August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી નગરપાલિકા દ્વારા મહાત્‍મા ગાંધીની જન્‍મ જયંતીની ઉજવણી : સ્‍વચ્‍છતા અભિયાન કાર્યક્રમનું આયોજન

નાણામંત્રી કનુભાઈ દેસાઈ સહિત અગ્રણીઓએ ગાંધીજીની પ્રતિમાને પુષ્‍પાંજલી અર્પણ કરી : ખાદીની ખરીદી કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: આજે તા.2જી ઓક્‍ટોબરે મહાત્‍મા ગાંધીજીની 155મી જન્‍મ જયંતીની ઉજવણી કાર્યક્રમ વાપી નગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં નાણામંત્રી, પાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર સહિત ભાજપના હોદ્દેદારો, નગરસેવકો ઉત્‍સાહભેર જોડાયા હતા.
રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીજીની જન્‍મ જયંતિ નિમિત્તે વાપીમાં ગાંધીજીની પ્રતિમાને પુષ્‍પાંજલી અર્પણ કરાઈ હતી. નાણામંત્રી કનુભાઈદેસાઈ વિશેષ ઉપસ્‍થિત રહ્યા હતા. વાપીના ગાંધી સર્કલ સ્‍થિત ગાંધીજી પ્રતિમાને સુતરની આંટી પહેરાવી નમન કર્યા હતા. બાદમાં ગાંધી ભંડારમાં જઈને ખાદીની ખરીદી કરી હતી. તેમજ જાહેર માર્ગો પર સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. આ પ્રસંગે નાણામંત્રીએ જણાવ્‍યું હતું કે, ગાંધીજી સ્‍વચ્‍છતાને ખાસ પ્રાધાન્‍ય આપતા હતા તે અનુસાર વડા પ્રધાન નરેન્‍દ્ર મોદીએ પણ સ્‍વચ્‍છતા અભિયાનને પ્રાધાન્‍ય આપ્‍યું છે. ગાંધી જયંતી ઉજવણીમાં પાલિકા પ્રમુખ પંકજ પટેલ, વી.આઈ.એ. પ્રમુખ સતિષ પટેલ, નોટિફાઈડ ચેરમેન હેમંત પટેલ, સી.ઓ. કોમલ ધિનૈયા સહિત નગરજનો અને શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડ જિલ્લામાં આયુષ્યમાન ભવઃ અભિયાનનો શુભારંભ કરતાં જિલ્લા પ્રમુખ અલકાબેન શાહ

vartmanpravah

વલસાડ આરપીએફ મેદાન પાસેનો બંધ કરેલો રસ્‍તો સાંસદ ધવલભાઈ પટેલએ તાત્‍કાલિક ખુલ્લો કરાવ્‍યો

vartmanpravah

‘નશામુક્‍ત ભારત’ અભિયાન અંતર્ગત સરકારી પ્રાથમિક શાળા દાભેલમાં પોસ્‍ટર બનાવવાની યોજાયેલી સ્‍પર્ધા

vartmanpravah

ધરમપુરમાં નવી વિભાગીય વીજ કચેરીનું રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ

vartmanpravah

દાનહઃ ‘સમગ્ર શિક્ષા’ અંતર્ગત ફલાંડીમાં વિશેષ શિક્ષણ શિબિર યોજાઈ

vartmanpravah

વીજળી બચાવોના પાઠ ભણાવનારા જ લાપરવાહ…આ તે કેવી માનસિકતા………. કોલસાની ઘટ વચ્‍ચે વીજળી બચાવોની વાતને ચીખલી તાલુકા સેવાસદનના કર્મચારીઓ ઘોળીને પી ગયા : ઓફિસમાં ન હોવા છતાં પંખા-લાઇટો ચાલુ

vartmanpravah

Leave a Comment