September 17, 2026
Vartman Pravah
સેલવાસ

દાનહ કલેક્‍ટર સંદીપ કુમાર સિંઘના નેતૃત્‍વમાં દાનહ જિ.પં.ના મુખ્‍ય કાર્યકારી અધિકારી એચ.એમ.ચાવડાનો વિદાયમાન સમારંભ યોજાયો

ગુજરાત એડમિનિસ્‍ટ્રેટિવ સર્વિસના વરિષ્‍ઠ અધિકારી એચ.એમ.ચાવડાએ દાનહ જિ.પં.ના મુખ્‍ય કાર્યકારી અધિકારી તરીકે ઊંડાણના આદિવાસીઓની રાખેલી ખાસ દરકાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

સેલવાસ, તા.09

દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારી શ્રી એચ.એમ.ચાવડાનો ડેપ્‍યુટેશનનો સમયગાળો પૂર્ણ થતાં તેમને રિલીવ કરાતા આજે સેલવાસના સચિવાલય ખાતે વિદાયમાન સમારંભનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

ગુજરાત એડમિનિસ્‍ટ્રેટિવ સર્વિસના વરિષ્‍ઠ અધિકારી શ્રી એચ.એમ.ચાવડાને દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારી તરીકે અખત્‍યાર સોંપવામાં આવ્‍યો હતો. તેમના કાર્યકાળ દરમિયાન ઊંડાણના આદિવાસીઓને તેમના ઘરઆંગણે પ્રશાસનની સુવિધા મળી રહે તે બાબતે તેઓ હંમેશા પ્રયાસરત રહ્યા હતા. ગયા વર્ષે એક જ રાતમાં આભ ફાટતા સર્જાયેલી વિકટ સ્‍થિતિમાં પણ શ્રી ચાવડાએ ઘટના સ્‍થળે પહોંચી પોતાના કાર્યક્ષમ અભિગમનો પરિચય આપ્‍યો હતો.

આજે દાદરા નગર હવેલી જિલ્લા કલેક્‍ટર શ્રી સંદીપ કુમાર સિંઘના અધ્‍યક્ષસ્‍થાને આયોજીત વિદાયમાન સમારંભમાં ડેપ્‍યુટી કલેક્‍ટર શ્રી અપૂર્વ શર્મા, ખાનવેલના ડેપ્‍યુટી કલેક્‍ટર શ્રી બ્રહ્મા, એડીપીઓ શ્રી સિધ્‍ધાર્થ જૈન, શ્રી નિલેશ ગુરવ, કલેક્‍ટરાલયના અધિક્ષક શ્રી ધર્મેશ દમણિયા સહિતના અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાનહના સામરવરણી ગામમાં દિપડાએ એક ખેડૂતના કોઢારમાં બાંધેલ વાછરડા ઉપર કરેલો હૂમલોઃ ગ્રામજનોમાં ફફડાટ

vartmanpravah

દાનહમાં 01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

vartmanpravah

વ્‍યક્‍તિનું સાચું મૂલ્‍યાંકન ગુણો આધારિત હોય છે નહીં કે બાહ્ય આટાટોપથી

vartmanpravah

દેશના તમામ કેન્‍દ્ર શાસિત પ્રદેશોમાં થ્રીડી પ્રશાસનની પહેલી પહેલ : સેલવાસ ન.પા.ની સિવરેજ લાઈનમાં હવે અંદર ઉતરી કોઈ કર્મચારી સફાઈ નહીં કરશેઃ રોબોટ મશીનથી ગટરની ચેમ્‍બરના હોલમાંથી કચરો કઢાશે

vartmanpravah

ગ્રામ પંચાયત ડેવલપમેન્‍ટ પ્‍લાન-2025-‘26 ‘સબકા સાથ, સબકા વિકાસ’ અંતર્ગત સોમનાથ ગ્રામ પંચાયતની મળેલી ગ્રામસભામાં કંપની કંપનીએ હપ્તા ઉઘરાવવા જવાનો સમય મળે પરંતુ લોકોની સમસ્‍યા દૂર કરવા માટે સમય નથીઃ સોમનાથ આગેવાન ઈશ્વરભાઈ પટેલનો સોમનાથ ગ્રા.પં.ના સરપંચ અને જિ.પં.સભ્‍યોને સોંસરો પ્રશ્ન

vartmanpravah

‘સ્‍વચ્‍છતા સર્વેક્ષણ’ અભિયાન અંતર્ગત સેલવાસ ન.પા. દ્વારા સ્વચ્છતા ક્ષેત્રે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર કર્મચારીઓનું કરાયેલું સન્‍માન

vartmanpravah

Leave a Comment