Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ આરપીએફ મેદાન પાસેનો બંધ કરેલો રસ્‍તો સાંસદ ધવલભાઈ પટેલએ તાત્‍કાલિક ખુલ્લો કરાવ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.23: વલસાડ આરપીએફ ગ્રાઉન્‍ડની સામે રેલવે યાર તરફ જતો રસ્‍તો રેલવે તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવતા આ માર્ગ પરથી પસાર થતા હજારો વાહન ચાલકો મુશ્‍કેલીમાં મુકાયા હતા. આ બાબતે વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલને જાણ થતા તેમણે તાત્‍કાલિક આ રસ્‍તો ખુલ્લો કરાવા માટે રેલવેના અધિકારીઓને સૂચનાઓ આપતા 24 કલાકની અંદર આ માર્ગ ખુલ્લો કરી દેવામાં આવ્‍યો હતો. જેને લઈને આ માર્ગ પરથી પસાર થતાં વાહન ચાલકોને ભારે રાહત થઈ હતી. ત્‍યારે વલસાડ રેલવે વિભાગ દ્વારા કોઈને પણ જાણ કર્યા વિના આ માર્ગ બંધ દેતા આ માર્ગ પર પસારથતા સ્‍કૂલના વિદ્યાર્થીઓ, નોકરીયાત વર્ગ તેમજ અધિકારીઓને આશરે દોઢથી બે કિલોમીટરનો વિસ્‍તાર ફરીને જવાની નોબત ઊભી થઈ હતી. અને નાના તેમજ મોટા વાહન ચાલકોને ભારે ટ્રાફિકનો સામનો કરવો પડતો હતો. જેનાથી આ માર્ગનો ઉપયોગ કરતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી હતી. જ્‍યારે આ અંગેની જાણ લોકસભાના દંડક અને વલસાડ – ડાંગના સાંસદ ધવલભાઈ પટેલને થતાની સાથે જ ગણતરીના કલાકોમાં આ માર્ગ ખુલ્લો કરવાની સૂચના રેલવે વિભાગના અધિકારીઓને આપી હતી. અને માર્ગ ખુલ્લો કરાવ્‍યો હતો. આ કામગીરી સમયે સ્‍થળ પર રેલવે સ્‍ટેશન સલાહકાર સમિતિના સભ્‍ય અમિશભાઈ પટેલ, ભાજપના કાર્યકર્તા આશિષભાઈ દેસાઈ, ભાજપ કાર્યકર્તા સુનિલભાઈ કવો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

રેડક્રોસ વાપી તાલુકા બ્રાન્‍ચ દ્વારા સરીગામ ઈન્‍ડ. એસોસિએશનમાં રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

‘આઝાદીના અમૃત મહોત્સવ’ અંતર્ગત દીવમાં રાષ્ટ્રીય બાલિકા દિવસની કરવામાં આવેલી ઉજવણી

vartmanpravah

પ્રદેશ ભાજપ પ્રભારી દુષ્‍યંતભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ દાનહ અને દમણ-દીવ ભાજપના સક્રિય સદસ્‍યતા સમિતિના સંયોજક તરીકે નવિનભાઈ પટેલની કરાયેલી વરણી

vartmanpravah

દાનહના એસએસઆર આર્ટ્‌સ, કોમર્સ એન્‍ડ સાયન્‍સના આસિસ્‍ટન્‍ટ પ્રો. શ્રી કૃષ્‍ણ ખરે પીએચડી થયા

vartmanpravah

દૂધનીમાં ‘પ્રશાસન આપકે દ્વાર’ શિબિર યોજાઈ

vartmanpravah

અયોધ્‍યામાં ભગવાન શ્રી રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવના પાવન પ્રસંગે આજે સંપૂર્ણ સંઘપ્રદેશ રામમય બનશેઃ ભગવાન રામની દિવ્‍યતા અને ધન્‍યતાનો અહેસાસ

vartmanpravah

Leave a Comment