીખલી કોલેજ સર્કલ નહેર પાસે વિનલ પટેલની હત્યામાં ઝડપાયેલ ત્રણેય આરોપીના 11 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.
ચીખલી નજીક થાલા નહેર પાસે સોમવારની રાત્રીના સમયે નિવૃત એએસઆઈના પુત્ર વિનલ છીબુભાઈ પટેલ (ઉ.વ-40) ઉપર ત્રણ જેટલા ઈસમોએ પ્રાણ ઘાટક હુમલો કરતા તેનું સારવાર મળે તે પહેલાં જ મોત નીપજ્યું હતું. જ્યારે હુમલો કરી ફરાર થયેલ આરોપીને બીજા દિવસે ઝડપી પાડી ગુરુવારની સવારના સમયે ત્રણેય આરોપીને કોર્ટમાં રજૂ કરી 15-દિવસના રિમાન્ડની માંગણી કરતા કોર્ટે 11-દિવસ એટલે કે 15-મે સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે.
પોલીસે હત્યાનું કારણ જાણવા, હત્યા કરી હથિયાર કયાં ફેંકયા, સ્થળ ઉપરથી કેવી રીતે અને કયાં ફરાર થયા જેવા અનેક સવાલોના જવાબ માટે રિમાન્ડ દરમ્યાન માહિતી મળશે. સાથે અન્યકોઈની પણ સંડોવણી છે કે કેમ એ દિશામાં પણ તપાસ હાથ ધરશે.