Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીમાં સ્‍વામિનારાયણ સંપ્રદાય દ્વારા તિથલ મંદિરના રજત જયંતિ મહોત્‍સવ નિમિત્તે અક્ષર પુરુષોત્તમ વધામણાની યોજાયેલ નગરયાત્રા

ભજનોની રમઝટ સાથે નીકળેલી નગરયાત્રાનું ઠેરઠેર ભવ્ય સ્વાગત કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.24: બીએપીએસ સ્‍વામિનારાયણ દ્વારા આયોજિત તિથલ મંદિરના રજત જયંતી મહોત્‍સવ નિમિત્તે અક્ષર પુરુષોત્તમ વધામણાની નગર યાત્રાનું પ્રસ્‍થાન ચીખલી કોલેજની સંસ્‍થાનાં મેનેજીંગ ટ્રસ્‍ટી દર્શનભાઈ દેસાઈ, કોઠારી સ્‍વામી, દિવ્‍ય સાગર સ્‍વામી, તપોનિધિ સ્‍વામીએ શ્રીફળ વધેરી કરાવ્‍યું હતું. ચીખલી ક્ષેત્રના નિર્દેષક કમલેશભાઇ પટેલની આગેવાનીમાં યોજાયેલી આ નગરયાત્રામાં સાતસો થી વધુ હરિભક્‍તો જોડાયા હતા. ભજનોની રમઝટ સાથે નીકળેલી નગરયાત્રામાં અનેક હરિભક્‍તોના રંગમાં રંગાયા હતા.
બગલાદેવ મંદિર, હાઈવે ચાર રસ્‍તાથી રામનગર સ્‍વામિનારાયણ સુધીના ત્રણેક કિમિના રૂટમાં નગરયાત્રાનું કોળી સમાજના પૂર્વ પ્રમુખકિશોરભાઈ, એડવોકેટ ચેતનભાઇ દેસાઈ, ગણદેવી સુગરના ડિરેકટર નટુભાઈ સોલધરા, સમરોલીના મંગુભાઈ, વિશ્વ હિન્‍દુ પરિષદ, બજરંગ દળના હોદ્દેદારો સહિતનાઓ દ્વારા ઠેરઠેર સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.
આ દરમ્‍યાન વિવિક સ્‍વરૂપ સ્‍વામિએ આશિવર્ચન આપતા જણાવ્‍યું હતું કે વર્ષ 1907માં બોચાસણ ખાતે બીએપીએસ સંસ્‍થાના પાયા નાંખવામાં આવ્‍યો હતો અને વર્ષોથી સંસ્‍થા સામાજિક, ધાર્મિક સેવાના કાર્યો કરી રહી છે. સાથે તેમણે બીએપીએસ સ્‍વામિનારાયણ સંપ્રદાયનો મુખ્‍ય અક્ષર પુરુષોત્તમ સિધ્‍ધાંત વિશે જણાવ્‍યું હતું.

Related posts

વાપીના ઉદ્યોગપતિની પ્રથમ પર્યાવરણ લક્ષી પહેલ: આર્યન પેકેજીંગ ઈન્‍ડસ્‍ટ્રીઝના માલિક સુનિલભાઈ શાહે કંપનીની આસપાસ 20000 જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું

vartmanpravah

વાપીથી પાલઘર જવા ઈકોમાં નિકળેલી મહિલાની છેડતી થતા દિકરીને હાઈવે પર ફેંકી પોતે કુદી પડતા દિકરીનું મોત

vartmanpravah

ભારત સરકારના કલા ઉત્‍સવ કાર્યક્રમમાં અભિષેક શાહે રાષ્‍ટ્રીય સ્‍તરે શાસ્ત્રીય ગાયન કૃતિ રજૂ દીવનું વધારેલું ગૌરવ

vartmanpravah

વલવાડા કરમબેલા હાઈવે ઉપરથી ખાનગી મોબાઈલ ટાવરોની ચોરેલી બેટરી સાથે એક ઝડપાયો: પોલીસે રવિકુમાર સીંગ નામના આરોપી પાસેથી ર.ર0 લાખની બેટરીઓ જપ્ત કરી

vartmanpravah

વલસાડ જિલ્લા ભારતીય કિસાન સંઘના હોદ્દેદારોની વરણી

vartmanpravah

વાપીમાં અન્ન અને નાગરિક પૂરવઠા મંત્રીશ્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ફોર્ટિફાઇડ ઘટકતત્વોની થેલેસેમિયા તથા સિકલસેલ એનિમિયાના દર્દીઓ પર અસર અંગે જનજાગૃતિ વર્કશોપ યોજાયો

vartmanpravah

Leave a Comment