April 18, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દાનહ આરોગ્‍ય વિભાગ દ્વારા 0 થી 5 વર્ષના બાળકોને રવિવારના દિને પોલિયોના ટીપાં પીવડાવવામાં આવ્‍યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.27
ભારત સરકારે પલ્‍સ પોલિયો પ્રતિરક્ષણ દિવસ તરીકે ઘોષિત કરવામા આવ્‍યો હતો. આઠ વર્ષથી દેશમા પોલિયોની શૂન્‍યની ઉપલબ્‍ધી બનાવી રાખી છે,પોલિયોના એક વિષાણુથી થતી બીમારી છે, જમાં પીડિત બાળક આખી જિંદગી માટે અપંગ બની જાય છે,
દર વખતની જેમ આ વર્ષે પણ દરેક 0 થી 5 વર્ષના બાળકોને બે ટીપા પોલિયો પીવડાવવામા આવ્‍યા હતા, ચિકિત્‍સા અને આરોગ્‍ય વિભાગ દાનહએ શહેરી અને ગ્રામીણ ક્ષેત્રમાં સો ટકા કવર કરવા માટે 330 બુથ,13 મોબાઈલ ટીમ અને 6 પારગમન ટીમોની પસંદગી કરવામા આવી હતી. દરેક બાળકને કવર કરવા માટે પારગમન દળ મુખ્‍ય સાર્વજનિક વિસ્‍તાર જેવા કે એસટી બસ સ્‍ટેન્‍ડ, બજાર, મેળા જેવા સ્‍થળ પર જશે, દરેક પોલિયો બુથ પર રવિવારના રોજ સવારે 8:00 વાગ્‍યાથી સાંજે 5:00 વાગ્‍યા સુધી ચાલુરાખવામા આવ્‍યું હતુ઼.
જેમા 36356 બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામા આવ્‍યા હતા. પ્રદેશમા 80 ટકા બાળકોને કવર કરવામા આવ્‍યા છે. આરોગ્‍ય વિભાગ સાથે સ્‍વયંસેવકો અને એનજીઓને પણ ટીકાકરણ દિવસે સો ટકા કવરેજ સુનિヘતિ કરવા માટે સામેલ કરવામા આવ્‍યા હતા.

Related posts

વાપી યુપીએલ લિમિટેડ કંપની ખાતે યુપીએલ અને રોટરી કલબ ઓફ વાપીના સંયુક્‍ત ઉપક્રમે રક્‍તદાન કેમ્‍પ યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશના ગ્રામ્‍ય વિકાસ વિભાગના સચિવ તરીકે ગૌરવ સિંહ રાજાવતે ગ્રામજનોમાં પેદા કરેલો આત્‍મિય ભાવ

vartmanpravah

સંઘપ્રદેશમાં રખડતા ઢોરોના ત્રાસને દુર કરવા પ્રશાસન દ્વારા ભરાનારા ચાંપતા પગલાં

vartmanpravah

દમણ-દીવ રાષ્‍ટ્રીય લોક અદાલતમાં 36 કેસોનું સમાધાન : રૂા.1.49 કરોડનું સેટલમેન્‍ટ

vartmanpravah

ભારત સરકારના હાઉસીંગ એન્‍ડ અર્બન મંત્રાલયદ્વારા સેલવાસ નગર પાલિકાને સોલીડ વેસ્‍ટના પ્રબંધનમાં મળેલો ત્રીજો નંબર

vartmanpravah

ભીલાડની બ્રાઈટ ફયુચર ઈંગ્‍લિશ મિડિયમ સ્‍કૂલમાં વર્ષ 2022-2023નો વાર્ષિક મહોત્‍સવ ‘‘સ્‍ટેજિસ ઓફ લાઈફ” ઉજવાયો

vartmanpravah

Leave a Comment