April 17, 2026
Vartman Pravah
Breaking Newsદેશ

પેટ્રોલિયમ ટેક્સથી થયેલી ૨૩ લાખ કરોડની કમાણીનો કેન્દ્ર પાસેથી હિસાબ માગ્યો સરકાર જણાવે, જનતાના પૈસા ક્યાં ગયાઃ રાહુલ ગાંધી

(જી.એન.એસ.) નવી દિલ્હી, તા.૦૧

પેટ્રોલ-ડીઝલ અને LPG કિંમતોમાં વધારાને લઈને કોંગ્રેસ, સરકાર પર સતત નિશાન સાધી રહી છે. પાર્ટીની માગ છે કે સરકાર કેટલાંક કર દૂર કરીને આ પ્રોડક્ટના ભાવ ઓછા કરે. આ પહેલાં રાહુલ ગાંધી પેટ્રોલ, ડીઝલ અને રસોઈ ગેસના વધતા ભાવો વિરૂદ્ધ સાયકલ ચલાવી સંસદભવન પહોંચ્યા હતા. મોંઘવારી વિરૂદ્ધ વિપક્ષ અનેક વખત રસ્તાઓ પર ઉતરીને વિરોધ પ્રદર્શનો પણ કર્યા છે. દેશમાં વધી રહેલી મોંઘવારીથી સામાન્ય લોકો પરેશાન છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બુધવારે LPG સિલિન્ડરના વધતા ભાવ અને ડીઝલ-પેટ્રોલના વધતા ભાવને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેઓએ કહ્યું કે સરકારે ઓઈલની કિંમત વધારીને આમ આદમીના ખિસ્સાને સીધું જ નુકસાન પહોંચાડ્યું છે. રાહુલે કહ્યું કે સરકાર જણાવે છે કે GDP વધી છે. આ GDPનો અર્થ તે નથી જે તમે સમજાે છો, GDPનો અર્થ છે ગેસ, ડીઝલ-પેટ્રોલ અને સરકારે છેલ્લાં ૭ વર્ષમાં આ ત્રણ વસ્તુની કિંમત વધારી દીધી છે. સરકારે આ વસ્તુમાંથી ૨૩ લાખ કરોડ રૂપિયાની કમાણી કરી છે. તે પૈસા ક્યાં ગયા. રાહુલ ગાંધીએ કહ્યું કે ૨૦૧૪માં જ્યારે UPAએ ઓફિસ છોડી ત્યારે સિલિન્ડરના ભાવ ૪૧૦ રૂપિયા હતા અને આજે સિલિન્ડરના ભાવ ૮૮૫ રૂપિયા છે. સિલિન્ડરના ભાવમાં ૧૧૬%નો વધારો થયો છે. પેટ્રોલની કિંમતમાં ૨૦૧૪થી ૪૨% અને ડીઝલની કિંમતમાં ૫૫%નો વધારો થયો છે. તેઓએ કહ્યું કે વડાપ્રધાને પહેલાં જ કહ્યું હતું કે ડીમોનેટાઈઝેશન કરી રહ્યો છું અને નાણાં મંત્રી કહે છે કે હું મોનેટાઈઝેશન કરી રહી છું. હકિકતમાં સરકારે ખેડૂતો, મજૂરો, નાના દુકાનદાર, MSME, સેલરીડ ક્લાસ, સરકારી કર્મચારીઓ અને ઈનામદાર ઉદ્યોગપતિઓનું ડીમોનેટાઈઝેશન કર્યું છે. છેલ્લાં ૧૫ દિવસમાં જ બિન-સબસિડીવાળા ન્ઁય્ સિલિન્ડર ૫૦ રૂપિયા મોંઘા થયા છે. આજે જ તેમાં ૨૫ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ પહેલાં પેટ્રોલિયમ કંપનીઓએ ૧૮ ઓગસ્ટે ગેસ સિલિન્ડરની કિંમતોમાં ૨૫ રૂપિયાનો વધારો કર્યો હતો. રાહુલ ગાંધીએ આ મુદ્દે ટ્‌વીટ કરીને સરકાર પર નિશાન સાધ્યું છે. તેઓએ કહ્યું કે જનતાને ભૂખ્યા પેટે રહેવા પર મજબૂર કરનાર પોતે મિત્ર-છાયામાં આરામ કરી રહ્યાં છે, પરંતુ અન્યાય વિરૂદ્ધ દેશ હવે એકજૂથ થઈ રહ્યો છે.

Related posts

વાપી એલ.જી. હરિયા સ્‍કૂલના વિદ્યાર્થીઓ ડ્રોઈંગ સ્‍પર્ધામાં વિજેતા બન્‍યા

vartmanpravah

યુઆઇએ ચૂંટણી જંગમાં યુવા ઇન્‍ડસ્‍ટ્રીયલ ટીમને ટેક્‍સટાઇલ અને ગારમેન્‍ટ્‍સના ઉદ્યોગપતિઓએ જાહેર કરેલું સમર્થન

vartmanpravah

કે.બી.એસ. કોમર્સ એન્‍ડ નટરાજ સાયન્‍સીસ કોલેજ હેન્‍ડબોલમાં ઝળકી

vartmanpravah

અષાઢી બીજના દિવસે સમગ્ર દેશ સહિત સંઘપ્રદેશમાં પણ જય જગન્નાથનો ગુંજેલો નાદ : દાદરા નગર હવેલીના સેલવાસમાં અને દમણમાં ભગવાન જગન્નાથની નિકળેલી ભવ્‍ય રથયાત્રા

vartmanpravah

વલસાડમાં સગીરાએ ઘરમાં ફાંસો ખાઈ આત્‍મહત્‍યા કરી લેતા ચકચાર મચી

vartmanpravah

ઝરોલી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે વનભોજનનુ આયોજન કરાયુ

vartmanpravah

Leave a Comment