April 19, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી સંત સેના મહારાજ મરાઠી નાભિક સમાજ દ્વારા મહારાજની પુણ્‍યતિથિએ ‘પુણ્‍યસ્‍મરણ સમારોહ’ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.01: શ્રી સંત સેના મહારાજ મરાઠી નાભિક સમાજ સેલવાસ દ્વારા સામરવરણી પંચાયત હોલ ખાતે શ્રી સંત સેના મહારાજ પુણ્‍યતિથિ પર સ્‍નેહમિલન અને મહારાજના ‘પુણ્‍યસ્‍મરણ સમારોહ’નું આયોજન કરવામા આવ્‍યુ હતું.
કાર્યક્રમનો શુભારંભ દીપ પ્રાગટ્‍ય કરીને કરવામાં આવ્‍યો હતો. બાદમાં સત્‍યનારાયણ કથા અને ભજન મંડળનો કાર્યક્રમ, શ્રી સંત સેના મહારાજની પ્રતિમા પૂજન અને આરતી કરવામાં આવી હતી. ત્‍યારબાદ સ્‍નેહમિલન કાર્યક્રમ દરમ્‍યાન કમિટી પ્રમુખ અને ઉપસ્‍થિત મહેમાનોના હસ્‍તે ઉત્‍કૃષ્‍ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. આ અવસરે શ્રી સંતસેના મહારાજ મરાઠી નાભિક કમિટીના અધ્‍યક્ષ શ્રી દિલીપ પવાર, ઉપાધ્‍યક્ષ શ્રી રાજુ ક્ષીરસાગર, પૂર્વ અધ્‍યક્ષ શ્રી નિતિન સોનગડે, ખજાનચી શ્રી પ્રવીણ અહીર, સેક્રેટરી શ્રી ગણેશ ગંગે સહિત સમાજના પુરૂષ અને મહિલા સભ્‍યો તેમજ બાળકો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સેલવાસ નગરપાલિકા દ્વારા રસ્‍તાને નડતરરૂપ ગેરકાયદેસર બાંધકામોને દૂર કરાશે

vartmanpravah

સેલવાસ નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર બાંધકામોનું ડિમોલિશન કરાયું

vartmanpravah

આઝાદીના વર્ષો વીત્‍યાં પરંતુ નવ નિર્માણ માટે વલખાં: ચીખલી તાલુકાના દોણજા ગામે હાથીનગર સ્‍થિત કાવેરી નદી પરના લો-લેવલ ડુબાઉ કોઝ-વેના સ્‍થાને નવા પુલના નિર્માણની સ્‍થાનિકોમાં ઉઠેલી પ્રબળ માંગ

vartmanpravah

ચીમલા ગામે રાત્રિના સમયે દીપડો લટાર મારતો હોવાના સીસીટીવી ફૂટેજ વાયરલ થતા સ્‍થાનિકોમાં ભયનો માહોલ

vartmanpravah

શનિવારે દાનહના માંદોની અને દાદરામાં યોજાનારી રેવન્‍યુ શિબિર

vartmanpravah

વલસાડ જિલ્લા ભાજપના મહામંત્રી હોવાનો વટ બતાવી વાપી બગવાડા સ્‍થિત શુભમ ગ્રીન સીટીના બિલ્‍ડરે સોસાયટીના રહેવાસીઓ સાથે કરેલી છેતરપિંડીઃ મામલતદારને પણ ગુમરાહ કર્યા

vartmanpravah

Leave a Comment