June 13, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહના પોર્ટુગલ શાસનથી મુક્‍તિના સંદર્ભમાં લખાયેલ પુસ્‍તક ‘અપ રાઈઝિંગ ધ લીબરેશન ઓફ દાદરા નગર હવેલી’નું નવી દિલ્‍હીમાં વિમોચન કરાયું

પુસ્‍તકના લેખક નિલેશ કુલકર્ણી દાનહના આદિવાસી સ્‍વાતંત્ર્ય સેનાની જતરુબેન ધુમની પૌત્રી રૂચિતા ધુમે સડસડાટ અંગ્રેજી ભાષામાં કરેલી વાતચીત અને તેણી એમ.બી.એ. થઈ વિપ્રો કંપની પૂણેમાં નોકરી કરતી હોવાનું જાણી ખુબ જ પ્રભાવિત થયા 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.28 : દાદરા નગર હવેલીના પોર્ટુગલ શાસનથી મુક્‍તિના સંદર્ભમાં દિલ્‍હીના શ્રી નિલેશ કુલકર્ણી દ્વારા અંગ્રેજીમાં લિખિત પુસ્‍તક ‘અપ રાઈઝિંગ ધ લીબરેશન ઓફ દાદરા નગર હવેલી’ પુસ્‍તકનું વિમોચન આજે ઇન્‍ડિયા ઈન્‍ટરનેશનલ સેન્‍ટર, નવી દિલ્‍હી ખાતે કરવામાં આવ્‍યું હતું. આ પુસ્‍તકના વિમોચન પ્રસંગે પૂણેના વરિષ્‍ઠ સ્‍વાતંત્ર્ય સેનાની શ્રી અરવિંદ માંદોલકર મુખ્‍ય અતિથિ તરીકે અને ડો. સ્‍વપ્‍ના લીડલે વિશેષ અતિથિ તરીકે ઉપસ્‍થિત રહ્યા હતા.
‘અપ રાઈઝિંગ ધ લીબરેશન ઓફ દાદરા નગર હવેલી’ પુસ્‍તકના લેખક શ્રી નિલેશ કુલકર્ણીએ જણાવ્‍યું હતું કે, રેલવે ટ્રેનમાં સહપ્રવાસી તરીકે તેમની મુલાકાત શ્રી અરવિંદ માનોલકર સાથે થઈ હતી અને વાતચીતમાં તેમણેદાદરા નગર હવેલીની મુક્‍તિની બાબતમાં જાણકારી પ્રાપ્ત થઈ અને માહિતીને વધુસ્ત્રોતોથી એકત્રિત કરી આ પુસ્‍તક લખ્‍યું છે. તેમણે પૂણેના સ્‍વયંસેવક અને દાદરા નગર હવેલીની મુક્‍તિ માટે ધન એકત્રિત કરવા મહાન ગાયક લતા મંગેશકર અને મહંમદ રફી દ્વારા પૂણેમાં યોજેલ સંગીત કાર્યક્રમનો વિસ્‍તારથી પુસ્‍તકમાં ઉલ્લેખ કરાયો છે. 
દાદરા નગર હવેલીને આઝાદ કરાવવામાં આદિવાસી સમાજ દ્વારા કરવામાં આવેલ કામને પહેલી વખત લોકોની સામે લાવવામાં આવ્‍યા છે. પોર્ટુગીઝ શાસનના વિરુદ્ધ ઘોડા ઉપર સવાર થઈ આંદોલન કરનારી જતરુબેન ધુમનો ઉલ્લેખ કરતા પુસ્‍તકમાં જણાવ્‍યું છે કે, જતરુબેન જ્‍યાં રહે છે ત્‍યાં જઈ માહિતી એકત્ર કરી રહ્યા હતા ત્‍યારે જતરુબેનની પૌત્રી રૂચિતા ધુમ ત્‍યાં પહોંચી અંગ્રેજીમાં વાતચીત કરી પૂછ્‍યું કે તમે અમારી દાદીની માહિતી માટે આવ્‍યા છો? સડસડાટ અંગ્રેજી ભાષામાં વાતચીત કરતી આદિવાસી યુવતિ રૂચિતા ધુમ સાથે વાતચીત કરી ત્‍યારે સુખદ આヘર્ય થયું કે, રૂચિતા ધુમ એમ.બી.એ. છે અને વિપ્રો કંપની પૂણેમાં નોકરી કરી રહી છે. વિમોચન દરમિયાન મોટી સંખ્‍યામાં લોકોએ ઉપસ્‍થિત રહી વાર્તાલાપમાં પણ ભાગ લીધો હતો. આ પુસ્‍તકની હિન્‍દી આવૃત્તિ માટે પણ કામ ચાલી રહ્યું છે અને તેને સેલવાસથી પ્રકાશિત કરવાનું આયોજન હોવાનીમાહિતી પણ લેખકે આપી હતી.

Related posts

વાપી કેબીએસ કોલેજમાં સ્‍પર્ધાત્‍મક પરીક્ષાનો સેમિનાર યોજાયો

vartmanpravah

દમણ માછી સમાજ દ્વારા આયોજીત શ્રીમદ્‌ દેવી ભાગવત કથાની હવન આહુતિ સાથે કરાયેલી પૂર્ણાહુતિ

vartmanpravah

કિકરલા ખાતે બે મોટર સાયકલ સામ સામે અથડાતા થયો ગંભીર અકસ્‍માત

vartmanpravah

વલસાડ જિલ્લામાં રૂ. 3.33 કરોડના ખર્ચે 18 એમ્બ્યુલન્સનું નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, આદિજાતિ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ અને પાણી પુરવઠા મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરીની ઉપસ્થિતમાં લોકાર્પણ

vartmanpravah

15મી નવેમ્‍બરથી સેલવાસના આમલી ગાયત્રી મંદિર ખાતે શ્રીમદ્‌ ભાગવત કથાનું આયોજન

vartmanpravah

પ્રાથમિક મરાઠી કેન્‍દ્ર શાળા સેલવાસમાં ‘સ્‍પેલિંગ-બી’ સ્‍પર્ધા યોજાઈ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.22 પ્રાથમિક શિક્ષણ વિભાગ દાનહની પાલિકા સંચાલિત મરાઠી કેન્‍દ્ર શાળા સેલવાસ ખાતે ધોરણ1થી 8ના વિદ્યાર્થીઓ માટે ‘સ્‍પેલિંગ-બી’ સ્‍પર્ધાનું આયોજન કરવામા આવ્‍યું હતું. જેમાં વિદ્યાર્થીઓના અંગ્રેજીના શબ્‍દોની ચકાસણી કરવામાં આવી હતી. આ સ્‍પર્ધામાં ધોરણ 1થી 5મા અરૂંધતી રોય ગ્રુપ અને ધોરણ 6થી 8વિલ્‍યમ શેક્‍સપિયર ગ્રુપે પ્રથમ સ્‍થાન પ્રાપ્ત કર્યું હતુ કાર્યક્રમમાં મુખ્‍ય અતિથિ તરીકે હિન્‍દી મીડીયમ શાળાના આચાર્ય બ્રજભૂષણ ઝા અને ગુજરાતી મીડીયમના આચાર્ય કળષ્‍ણાબેન માત્રોજા ઉપસ્‍થિત રહ્યા હતા.

vartmanpravah

Leave a Comment