(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.06
દાદરા નગર હવેલીને આઝાદ થયાને છ દસક બાદ પણ કેટલાક ગામોમાં રસ્તાઓ હજી કાચા જ જોવા મળે છે. જેના કારણે ચોમાસા દરમિયાન ગ્રામજનોને ઘણી જ તકલીફોનો સામનો કરવા પડી રહ્યો છે. કિલવણી ગામના રાનપાડામાં પણ કંઈક આવી જ પરિસ્થિતિ જોવા મળે છે. હાલના દિવસોમાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ગામનો જે કાચો રસ્તો છે એના પર કાદવ-કિચ્ચડ જોવા મળી રહ્યો છે. આવા કાદવવાળા રસ્તાને કારણે વાહનો ચલાવવામાં તકલીફો પડી રહી છે. ચોમાસાના ચાર મહિના દરમ્યાન જો કોઈ વ્યક્તિ બીમાર પડે તો 108 એમ્બ્યુલન્સ પણ આવી શકતી નથી. ગ્રામજનો હાલમાં તો રસ્તા પરના કાદવને હટાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ જ્યારે વરસાદ પડે ત્યારે ફરી જૈસે થે જેવી હાલત થઈ જાય છે. આ રસ્તાને પાકો બનાવવા માટે જિલ્લા પંચાયતના સભ્ય તેમજ અધિકારીઓને પણ રજૂઆતો કરવામાં આવી છે પરંતુ આજદિન સુધી કોઈ જ ઉકેલ આવ્યો નથી.
Previous post