October 21, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી સંત સેના મહારાજ મરાઠી નાભિક સમાજ દ્વારા મહારાજની પુણ્‍યતિથિએ ‘પુણ્‍યસ્‍મરણ સમારોહ’ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.01: શ્રી સંત સેના મહારાજ મરાઠી નાભિક સમાજ સેલવાસ દ્વારા સામરવરણી પંચાયત હોલ ખાતે શ્રી સંત સેના મહારાજ પુણ્‍યતિથિ પર સ્‍નેહમિલન અને મહારાજના ‘પુણ્‍યસ્‍મરણ સમારોહ’નું આયોજન કરવામા આવ્‍યુ હતું.
કાર્યક્રમનો શુભારંભ દીપ પ્રાગટ્‍ય કરીને કરવામાં આવ્‍યો હતો. બાદમાં સત્‍યનારાયણ કથા અને ભજન મંડળનો કાર્યક્રમ, શ્રી સંત સેના મહારાજની પ્રતિમા પૂજન અને આરતી કરવામાં આવી હતી. ત્‍યારબાદ સ્‍નેહમિલન કાર્યક્રમ દરમ્‍યાન કમિટી પ્રમુખ અને ઉપસ્‍થિત મહેમાનોના હસ્‍તે ઉત્‍કૃષ્‍ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. આ અવસરે શ્રી સંતસેના મહારાજ મરાઠી નાભિક કમિટીના અધ્‍યક્ષ શ્રી દિલીપ પવાર, ઉપાધ્‍યક્ષ શ્રી રાજુ ક્ષીરસાગર, પૂર્વ અધ્‍યક્ષ શ્રી નિતિન સોનગડે, ખજાનચી શ્રી પ્રવીણ અહીર, સેક્રેટરી શ્રી ગણેશ ગંગે સહિત સમાજના પુરૂષ અને મહિલા સભ્‍યો તેમજ બાળકો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

કપરાડા તાલુકાના સુખાલા ગામે જરૂરિયાતમંદ પરિવારની પડખે સ્‍વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવ

vartmanpravah

દેહરી પંચાયતે એમ્‍બ્‍યુલન્‍સની ઉપલબ્‍ધ કરેલી સુવિધા અને પીવાના શુદ્ધ પાણી માટે આર ઓ પ્‍લાન્‍ટની કામગીરીનું કરેલું ખાતમુહૂર્ત : દેહરીવાસીઓમાં આનંદની લાગણી

vartmanpravah

ઉત્તર ગુજરાત માટે રેલવેની દિવાળી ભેટ : વલસાડ-વડનગર ઈન્‍ટરસીટી નવી ટ્રેન શરૂ

vartmanpravah

સેલવાસના ગુલાબભાઈ રોહિતે 6ઠ્ઠા ICMRLGI-2023 વૈશ્વિક સંમેલનમાં આપ્‍યો નવો શિક્ષણ સિદ્ધાંત

vartmanpravah

વલસાડ નેશનલ હાઈવે ધરમપુર ચોકડી પાસે વાંકી નદીના પુલ ઉપરનો હાઈવે બંધ કરાયો

vartmanpravah

દમણ જિ.પં.ના નવનિયુક્‍ત પ્રમુખ જાગૃતિબેન પટેલે કરેલી આવકારદાયક પહેલઃ વિવિધ પંચાયતોનું શરૂ કરેલું રૂબરૂ નિરીક્ષણ

vartmanpravah

Leave a Comment