Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

જીએનએલયુ સેલવાસનું ગૌરવ વિદ્યાર્થી દિવ્‍યાંશ જોશીએ ન્‍યાયવિમર્શ રાષ્ટ્રીય નિબંધ લેખન સ્‍પર્ધામાં પ્રથમ પુરસ્‍કાર મેળવ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.01 : ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી સેલવાસ કેમ્‍પસમાં B.A.L.L.B. (ઓનર્સ)ના પ્રથમ વર્ષનો અભ્‍યાસ કરી રહેલ શ્રી દિવ્‍યાંશ જોશી ન્‍યાયવિમર્શ રાષ્ટ્રીય નિબંધ લેખન સ્‍પર્ધા, 2024માં વિજેતા ઘોષિત થયો છે અને તેને શ્રેષ્ઠ નિબંધ માટે Rs.10,000નો રોકડ પુરસ્‍કાર આપવામાં આવ્‍યો છે.
શ્રી દિવ્‍યાંશ જોષીના વિજેતા નિબંધનું શીર્ષક હતું: ‘‘The Dragon’s Shadow: Effectiveness of India’s China Policy”- ‘‘ડ્રેગનની છાયાઃ ભારતનીચીન નીતિની અસરકારકતા”
વાણિજ્‍ય, કાયદો અને ન્‍યાય માટેના ભૂતપૂર્વ કેન્‍દ્રીય પ્રધાન ડૉ. સુબ્રમણ્‍યમ સ્‍વામીના આશ્રય હેઠળ આ નિબંધ લેખન સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. તેનો વિષય હતોઃ ‘‘ભારતીય શાસન અને નીતિમાં સમકાલીન પડકારો અને સુધારાઓ”
ભારતભરની વિવિધ રાષ્ટ્રીય કાયદા યુનિવર્સિટીઓ (NLUs) અને પ્રીમિયર લો સ્‍કૂલોના 132 વિદ્યાર્થીઓએ આ સ્‍પર્ધામાં ભાગ લીધો હતો.
ભારતના 22મા કાયદા પંચના સભ્‍ય પ્રો. ડૉ. રાકા આર્યની અધ્‍યક્ષતામાં પ્રતિષ્ઠિત સંપાદકીય મંડળ દ્વારા આ સ્‍પર્ધામાં સમાવિષ્ઠ નિબંધોનું મૂલ્‍યાંકન કરવામાં આવ્‍યું હતું.
શ્રી દિવ્‍યાંશ રાજસ્‍થાનના ઉદયપુરનો વતની છે. સિદ્ધિ બદલ તેણે તેના માતા-પિતા, દાદા-દાદી અને શિક્ષકોનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

લાયન્‍સ ક્‍લબ ઓફ ઉમરગામ અને શ્રી સાંઈ શ્રદ્ધા ટ્રસ્‍ટ દ્વારા મફત આંખની તપાસના કેમ્‍પનું કરવામાં આવેલુ આયોજન

vartmanpravah

ટુકવાડામાં હેપ્‍પી નેસ્‍ટ બંગલામાં રહેતી પરિણીતાએ ફાંસો ખાઈ જીવન ટુંકાવ્‍યું

vartmanpravah

દાનહના મસાટ ખાતે સરપંચ રંજીતભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં ચૌપાલ(ચોતરા) બેઠક યોજાઈ

vartmanpravah

દમણ જિ. પં.નાં પ્રમુખ બાબુભાઈ પટેલે આધાર-કાર્ડ બનાવવાના ફૉર્મમાં જિ.પં. પ્રમુખ તથા સભ્‍યોને પણ નાગરિકોનાં વેરિફિકેશનની સત્તા આપવા કરેલી માંગણી

vartmanpravah

શ્રી માહ્યાવંશી મિત્ર મંડળ મીરા રોડ દ્વારા રાસ ગરબા મહોત્સવ યોજાયો

vartmanpravah

‘પ્રધાનમંત્રી ૨૦૨પ ટીબી નાબૂદી અભિયાન’ અંતર્ગત નાનાપોîઢા સીએચસી ખાતે ટીબીના દર્દીઓને પૌષ્ટિક આહર અને પ્રોટીન પાવડર કરાયેલું વિતરણ

vartmanpravah

Leave a Comment