Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

દાઉદી વ્‍હોરા સમાજના ધર્મગુરુ મુફદ્દલ સૈફુદ્દીન સૈયદ રાત્રે વાપી સ્‍ટેશનથી પસાર થવાના હોવાથી લોકો ઉમટી પડયા

ધર્મગુરુના દીદાર કરવા માટે વાપી, દમણ, સેલવાસ, ઉમરગામના દાઉદી વ્‍હોરા સમાજના લોકો ઉમટી પડેલા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01: વોરા સમાજના ધર્મગુરુ મુફદ્દલ સૈફુદ્દીન સૈયદના સાહેબ ટ્રેન મારફતે વાપી સ્‍ટેશનથી પસાર થવાના હોવાથી શનિવારે રાતે હજારોની સંખ્‍યામાં દાઉદી વ્‍હોરા સમાજના લોકો પ્‍લેટફોર્મ ઉપર ધર્મગુરુના દીદાર કરવા ઉમટી પડયા હતા.
દાઉદી વ્‍હોરા સમાજ સમુદાય સામાન્‍ય રીતે શિક્ષિત, મહેનતુ અને વેપારી હોવાથી સમૃધ્‍ધ છે. સાથે આધુનિક જીવનશૈલી ધરાવે છે. તેઓ ધર્મભેરુ સમુદાય તરીકે ઓળખાય છે. હાલના 53મા ધર્મગુરુ તરીકે મુફદ્દલ સૈફુદ્દીન સૈયદના છે. તેઓ વાપી સ્‍ટેશનથી પસાર થવાની જાણ થતા વાપી, દમણ, સેલવાસ, ઉમરગામના હજારો દાઉદી વ્‍હોરા સમાજના લોકો વાપી રેલવે સ્‍ટેશને શનિવારે રાત્રે ઉમટી પડયા હતા. પોતાના ધર્મગુરુના દિદાર કરી આશીર્વાદ મેળવ્‍યા હતા. મૌલાના દમણ પધરામણી કરે તેવી ઈચ્‍છા વ્‍યક્‍ત કરી હતી. ધર્મગુરુ વાપીમાં ફક્‍ત 2 મિનિટ રોકાયા હતા.

Related posts

ચીખલીના જાણીતા તબીબ હોસ્‍પિટલ ગયા બાદ પરત ઘરે નહી ફરતા પોલીસે જાણવા જોગ ફરિયાદ નોંધી હાથ ધરેલી તપાસ

vartmanpravah

લોરેન્‍સ બિશ્‍નોઈના માથા માટે 11 લાખનું ઈનામ જાહેર કરનાર કરણી સેનાના અધ્‍યક્ષ ડો.રાજ શેખાવત વાપીમાં

vartmanpravah

અબ્રામાથી વાપી આલોક કંપનીના કર્મચારીઓ ભરેલી બસને વલસાડ હાઈવે ઉપર નડેલો અકસ્‍માત

vartmanpravah

કેન્‍દ્રમાં સંપૂર્ણ બહુમતિ સાથેની ભાજપ સરકાર હોવાથી દાનહ પેટા ચૂંટણીમાં પણ ભાજપની ટિકિટ મેળવનાર ભાગ્‍યશાળી રહેશે

vartmanpravah

વલસાડમાં કર્નલ સી.કે. નાયડુ ટ્રોફી મેચમાં મુંબઈને 191રને હરાવી ગુજરાતની ટીમ ચેમ્‍પિયન બની

vartmanpravah

દાનહ-નરોલીની કંપનીના રૂમમાં કર્મચારીને એટેક આવતા સારવાર દરમ્‍યાન મોત

vartmanpravah

Leave a Comment