March 3, 2026
Vartman Pravah
Breaking NewsOtherઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડવાપીસેલવાસ

15મી નવેમ્‍બરથી સેલવાસના આમલી ગાયત્રી મંદિર ખાતે શ્રીમદ્‌ ભાગવત કથાનું આયોજન

શ્રીમદ્‌ ભાગવત કથાનો લાભ લેવા માટે ભાવિક ભક્‍તોને જાહેર આમંત્રણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.07 : સેલવાસના આમલી વિસ્‍તારમાં આવેલ ગાયત્રી મંદિર ખાતે ગરીબ-અનાથ કન્‍યાઓ માટે કન્‍યાદાન સહાય અર્થે તેમજ સમસ્‍ત પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ્‌ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્‍યું છે. પ્રખર ભાગવતાચાર્ય અને વક્‍તા પૂજ્‍ય શ્રીદેવુભાઈ જોષી (ખેરગામવાળા) તેમની મધુર વાણીમાં શ્રીમદ્‌ ભાગવત કથાનું રસપાન કરાવશે.
શ્રીમદ્‌ ભાગવત કથાનો શુભારંભ તા.15મી નવેમ્‍બર, 2024 કરાશે જે 21મી નવેમ્‍બર, 2024 સુધી દરરોજ ચાલશે. કથાનો સમય બપોરે 2:00 વાગ્‍યાથી સાંજના 5:00 વાગ્‍યાનો રહેશે. કથાના શુભારંભ પહેલાં પોથીયાત્રા શ્રી હેમંતભાઈ સુર્યકાંતભાઈ પટેલ-સરસ્‍વતી ચોક,ગાયત્રી મંદિરની બાજુમાં, આમલી- સેલવાસના નિવાસસ્‍થાનેથી બપોરે બે વાગ્‍યે નીકળશે અને કથા સ્‍થળે પહોંચશે.
આયોજકો દ્વારા આ શ્રીમદ્‌ ભાગવત કથાનો લાભ લેવા માટે ભાવિક ભક્‍તોને જાહેર આમંત્રણ આપવામાં આવ્‍યું છે.

Related posts

વલસાડ ભોમા પારડી-કાંજણ રણછોડ ગામે વહેતી વાંકી નદીમાં કાર પસાર કરવી ભારે પડી : કારે જળ સમાધી લીધી

vartmanpravah

પારડી નગરપાલિકા દ્વારા ઢોર પકડવાનું અભિયાન શરૂ: સાત જેટલા ઢોરો પકડી ડુંગળી ગૌશાળા ખાતે લઈ જવાયા

vartmanpravah

વલસાડ જિલ્લાના મુખ્ય રસ્તા, બિલ્ડિંગની આગળ-પાછળ, પાર્કિંગ તેમજ એન્ટ્રી-એક્ઝિટ પર સીસીટીવી કેમેરા લગાવવા જિલ્લા મેજિસ્ટ્રેટનો હુકમ

vartmanpravah

વલસાડના પારનેરામાં રામ નવમી નિમિત્તે નિકળેલી ભવ્‍ય શોભાયાત્રા

vartmanpravah

ઓલપાડમાં ઈન્‍ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે નગીનભાઈ પટેલની નિમણૂક

vartmanpravah

દાનહઃ સરકારી શાળાના શિક્ષકો દ્વારા ખાનગી ટયુશન ચલાવવા બાબતે શિક્ષણ સચિવને કરેલી ફરિયાદ

vartmanpravah

Leave a Comment