Vartman Pravah
Breaking Newsવલસાડ

ઘોર લાપરવાહી…. ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં આદિવાસી સમાજની બહેનને ઍક્સપાયરી તારીખવાળો ગ્લુકોઝનો બોટલ ચઢાવાયો

આદિવાસી ઍકતા પરિસદ પ્રમુખ કમલેશભાઈના નેજા હેઠળ જિલ્લા કલેકટર વલસાડને ધરમપુર તાલુકા વિકાસ આધિકારી મારફત આવેદન પત્ર આપી રજૂઆત કરાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ધરમપુર, તા.૦૨
આજરોજ ધરમપુર ખાતે ગઈકાલે જે ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં આદિવાસી સમાજની બહેનને ઍક્સપાયરી તારીખ વાળો ગ્લુકોઝનો બોટલ ચડાવવમાં આવ્યો હતો અને આ ઘટનાને લાગતા સ્ટાફે ફક્ત માફી માંગી લઈ ભીનું સકેલી લીધું હતું.
જેમના પર શિક્ષાત્મક પગલાં લેવા તેમજ જરૂરી તપાસ કરવા માટે ધરમપુર સમસ્ત આદિવાસી સમાજ દ્વારા આદિવાસી ઍકતા પરિસદ પ્રમુખ શ્રી કમલેશભાઈના નેજા હેઠળ કલેકટર શ્રી વલસાડને ધરમપુર તાલુકા વિકાસ આધિકારી શ્રી મારફત આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
જ્યાં મોટીઢોલ ડુંગરી સરપંચશ્રી નવીનભાઈ, ભાવડા સરપંચશ્રી રમેશભાઈ, આવધા સરપંચ શ્રી રંજીતભાઈ, સરપંચ શ્રી સોમાભાઈ, શ્રી હાર્દિકભાઈ કાનુરબરડા, શ્રી મેહુલભાઈ બીલપુડી, શ્રી જયદીપભાઈ ખારવેલ, શ્રી વિનોદભાઈ સાવરમાળ અને આદિવાસી સમાજની હકની લડાઈ લડતા યોદ્ધાઓ હાજર રહ્ના હતા.

Related posts

નાણાં મંત્રી કનુભાઇ દેસાઇના હસ્‍તે પારડી નગરપાલિકા વિસ્‍તારમાં રૂા.૪૩૧.૯૪ લાખના ખર્ચે ચાર વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ મુજબ  દાનહ જિલ્લા પ્રશાસને સીલી ચોકીપાડામાં સરકારી જમીન ઉપરના ગેરકાયદેસર દબાણો ઉપર ફેરવેલું બુલડોઝર

vartmanpravah

રવિવારે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ પેડેસ્‍ટ્રીયલ બ્રિજ પાસે ચિલ્‍ડ્રન મેમોરિયલ પાર્કનું લોકાર્પણ કરશે

vartmanpravah

સંઘપ્રદેશની કાયાપલટ કરી વિકસિત પ્રદેશ બનાવવા રાત-દિવસ મહેનત કરનારા પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિને શુભકામના પાઠવવા શુભેચ્‍છકોની લાગેલી લાંબી કતાર

vartmanpravah

જિલ્લા કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવે જારી કરેલો આદેશ નાની દમણ સમુદ્ર નારાયણ મંદિર જેટીથી દેવકા પ્રિન્‍સેસ પાર્ક સુધીનો બીચ રોડ વાહન અને રાહદારીઓની અવર-જવર માટે બંધ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા. 13 નાની દમણના સમુદ્ર નારાયણ મંદિર જેટીથી હોટલ પ્રિન્‍સેસ પાર્ક દેવકા સુધીના રોડને વાહનો તથા રાહદારીઓની અવર-જવર માટે બીજો આદેશ જારી નહીં થાય ત્‍યાં સુધી બંધ કરવાનો આદેશ સીઆરપીસીની 144 કલમ અંતર્ગત દમણના કલેક્‍ટર અને જિલ્લા મેજીસ્‍ટ્રેટ ડોક્‍ટર તપસ્‍યા રાઘવે જારી કર્યો છે. સમુદ્ર નારાયણ મંદિરથી પ્રિન્‍સેસ પાર્ક દેવકા સુધીના બીચ રોડ ઉપર વાહનો અને રાહદારીઓની અવર-જવરના કારણે એજન્‍સી દ્વારા ચાલી રહેલા કામોમાં અવરોધ આવવાની સાથે સલામતિનો પણ પ્રશ્ન ઉપસ્‍થિત થઈ રહ્યો છે, તેથી આ રસ્‍તાને સંપૂર્ણ રીતે અવર-જવર માટેબંધ કરવાનો આદેશ કરવામાં આવ્‍યો છે.

vartmanpravah

નવસારી અને સુરતના કાઉન્‍સિલરને સારી કામગીરી બદલ અભયમ ટીમ દ્વારા સન્‍માનિત કરાયા

vartmanpravah

Leave a Comment