August 31, 2026
Vartman Pravah
ઉમરગામગુજરાત

આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી રમણલાલ પાટકરના હસ્તે ઝ઼ઞ્સ્ઘ્ન્ની સોળસુંબા સબ ડિવિઝન કચેરીનું લોકાર્પણ કરાયું

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ તા.૦૨ઃ વલસાડ જિલ્લાના ડી.જી.વી.સી.ઍલ. સબ ડિવિઝન ઉમરગામનું વિભાજન કરી સોળસુંબા સબ ડિવિઝન કચેરી અલગ કરાતા તેની નવી કચેરીનું લોકાર્પણ વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજયકક્ષાના મંત્રી રમણલાલ પાટકરના હસ્તે કરાયું હતું.
આ અવસરે મંત્રી શ્રી રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે, વીજ કંપની દ્વારા ઉદ્યોગો, રહેણાંક, ખેતીવાડી વગેરે માટે વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે, ત્યારે ઉમરગામમાંથી સોળસુંબા ડિવિઝન છૂટું પડવાથી ગ્રહકોને વધુ સારી સેવાઅો મળી રહેશે. ઉમરગામ વીજ કંપની દ્વારા ઉદ્યોગો અને ઘર વપરાશના ગ્રાહકોની વિશેષ કાળજી લેવામાં આવે છે, જેના થકી ફરિયાદોનું નિવારણ ઝડપી બન્યું છે. જ્યોતિગ્રામ અને ખેતીવાડી ફીડર અલગ હોવાથી પૂરતા દબાણથી વીજ પુરવઠો મળી રહે છે. કિસાન સૂર્યોદય યોજના હેઠળ ખેડૂતોને દિવસ દરમિયાન વીજ પુરવઠો મળતો થયો છે. આ વિસ્તારના લોકોની રજૂઆતને ધ્યાને લઇ સંતોષકારક ઉકેલ માટે પૂરતા પ્રયાસો હાથ ધરવા અને લોકોની ફરિયાદનો કર્મયોગી બનીને સમયમર્યાદામાં ઉકેલ લાવવા ડી.જી.વી.સી.ઍલ.ના અધિકારીઅોને અનુરોધ કર્યો હતો. મંત્રીશ્રીઍ વાવાઝોડા બાદ વીજ કંપનીઍ વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે કરેલી રાઉન્ડ ધી ક્લોક કામગીરીને બિરદાવી હતી. ભારે વરસાદને કારણે ખરાબ થયેલા રસ્તાની સમારકામ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે, અને અસરગ્રસ્તોને મળવાપાત્ર સહાય પણ વેળાસર ચૂકવી દેવાનું આયોજન કરાયું હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું. આ પ્રસંગે ડી. જી.વી.સી.ઍલ.ના અધિક્ષક ઈજનેર જી.ડી. ભૈયાઍ સ્વાગત પ્રવચનમાં સૌને આવકારતા જણાવ્યું હતું કે, કચેરીનું વિભાજન થવાથી આ ડિવિઝનમાં ૨૨૭૯૫ રૂરલ અને ૨૦૩૬ અર્બન મળી ૨૪૮૩૧ ગ્રાહકો રહેશે. જેથી કામગીરીનું ભારણ અોછું થતાં ગ્રાહકોને ઝડપી અને સારી સેવા સાથે સાતત્યપૂર્ણ વીજ પુરવઠો મળી રહેશે ઍટલું જ નહીં ફરિયાદોનું નિવારણ ખૂબ જ ઝડપથી થશે. ખેડૂતોના હિતમાં ટૂંક સમયગાળામાં આખા જિલ્લામાં કિસાન સૂર્યોદય યોજના લાગુ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ અધ્યક્ષ મુકેશભાઈ પટેલ, ઉમરગામ સંગઠન પ્રમુખ દિલીપભાઈ ભંડારી અને મહામંત્રી પ્રકાશભાઈ પટેલ, યુ.આઈ.ઍ. પ્રમુખ ભગવાનભાઈ ભરવાડ, ડી.જી.વી.સી.ઍલ. વલસાડ સર્કલના અધિક્ષક ઈજનેર પી.જી.પટેલ, નાયબ ઈજનેર ડી.ઍફ.પટેલ, કાર્યપાલક ઈજનેર શ્રીમતી ઍમ.પી.પટેલ, ચેતનાબેન પટેલ સહિત જી.ઇ.બી.ના કર્મીઅો ઉપસ્થિત રહ્ના હતા.

Related posts

ઉમરગામ તાલુકા વિકાસ અધિકારી અક્ષય રાજપૂતની કાર્યશૈલીથી સમગ્ર તાલુકો ત્રસ્‍ત

vartmanpravah

ડાંગ સુબિરનો તાલુકા વિકાસ અધિકારી 6 હજારની લાંચ લેતા એસીબી વલસાડની ટ્રેનમાં ઝડપાયો

vartmanpravah

વલસાડ રેસર્સ ગૃપ દ્વારા કલર રન સાથે મેરેથોન યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લાની તમામ પોસ્‍ટ ઓફિસોમાં સ્‍વચ્‍છતા અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લામાં નેશનલ હાઈવે પર લાઈટીંગ અને બ્લેકસ્પોટ મુદ્દે બેદરકાર NHAIને જિલ્લા મેજિસ્ટ્રેટે રૂ. ૭૫૦૦નો દંડ ફટકાર્યો

vartmanpravah

વાપીને વધુ એક ટ્રેન સ્‍ટોપેજ મળ્‍યું : ખાનદેશ એક્‍સપ્રેસ ટ્રેન વાપીમાં થોભશે

vartmanpravah

Leave a Comment