April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીમાં સ્‍વામિનારાયણ સંપ્રદાય દ્વારા તિથલ મંદિરના રજત જયંતિ મહોત્‍સવ નિમિત્તે અક્ષર પુરુષોત્તમ વધામણાની યોજાયેલ નગરયાત્રા

ભજનોની રમઝટ સાથે નીકળેલી નગરયાત્રાનું ઠેરઠેર ભવ્ય સ્વાગત કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.24: બીએપીએસ સ્‍વામિનારાયણ દ્વારા આયોજિત તિથલ મંદિરના રજત જયંતી મહોત્‍સવ નિમિત્તે અક્ષર પુરુષોત્તમ વધામણાની નગર યાત્રાનું પ્રસ્‍થાન ચીખલી કોલેજની સંસ્‍થાનાં મેનેજીંગ ટ્રસ્‍ટી દર્શનભાઈ દેસાઈ, કોઠારી સ્‍વામી, દિવ્‍ય સાગર સ્‍વામી, તપોનિધિ સ્‍વામીએ શ્રીફળ વધેરી કરાવ્‍યું હતું. ચીખલી ક્ષેત્રના નિર્દેષક કમલેશભાઇ પટેલની આગેવાનીમાં યોજાયેલી આ નગરયાત્રામાં સાતસો થી વધુ હરિભક્‍તો જોડાયા હતા. ભજનોની રમઝટ સાથે નીકળેલી નગરયાત્રામાં અનેક હરિભક્‍તોના રંગમાં રંગાયા હતા.
બગલાદેવ મંદિર, હાઈવે ચાર રસ્‍તાથી રામનગર સ્‍વામિનારાયણ સુધીના ત્રણેક કિમિના રૂટમાં નગરયાત્રાનું કોળી સમાજના પૂર્વ પ્રમુખકિશોરભાઈ, એડવોકેટ ચેતનભાઇ દેસાઈ, ગણદેવી સુગરના ડિરેકટર નટુભાઈ સોલધરા, સમરોલીના મંગુભાઈ, વિશ્વ હિન્‍દુ પરિષદ, બજરંગ દળના હોદ્દેદારો સહિતનાઓ દ્વારા ઠેરઠેર સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.
આ દરમ્‍યાન વિવિક સ્‍વરૂપ સ્‍વામિએ આશિવર્ચન આપતા જણાવ્‍યું હતું કે વર્ષ 1907માં બોચાસણ ખાતે બીએપીએસ સંસ્‍થાના પાયા નાંખવામાં આવ્‍યો હતો અને વર્ષોથી સંસ્‍થા સામાજિક, ધાર્મિક સેવાના કાર્યો કરી રહી છે. સાથે તેમણે બીએપીએસ સ્‍વામિનારાયણ સંપ્રદાયનો મુખ્‍ય અક્ષર પુરુષોત્તમ સિધ્‍ધાંત વિશે જણાવ્‍યું હતું.

Related posts

કલેક્‍ટર તથા આયોજન અને વિકાસ પ્રાધિકરણના સભ્‍ય સચિવ ભાનુ પ્રભાની સૂચના- દાનહમાં સ્‍થાપિત ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કૃત્રિમ કુંડમાં જ કરવામાં આવે

vartmanpravah

દીવના સસ્‍પેન્‍ડેડ પીઆઈ પંકેશ ટંડેલની મુશ્‍કેલીમાં ઓર વધારો : મોટી દમણ પોલીસ સ્‍ટેશનમાં એફઆઈઆર નોંધાઈ

vartmanpravah

25 જૂન, 1975માં કોંગ્રેસ સરકાર દ્વારા સમગ્ર દેશમાં લાદવામાં આવેલી કટોકટીને વખોડવા દમણ ભાજપે કાઢેલી વિરોધ રેલી

