October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

જીએનએલયુ સેલવાસનું ગૌરવ વિદ્યાર્થી દિવ્‍યાંશ જોશીએ ન્‍યાયવિમર્શ રાષ્ટ્રીય નિબંધ લેખન સ્‍પર્ધામાં પ્રથમ પુરસ્‍કાર મેળવ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.01 : ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી સેલવાસ કેમ્‍પસમાં B.A.L.L.B. (ઓનર્સ)ના પ્રથમ વર્ષનો અભ્‍યાસ કરી રહેલ શ્રી દિવ્‍યાંશ જોશી ન્‍યાયવિમર્શ રાષ્ટ્રીય નિબંધ લેખન સ્‍પર્ધા, 2024માં વિજેતા ઘોષિત થયો છે અને તેને શ્રેષ્ઠ નિબંધ માટે Rs.10,000નો રોકડ પુરસ્‍કાર આપવામાં આવ્‍યો છે.
શ્રી દિવ્‍યાંશ જોષીના વિજેતા નિબંધનું શીર્ષક હતું: ‘‘The Dragon’s Shadow: Effectiveness of India’s China Policy”- ‘‘ડ્રેગનની છાયાઃ ભારતનીચીન નીતિની અસરકારકતા”
વાણિજ્‍ય, કાયદો અને ન્‍યાય માટેના ભૂતપૂર્વ કેન્‍દ્રીય પ્રધાન ડૉ. સુબ્રમણ્‍યમ સ્‍વામીના આશ્રય હેઠળ આ નિબંધ લેખન સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. તેનો વિષય હતોઃ ‘‘ભારતીય શાસન અને નીતિમાં સમકાલીન પડકારો અને સુધારાઓ”
ભારતભરની વિવિધ રાષ્ટ્રીય કાયદા યુનિવર્સિટીઓ (NLUs) અને પ્રીમિયર લો સ્‍કૂલોના 132 વિદ્યાર્થીઓએ આ સ્‍પર્ધામાં ભાગ લીધો હતો.
ભારતના 22મા કાયદા પંચના સભ્‍ય પ્રો. ડૉ. રાકા આર્યની અધ્‍યક્ષતામાં પ્રતિષ્ઠિત સંપાદકીય મંડળ દ્વારા આ સ્‍પર્ધામાં સમાવિષ્ઠ નિબંધોનું મૂલ્‍યાંકન કરવામાં આવ્‍યું હતું.
શ્રી દિવ્‍યાંશ રાજસ્‍થાનના ઉદયપુરનો વતની છે. સિદ્ધિ બદલ તેણે તેના માતા-પિતા, દાદા-દાદી અને શિક્ષકોનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

વલસાડ જિલ્લાના 88 ગામોમાં 79.44 કરોડના રસ્‍તાઓનું પ્રધાનમંત્રીશ્રીના હસ્‍તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે

vartmanpravah

દમણમાં બાલ ભવન બોર્ડ દ્વારા બાળકો માટે સમર કેમ્‍પનો શુભારંભ : આજથી 31મે, 2023 સુધી ચાલનારા સમર કેમ્‍પમાં દરરોજ બાળકોને ટ્રેકિંગ, કેક મેકિંગ, સિંગિંગ, કી-બોર્ડ પ્‍લેઈંગ, કરાટે, યોગા, ડાન્‍સ વગેરે શિખવવામાં આવશે

vartmanpravah

વાપીમાં સ્‍વાસ્‍થ્‍ય ક્ષેત્રે કાર્યરત એન.જી.ઓ. મેડીમિત્રના 5મા સ્‍થાપના દિવસની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

આયુષ્‍યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના સાથે જોડાવા માટે એક મહિનો બાકી છે

vartmanpravah

રખોલી ગ્રામ પંચાયત દ્વારા સ્‍વચ્‍છતા અભિયાન હાથ ધરાયું

vartmanpravah

સેલવાસના ડોકમરડી ખાતે બસ પલ્‍ટી મારતા પાંચ મુસાફરો ઘાયલ

vartmanpravah

Leave a Comment