October 20, 2024
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણ

દમણની વેલનોન ઈન્‍ડસ્‍ટ્રીઝના કર્મીઓને આરોગ્‍ય વિભાગે ડેંગ્‍યુના રોગચાળાને અટકાવવાની બાબતમાં પ્રશિક્ષિત કર્યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.28 : આજે સંઘપ્રદેશના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ દ્વારા દમણની સુપ્રસિદ્ધ વેલનોન પોલીએસ્‍ટર લિમિટેડ, આંટિયાવાડ-દાભેલ ખાતે કર્મીચારીઓને ડેંગ્‍યુના ફેલાવાને રોકવા માટે પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આરોગ્‍ય વિભાગના અધિકારીઓએ ડેંગ્‍યુ રોગચાળા અંગે માહિતી આપતાં જણાવ્‍યું હતું કે, ડેંગ્‍યુના ફેલાવાને રોકવા માટે અમને તમારા સહયોગની જરૂરિયાત છે. ડેંગ્‍યુનો તાવ એકભયંકર બિમારી છે જે મચ્‍છરથી ફેલાય છે. મોટાભાગની કંપનીઓના પરિસરમાં ખાસ કરીને પાણીના ખાબોચિયાં જોવા મળે છે. જે મચ્‍છરો પેદા કરવાનું કારણ બની શકે છે. જેને અટકાવવા માટે આપણે આસપાસના વિસ્‍તારને સાફ રાખવો અને ખાબોચિયામાં પાણીને એકત્ર થવા નહીં દેવું. જૂના ટાયરો, ડબ્‍બાં અને અન્‍ય કન્‍ટેનરોનો નિકાલ કરો અથવા તેને ઉલટા કરીને રાખો. કંપનીમાં કામ કરતા શ્રમિક પૂર્ણ બાંયના શર્ટ અને પેન્‍ટ પહેરે તથા સુવાના સમયે મચ્‍છરદાનીનો ઉપયોગ કરે જેનાથી આ બિમારીથી બચી શકાય છે.
ડેંગ્‍યુના લક્ષણો જણાવતાં આરોગ્‍ય અધિકારીએ જણાવ્‍યું હતું કે, સખત તાવ, શરીરમાં માંસપેશીઓ અને સાંધામાં સખત દુઃખાવો, માથું દુઃખવું, ખાસ કરીને આંખોની પાછળ દુઃખવું, ઉબકા અને ઉલટી થવી, ચામડી ઉપર લાલ ચકામા થવા આ બિમારીના સામાન્‍ય લક્ષણો છે. તેથી કોઈપણ શ્રમિક આ પ્રકારના લક્ષણોથી પીડિત હોય તો તેમને તાત્‍કાલિક નજીકની હોસ્‍પિટલોમાં જઈ લોહીની તપાસ કરાવવી અને પોતે પણ દવા નહીં લો ફક્‍ત પેરાસિટામોલ લઈ શકાય છે. પરંતુ એસ્‍પેરિન અને ઈબુપ્રોફિન નહીં લેવી. કારણ કે દર્દીઓ માટે એસ્‍પેરિન અને ઈબુપ્રોફિન ખતરનાક થઈ શકે છે.
આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગના કર્મચારીઓએ વેલનોન કંપનીના દરેક હાઉસકિપિંગના લોકોનેમચ્‍છર પ્રજનન સ્‍થળોના નાશ કરવાનું પણ પ્રશિક્ષણ આપ્‍યું હતું.

Related posts

વાપી મહેસાણા સેવિંગ એન્‍ડ ક્રેડિટ સોસાયટી લી.ની વાર્ષિક સાધારણ સભા યોજાઈ

vartmanpravah

ઓરવાડ-પરીયા રોડ ઉપર બે વાન સામસામે ભટકાઈ : ચાર ઘાયલ

vartmanpravah

રાજ્‍યના પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરીનો પ્રવાસ કાર્યક્રમ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ તા.05: ગુજરાતના કલ્‍પસર, મત્‍સ્‍યોદ્યોગ (સ્‍વતંત્ર હવાલો), નર્મદા, જળસંપત્તિ, અને પાણી પુરવઠા વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રી શ્રી જીતુભાઈ ચૌધરી તા.6/4/2022ના રોજ સવારે 10-00 કલાકે નાનાપોંઢા ખાતે ભાજપના સ્‍થાપના દિનના કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેશે, ત્‍યારબાદ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. તા.7/4/2022 અને તા.8/4/2022ના રોજ અનુラકૂળતાએ તેમના મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. તા.9/4/2022ના રોજ સાંજે 4-00 કલાકે જલારામધામ, ફલધરા ખાતે રામનવમી નિમિત્તે ભવ્‍ય આનંદ મેળામાં હાજરી આપશે, ત્‍યારબાદ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. તા.10/4/2022ના રોજ સવારે 9-00 કલાકે નૂતન વિદ્યાલય ધરાસણા ખાતે ગુજરાત પ્રદેશ અધ્‍યક્ષની ઉપસ્‍થિતિમાં યોજાનારા મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પમાં હાજરી આપશે અને ત્‍યારબાદ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. સાંજે 4-30 કલાકે મહર્ષિ સદ્‌ગુરુ સદાફલ દેવ દંડકવન આશ્રમ, વાંસીયાતળાવ, તા.વાંસદા, જિ.નવસારી ખાતે વિહંગમ યોગસત્‍સંગ સમારોહ અને ધ્‍યાન શિબિરમાં હાજરી આપી અનુકૂળતાએ ગાંધીનગર જવા રવાના થશે

vartmanpravah

સીઈઓની કારણદર્શક નોટિસ : દાનહઃ ખરડપાડા ગ્રા.પં.ના ૬ જેટલા સભ્યોનું સભ્યપદ શા માટે રદ્ નહીં કરવું?

vartmanpravah

દમણ જિલ્લાની પરિયારી શાળામાં યોજાયો પ્રવેશોત્‍સવ શિક્ષણના સિલેબસથી નહીં, સંસ્‍કારના નિર્માણથી ઉત્તમ નાગરિકનું સર્જન થાય છેઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબક્‍યોઃ મધુબન ડેમના છ દરવાજા અડધો મીટર ખોલાયા

vartmanpravah

Leave a Comment