October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ આરપીએફ મેદાન પાસેનો બંધ કરેલો રસ્‍તો સાંસદ ધવલભાઈ પટેલએ તાત્‍કાલિક ખુલ્લો કરાવ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.23: વલસાડ આરપીએફ ગ્રાઉન્‍ડની સામે રેલવે યાર તરફ જતો રસ્‍તો રેલવે તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવતા આ માર્ગ પરથી પસાર થતા હજારો વાહન ચાલકો મુશ્‍કેલીમાં મુકાયા હતા. આ બાબતે વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલને જાણ થતા તેમણે તાત્‍કાલિક આ રસ્‍તો ખુલ્લો કરાવા માટે રેલવેના અધિકારીઓને સૂચનાઓ આપતા 24 કલાકની અંદર આ માર્ગ ખુલ્લો કરી દેવામાં આવ્‍યો હતો. જેને લઈને આ માર્ગ પરથી પસાર થતાં વાહન ચાલકોને ભારે રાહત થઈ હતી. ત્‍યારે વલસાડ રેલવે વિભાગ દ્વારા કોઈને પણ જાણ કર્યા વિના આ માર્ગ બંધ દેતા આ માર્ગ પર પસારથતા સ્‍કૂલના વિદ્યાર્થીઓ, નોકરીયાત વર્ગ તેમજ અધિકારીઓને આશરે દોઢથી બે કિલોમીટરનો વિસ્‍તાર ફરીને જવાની નોબત ઊભી થઈ હતી. અને નાના તેમજ મોટા વાહન ચાલકોને ભારે ટ્રાફિકનો સામનો કરવો પડતો હતો. જેનાથી આ માર્ગનો ઉપયોગ કરતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી હતી. જ્‍યારે આ અંગેની જાણ લોકસભાના દંડક અને વલસાડ – ડાંગના સાંસદ ધવલભાઈ પટેલને થતાની સાથે જ ગણતરીના કલાકોમાં આ માર્ગ ખુલ્લો કરવાની સૂચના રેલવે વિભાગના અધિકારીઓને આપી હતી. અને માર્ગ ખુલ્લો કરાવ્‍યો હતો. આ કામગીરી સમયે સ્‍થળ પર રેલવે સ્‍ટેશન સલાહકાર સમિતિના સભ્‍ય અમિશભાઈ પટેલ, ભાજપના કાર્યકર્તા આશિષભાઈ દેસાઈ, ભાજપ કાર્યકર્તા સુનિલભાઈ કવો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

કોસંબા માછીવાડરણછોડરાયજી મંદિરે શુક્રવારે મધરાતે ક્રળષ્‍ણ જન્‍મોત્‍સવ

vartmanpravah

બેંકના વહીવટદાર અને સંઘપ્રદેશના સંયુક્‍ત નાણાં સચિવ કરણજીત સિંહ વાડોદરિયાની ઉપસ્‍થિતિમાં દમણ-દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકના વયમર્યાદાના કારણે સેવા નિવૃત્ત થયેલા બે બ્રાન્‍ચ મેનેજરોને આપવામાં આવેલું નિવૃત્તિ વિદાયમાન

vartmanpravah

ભારત સરકારના પ્રવાસન મંત્રાલય દ્વારા દમણના દેવકાને મળેલો ‘બેસ્‍ટ ટુરિઝમ વિલેજ’નો કાંસ્‍ય એવોર્ડઃ ફરી એકવાર રાષ્‍ટ્રીય સ્‍તરે દમદાર દમણનો વાગેલો ડંકો

vartmanpravah

દાનહઃ મારગપાડા પ્રાથમિક મરાઠી શાળામાં શિક્ષણ વિભાગ દ્વારા વાલીઓ માટે સંવાદ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ચીખલી તાલુકાના ઘેકટી ગામના વોર્ડ સભ્‍યો દ્વારા ગામમાં બનેલા ડામર અને આરસીસીના રોડના કામમાં ભ્રષ્ટાચાર બાબતે ટીડીઓ, ડીડીઓને કરેલી લેખિત રજૂઆત

vartmanpravah

ગૃહ રાજ્‍યમંત્રી હર્ષ સંઘવીએ ધરમપુર અને વલસાડ ખાતે ગણેશોત્‍સવના ગણેશ પંડાલોમાં ભગવાન શ્રી ગણેશના પૂજન-અર્ચન કરી ધન્‍યતા અનુભવી

vartmanpravah

Leave a Comment