April 19, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

તહેવારોની ભીડ અટકાવવા વાપી સહિત 8 રેલવે સ્‍ટેશન ઉપર પ્‍લેટફોર્મ ટિકિટ માટે તા.8 નવેમ્‍બર સુધી અસ્‍થાયી પ્રતિબંધ

મુંબઈ બાંદ્રા અને સુરત ઉધના રેલવે સ્‍ટેશન ઉપર ભીડભાડથી અકસ્‍માત સર્જાતા રેલવેએ તાત્‍કાલિક લીધેલો નિર્ણય

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.28: આગામી દિવસો દિવાળી અને છઠ્ઠ પૂજાના તહેવારો હોવાથી ખાસ કરીને ઉત્તર ભારત જતાં પ્રવાસીઓની રેલવે સ્‍ટેશન ઉપર બેસુમાર ભીડભાડ થવી ચાલુ થઈ છે. ભીડને લીધે અકસ્‍માત પણ સર્જાયા છે તેથી પヘમિ રેલવેએઆજથી આગામી તા.8 નવેમ્‍બર સુધી પ્‍લેટફોર્મ ટિકિટ માટે અસ્‍થાયી પ્રતિબંધ જાહેર કરી દીધો છે. વાપી સહિત 8 રેલવે સ્‍ટેશન ઉપર પ્‍લેટફોર્મ ટિકિટ વેચાણ બંધ કરવામાં આવ્‍યું છે.
ગત રવિવારે મુંબઈ અને સુરત ઉધના સ્‍ટેશન ઉપર છઠ્ઠ અને દિવાળીનો તહેવાર હોવાથી ટ્રેનમાં વતન પહોંચવા માટે ખાસ કરીને ઉત્તર ભારતીય પ્રવાસીઓની હજારોની ભીડ ઉમટી પડી હતી. ભીડ એટલી બધી હતી કે ધક્કામુકીમાં અનેક પ્રવાસી દોડધામમાં ઘાયલ થયા હતા તેથી પヘમિ રેલવેએ ભીડ ઉપર કાબુ કરવા માટે તાત્‍કાલિક અસરથી પ્‍લેટફોર્મ ટિકિટ વેચાણ અસ્‍થાયી રીતે બંધ કરી દેવાયું છે. પヘમિ રેલવેના મુંબઈ સેન્‍ટ્રલ, દાદર, બાંદ્રા ટર્મિનસ, બોરીવલી, વસઈ રોડ, વાપી, વલસાડ, ઉધના અને સુરત સહિત નવ રેલવે સ્‍ટેશન ઉપર આગામી તા.8 નવેમ્‍બર સુધી પ્‍લેટફોર્મ ટિકિટનું તાત્‍કાલિક અસરથી વેચાણ બંધ કરી દેવાનો નિર્ણય રેલવે તંત્ર દ્વારા લેવાયો છે. પ્રવાસીઓની સુરક્ષાને ધ્‍યાને રાખીને રેલવેએ આ નિર્ણય લીધો છે.

Related posts

‘નશામુક્‍ત ભારત’ અભિયાન અંતર્ગત સરકારી પ્રાથમિક શાળા દાભેલમાં પોસ્‍ટર બનાવવાની યોજાયેલી સ્‍પર્ધા

vartmanpravah

દમણ-દીવના સાંસદ ઉમેશભાઈ પટેલને લોકસભાની કળષિ, પશુપાલન, મત્‍સ્‍યોદ્યોગ અને ફૂડ પ્રોસેસિંગ સમિતિના સભ્‍ય બનાવાયા

vartmanpravah

ડીપીએલ સિઝન-રની ચેમ્‍પિયન બનતી ડાભેલની જે.ડી.કિંગ્‍સ : રનર્સ અપ કચીગામની ફેન્‍સી ઈલેવન

vartmanpravah

દાનહ ગલોન્‍ડા અને કૌંચા ગામે પંચાયત સભ્‍યની પેટા ચૂંટણી યોજાઈ

vartmanpravah

શિવ શિવા રેસીડેન્‍સી છરવાડા રામવાડી ખાતે આઠમના દિને માતાજીનો યજ્ઞ કરાયો

vartmanpravah

દેહરી સ્‍થિત કાર્યરત ચંદન સ્‍ટીલ કંપનીના વિસ્‍તરણ પ્રોજેક્‍ટ માટે યોજાયેલી પર્યાવરણીય લોક સુનાવણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

vartmanpravah

Leave a Comment