September 1, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવ

દમણ માછી સમાજ દ્વારા આયોજીત શ્રીમદ્‌ દેવી ભાગવત કથાની હવન આહુતિ સાથે કરાયેલી પૂર્ણાહુતિ

  • શ્રીમદ્‌ દેવી ભાગવત સાંભળીને દરેકના દુઃખ દૂર થાય છેઃ ભાગવતાચાર્ય મીરાબેન ભટ્ટ
  • માછી સમાજના કુલગુરૂ મહંત ગોપાલદાસજી મહારાજ સાથે દમણ-દીવના પૂર્વ સાંસદ ગોપાલ દાદાએ માતાજીની આરતી ઉતારી મેળવેલા આશીર્વાદ

દમણ,તા.03 : શ્રી માછી મહાજન સમાજ, દમણ દ્વારા શ્રી સત્‍યનારાયણ મંદિરમાં ગત 26 જાન્‍યુઆરીથી ચાલી રહેલી શ્રીમદ્‌ દેવી ભાગવત કથાનું આજે શુક્રવારે હવન અને ભંડારા સાથે પઠન કરવામાં આવ્‍યું હતું. હવન બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્‍યું હતું, જેનો સેંકડો ભક્‍તોએ લ્‍હાવો લીધો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર શ્રી માછી મહાજન સમાજ, દમણ દ્વારા શ્રી સત્‍યનારાયણ મંદિર ખાતે 26 જાન્‍યુઆરીથી 3 ફેબ્રુઆરી સુધી ભગવતાચાર્ય મીરાબેન ભટ્ટ દ્વારા ભક્‍તોને શ્રીમદ્‌ દેવી ભાગવત કથાનું રસપાન કરાવવામાં આવ્‍યું હતું. અંતિમ દિવસે ભાગવતાચાર્ય મીરાબેન ભટ્ટે કથાનું વર્ણન કરતાં જણાવ્‍યું હતું કે નવ દિવસ સુધી શ્રીમદ્‌ દેવી ભાગવત કથાનું શ્રવણકરવાથી ભક્‍તોના તમામ દુઃખ દૂર થાય છે. તેમણે કહ્યું કે વર્ષમાં ચાર નવરાત્રિ તહેવારો આવે છે, પરંતુ બે ગુપ્ત નવરાત્રિનું પોતાનું મહત્‍વ છે. મોટી વાત એ છે કે ગુપ્ત નવરાત્રિ પર હિંદુ સંસ્‍કૃતિના તમામ કાર્યો જેમ કે લગ્ન, ગ્રહ પ્રવેશ વગેરે શરૂ થાય છે. જ્‍યારે બીજી બે નવરાત્રિમાં નહીં. ગુપ્ત નવરાત્રિમાં દેવીની વાર્તામાં તમામ ઊંડા રહસ્‍યો છુપાયેલા છે. હિંદુ ધર્મના લોકોએ આનાથી જાણવું જરૂરી છે.
ભગવતાચાર્ય મીરાબેન ભટ્ટે માઁ દુર્ગાનો મહિમા જણાવ્‍યો હતો અને માઁ દુર્ગાના વિવિધ સ્‍વરૂપોનું પણ વિગતે વર્ણન કર્યું હતું. કથામાં સંગીતમય ભજનોની આકર્ષક રજૂઆત કરવામાં આવી હતી. ખીચોખીચ ભરેલા કથામંડપમાં ભક્‍તો ભજનના તાલે જોરદાર ઝૂમ્‍યા હતા. માતાજીના મંત્રોચ્‍ચાર, કીર્તન અને ભજનો વચ્‍ચે સમગ્ર વિસ્‍તાર ભક્‍તિ રસમાં તરબોળ થઈ ગયો હતો. શુક્રવારે શ્રીમદ્‌ દેવી ભાગવત કથાનું સમાપન કરવામાં આવ્‍યુ હતું. કથાનું શ્રવણ કરી સેંકડો ભાવિકોએ મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો.
આજે શ્રીમદ્‌ દેવી ભાગવત કથાના સમાપન દરમિયાન માછી સમાજના કુલગુરૂ મહંત શ્રી ગોપાલદાસજી મહારાજ સહિત દમણ-દીવના પૂર્વ સાંસદ શ્રી ગોપાલભાઈ ટંડેલ(દાદા), માછી સમાજના અગ્રણીઓ ઉપસ્‍થિત રહી આરતી ઉતારી માઁ દુર્ગાના આશીર્વાદ લીધા હતા.

Related posts

દમણઃ દુણેઠા ડમ્‍પિંગ સાઈટ પર કાર્યરત ડમ્‍પરની અડફેટમાં શ્રમિકનું બાળક આવતાં મોત

vartmanpravah

વલસાડ જિલ્લા તંત્રના ભેદી મૌનથી છેવટે સેલવાસ ન.પા. દ્વારા જ પીપરિયા બ્રિજની આજુબાજુ ખડકાયેલા ગંદકીના ડુંગરને દૂર કરાયા

vartmanpravah

ફડવેલ પ્રાથમિક શાળાના ઓરડાના બાંધકામમાં નબળી ગુણવત્તાની ફરિયાદ ઉઠતા જિ.પં. સભ્‍ય અને સ્‍થાનિકોએ ડીપીઈઓને કરેલી જાણ

vartmanpravah

દાનહ જિ.પં.ની સામાન્‍ય સભામાં શાસક પાંખે ગ્રામ્‍ય વિસ્‍તારોમાં કામો નહી થઈ રહ્યા હોવાનો કરેલો સ્‍વીકાર

vartmanpravah

વાપી જીઆઈડીસી ક્રિએટીવ ટેક્‍સટાઈલની પોલ ખુલી : દિવાલ ધસી પડતા સ્‍ટોક કરાયેલ વેસ્‍ટ બહાર ડોકાયો?

vartmanpravah

કોર્ટ કમ્‍પાઉન્‍ડની દિવાલને લાગુ જગ્‍યામાં વકીલ અને પક્ષકારો માટેના ‘પાર્કિંગ ઝોન’ની મુદત લંબાવાઈ

vartmanpravah

Leave a Comment