vartmanpravah

સંઘપ્રદેશમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં દમણની માછી મહાજન શાળાનો દબદબોઃ શાળાના વિદ્યાર્થી નિસર્ગ દિવેચા પ્રદેશમાં પ્રથમ પેટાઃ દર વખતની જેમ આ વર્ષે પણ ફિઝિક્‍સ અને કેમેસ્‍ટ્રીએ વિદ્યાર્થીઓને રડાવ્‍યાઃ ગત વર્ષની તુલનામાં આ વર્ષે પ્રદેશનું પરિણામ નીચું રહ્યું (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.02 ગુજરાત ઉચ્‍ચત્તર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજે જાહેર થયું હતું. જેમાં દમણ જિલ્લાનું 55.04 ટકા, દીવ જિલ્લાનું 33.89 અને દાદરા નગર હવેલી જિલ્લાનું પરિણામ 57.14 ટકા રહ્યું હતું. દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં 85.69 ટકા સાથે પ્રદેશમાં પ્રથમ આવવાનું બહુમાન શ્રી માછી મહાજન હાયર સેકન્‍ડરી સ્‍કૂલના વિદ્યાર્થી શ્રી નિસર્ગ કમલકાંત દિવેચાને પ્રાપ્ત થયું છે. જ્‍યારે પ્રદેશમાં દ્વિતીય સ્‍થાને સાર્વજનિક વિદ્યાલય દમણની વિદ્યાર્થીની કુ. ઈશા સુરેશ પટેલ 83.40 ટકા અને તૃતિય સ્‍થાને દાદરાની સરકારી હાયર સેકન્‍ડરી સ્‍કૂલની વિદ્યાર્થીની કુ. ઈશા રાજેશ સિંઘ રહી હતી. દમણ અને દીવ જિલ્લાનું પરિણામ ગયા વર્ષ કરતાંઓછું રહેવા પામ્‍યું છે. આ પરિણામને શ્રી માછી મહાજન સ્‍કૂલના બે વિદ્યાર્થીઓએ બાજી મારી દમણ-દીવમાં પ્રથમ ક્રમમાં જગ્‍યા બનાવી છે. દમણના શિક્ષણ વિભાગ દ્વારા જારી કરાયેલ માહિતી પ્રમાણે દમણની સરકારી અને ખાનગી સ્‍કૂલના 476 વિદ્યાર્થીઓએ 12 સાયન્‍સની પરીક્ષા આપી હતી. જે પૈકી 262 વિદ્યાર્થીઓ ઉત્તિર્ણ થયા છે અને 214 વિદ્યાર્થીઓ અનુત્તિર્ણ રહ્યા છે. ભીમપોરની સરકારી શાળાના 17 વિદ્યાર્થીઓ પૈકી 16 વિદ્યાર્થીઓ પાસ થયા છે. મહાત્‍મા ગાંધી મેમોરિયલ ટ્રસ્‍ટ દ્વારા સંચાલિત સાર્વજનિક વિદ્યાલયના 257 વિદ્યાર્થીઓમાંથી 117 પાસ થયા છે જ્‍યારે ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ અવર લેડી ફાતિમા સ્‍કૂલના 65માંથી 50 વિદ્યાર્થીઓ, હોલી ટ્રીનિટીના 18માંથી 7, શ્રીનાથજી સ્‍કૂલના 14માંથી 4 વિદ્યાર્થીઓ સફળ થઈ શક્‍યા છે. દિવ્‍ય જ્‍યોતિ સ્‍કૂલના 18 વિદ્યાર્થીઓ પૈકી માત્ર 6 વિદ્યાર્થીઓ જ પાસ થઈ શક્‍યા છે. માછી મહાજન સ્‍કૂલના 87માંથી 62 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જ્‍યારે દીવ જિલ્લામાં 180 વિદ્યાર્થીઓ પૈકી 61 પાસ થયા છે. સમસ્‍ત દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં શ્રી માછી મહાજન સ્‍કૂલનો વિદ્યાર્થી શ્રી નિસર્ગ કમલકાંત દિવેચા પ્રથમ આવતાં પોતાની શાળા અને દમણ જિલ્લાનું નામ પણ રોશન કર્યું છે.

vartmanpravah

ચીખલી પોલીસે બારોલીયાથી વિદેશી દારૂનો જથ્‍થો ઝડપ્‍યો : 3 વોન્‍ટેડ

vartmanpravah

સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment