Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીનવસારી

ઉત્તરાયણ પર્વમાં અબોલ પક્ષીઓના જીવ બચાવવા માટે નવસારી જિલ્લામાં કંટ્રોલરૂમ તથા રેસ્‍કયુ ટીમ તૈનાત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

નવસારી,તા.04: ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી અબોલા પક્ષીઓ ઘાયલ થવાનાબનાવ અટકે તેમજ ઘાયલ પક્ષીઓની ત્‍વરિત સારવાર કરી જીવ બચાવી શકાય તે અર્થે ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્‍યમાં તા.10/1/2023 થી તા.20/01/2023 દરમિયાન ‘કરુણા અભિયાન-2023’નું આયોજન નવસારી જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગ, પશુપાલન વિભાગ અને સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓના સંયુક્‍ત ભાગીદારીથી કરવામાં આવશે. પતંગની દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓ માટે તાલુકા કક્ષાએ કંટ્રોલરૂમ, રેસ્‍ક્‍યુટીમ, પશુ દવાખાનાની સેવાઓ પણ ઉપલબ્‍ધ કરાઈ છે.

‘કરુણા અભિયાન-2023′ માટે વનવિભાગ દ્વારા તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્‍યાં છે. જેમાં નવસારી/જલાલપોર તાલુકાકક્ષાનું કંટ્રોલ રૂમ રેંજ ફોરેસ્‍ટ ઓફિસરશ્રી સુપા, જિલ્લા સેવા સદન બહુમાળી મકાન, પહેલો માળ, નવસારી. કંટ્રોલરૂમના અધિકારી શ્રીમતી હીનાબેન પટેલ સંપર્ક નંબર (02637) 259823 (મો) 9726620409, ગણદેવી તાલુકા માટે રેંજ ફોરેસ્‍ટ ઓફિસરશ્રી ગણદેવી, 104 દેવકૃપા કોમ્‍પ્‍લેક્ષ પેટ્રોલપંપ સામે, જય કિસાન હોસ્‍પિટલની બાજુમાં, ચાર રસ્‍તા ગણદેવી. કંટ્રોલરૂમના અધિકારી શ્રીમતી છાયાબેન પટેલ સંપર્ક નંબર (02634) 262145 (મો) 7069962831, ચીખલી તાલુકા માટે ચીખલી રેંજ ફોરેસ્‍ટ ઓફિસરશ્રીની કચેરી, કંટ્રોલ રૂમના અધિકારી શ્રી એ.જે.પડશાલા સંપર્ક નંબર 02634 233857 (મો) 9824623245, શ્રીઉતમભાઈ પટેલ સંપર્ક નંબર 02634 233857 (મો) 9327993752, ખેરગામ તાલુકા માટે ચીખલી રેંજ ફોરેસ્‍ટ ઓફિસરશ્રીની કચેરી કંટ્રોલ રૂમના અધિકારી શ્રી બી.આર.બારોટ, સંપર્ક નંબર 02634 233857 (મો) 7874705556, વાંસદા તાલુકા માટે વાંસદા રેંજ ફોરેસ્‍ટ ઓફિસરશ્રીની કચેરી, કંટ્રોલ રૂમના અધિકારી શ્રી ચેતનભાઈ પટેલ, સંપર્ક નંબર 02630 223850 (મો) 9909474323, શ્રી જયેન્‍દ્રસિહ રાઠોડ (મો) 99793 47777 પર સંપર્ક કરવો.

નવસારી જિલ્લામાં કરુણા અભિયાનને સફળ બનાવવા માટે લોકોએ  ઘાયલ પક્ષીઓ દેખાતા તાત્‍કાલિક કરુણા અભિયાનના કંટ્રોલ સેન્‍ટર પર સંપર્ક કરવા સામાજિક વનીકરણ વિભાગ, નવસારીની અખબારી યાદીમાં જણાવ્‍યું છે.

Related posts

પિપરિયા પર હુમલો …બધાની નજર સિલવાસાથી આવતા રસ્‍તા તરફ સ્‍થિત થઈ

vartmanpravah

વાપી કરવડ વિસ્‍તારમાં પાલિકા દ્વારા ચાલી રહેલ ડિમોલિશન કામગીરીમાં વિવાદ સર્જાયો

vartmanpravah

સલવાવ શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુલનું ગૌરવ

vartmanpravah

આલીપોર હાઈવે ઉપર કારડિવાઈડર કૂદી સામેના ટ્રેક પર કન્‍ટેઈનર સાથે ધડાકાભેર અથડાતા 4 લોકોના કરૂણ મોત

vartmanpravah

ચૈત્રી નવરાત્રી નિમિતે આજથી સેલવાસની સુંદરવન સોસાયટી ખાતે શ્રીમદ્‌ દેવી ભાગવત કથાનું આયોજન

vartmanpravah

લગભગ ત્રણ વર્ષ પહેલાં બેંકની ગવર્નિંગ બોડીને બર્ખાસ્‍ત કર્યા બાદ મળી રહેલું પરિણામ : દમણ-દીવ સ્‍ટેટ કો-ઓ. બેંક લિ.ની દિશા અને દશા સુધારવા સફળ રહેલા સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

Leave a Comment