Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

‘સ્‍વચ્‍છતા સર્વેક્ષણ’ અભિયાન અંતર્ગત સેલવાસ ન.પા. દ્વારા સ્વચ્છતા ક્ષેત્રે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર કર્મચારીઓનું કરાયેલું સન્‍માન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.18 : સમગ્ર દેશમાં ચાલી રહેલા ‘સ્‍વચ્‍છ સર્વેક્ષણ’ અભિયાનમાં કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીની એકમાત્ર નગરપાલિકા સેલવાસ પણ આ વર્ષે ‘સ્‍વચ્‍છ સર્વેક્ષણ-2022’માં ભાગ લઈ રહી છે. જેમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલનાદિશા-નિર્દેશ હેઠળ અને સેલવાસ ન.પા. પ્રમુખ શ્રી રાકેશસિંહ ચૌહાણના માર્ગદર્શનમાં અને ચીફ ઓફિસરના નેતૃત્‍વમાં પાલિકામાં સ્‍વચ્‍છતા ક્ષેત્રે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર સ્‍વચ્‍છતા કર્મચારીઓને પ્રમાણિત કરવામાં આવ્‍યા હતા અને ‘સ્‍વચ્‍છ વોર્ડ’ના પ્રમાણપત્રથી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. સાથે તેઓને બેડશીટ અને સાડી આપવામાં આવી હતી અને દરેક સ્‍વીપરને પર્શનલ પ્રોટેક્‍ટીવ ઈક્‍વીપમેન્‍ટ જેવા કે હેન્‍ડ ગ્‍લોવ્‍ઝ, હેલ્‍મેટ, જેકેટ તથા ગમબુટ આપવામાં આવ્‍યા હતા. આ અવસરે નગરપાલિકા પ્રમુખ શ્રી રાકેશસિંહ ચૌહાણ, ઉપ પ્રમુખ શ્રી અજયભાઈ દેસાઈ, સી.ઓ. શ્રી મનોજ પાંડે સહીત કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.
સેલવાસ નગરપાલિકા દ્વારા દરેક દુકાનદારો અને નગરવાસીઓને અનુરોધ કરે છે કે સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિકનું વેચાણ અથવા ઉપયોગ નહીં કરે, પાલિકાનો સહયોગ કરે અને શહેરને સ્‍વચ્‍છ અને સુંદર બનાવવામાં સાથ-સહકાર આપે. સેલવાસ પાલિકા વિસ્‍તારના દરેક નાગરિકોને સ્‍વચ્‍છ સુંદર અને પ્‍લાસ્‍ટિક મુક્‍ત સેલવાસ બનાવવા માટે પોતાનું શ્રેષ્‍ઠ યોગદાન આપવા અપીલ કરી હતી.

Related posts

રાજ્‍યના નાણાં ઊર્જા અને અને પેટ્રોકેમિકલ્‍સ મંત્રી કનુભાઈ દેસાઈએ ‘‘નિર્મળ ગુજરાત 2.0” અંતર્ગત વલસાડ જિલ્લા વહીવટી તંત્ર સાથે સમીક્ષા બેઠક યોજી

vartmanpravah

દીવમાં 400 વર્ષ પૌરાણિક શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરમાં અલૌકિક ઘી ની પૂજાથી શિવ ઝાંખી ના દર્શન

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને યોજાયેલા વલસાડ તાલુકાના સ્વાગત કાર્યક્રમમાં ૩૫ પૈકી ૨૭ પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ

vartmanpravah

મધ્‍યપ્રદેશથી દીવ આવેલા વૃદ્ધ પર્યટકનું હૃદયરોગના હૂમલામાં મોત

vartmanpravah

ભારત સરકારના આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા દમણના યોજના અને આંકડા વિભાગના સહયોગથી  સતત વિકાસના લક્ષ્યો માટે સંઘપ્રદેશ સ્‍તરીય ફ્રેમવર્કના નિર્માણ ઉપર દમણમાં કાર્યશાળા યોજાઈ

vartmanpravah

દમણ અને દાનહમાં છેલ્લા 24 કલાકમાં એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નહીં

vartmanpravah

Leave a Comment