October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી કોંગ્રેસ દ્વારા રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધી અને દ્વિતિય વડા પ્રધાન લાલ બહાદુર શાષાીની જન્‍મ જયંતીની ઉજવણી કરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: વાપીમાં આજે તા.02 ઓક્‍ટોબર દેશની બે મહાન વિભુતિઓના જન્‍મ દિનની ઉજવણી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી. રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધી અને દેશના દ્વિતિય વડા પ્રધાન લાલ બહાદુર શાષાીની જન્‍મ જયંતિ કોંગ્રેસ કાર્યકરોએ આદર અને સત્‍કાર પૂર્વક કરી હતી.
વાપી ગાંધી સર્કલ પાસે કોંગ્રેસ શહેર પ્રમુખ નિમેશ વશી, વિરોધ પક્ષના નેતાખંડુભાઈ પટેલ સહિત કોંગ્રેસ કાર્યકરો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહીને ગાંધીજીની પ્રતિમાને પુષ્‍પાંજલી અર્પણ કરી ગાંધીજીના જીવનને યાદ કર્યું હતું. દિવંગત વડાપ્રધાન લાલ બહાદુર શાષાીને યાદ કરી જય જવાન જય કિશાનના કાર્યકરોએ નારા લગાવ્‍યા હતા. સાથે સાથે ગાંધીજીની હત્‍યા કરનાર નાથુરામ ગોડસે મુર્દાબાદ પણ નારા કોંગ્રેસ કાર્યકરોએ લગાવ્‍યા હતા. કોંગ્રેસના સિધ્‍ધાંતો ઉપર ચાલવાની કોંગ્રેસ અગ્રણીઓ, કાર્યકરોએ સંકલ્‍પ લીધા હતા. ફક્‍ત તા.02 ઓક્‍ટોબર પર માત્ર સિમિત નહી પણ વર્ષભર સિધ્‍ધાંતો ઉપર ચાલવાની કોંગ્રેસ કાર્યકરોએ પ્રતિબધ્‍ધતા બતાવી હતી.

Related posts

દાનહ પ્રશાસન દ્વારા ગ્રામ્‍ય વિસ્‍તારમાં ડ્રોન વડે સર્વેની કામગીરી શરૂ કરાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં આદર્શ આચારસંહિતાના અમલ સાથે 1763 પ્રચારાત્‍મક સામગ્રીઓ દૂર કરાઈ

vartmanpravah

પાકિસ્‍તાનની જેલોમાં બંધ દીવના માછીમારોને છોડાવવા પરિવારજનોએ જિલ્લા કલેક્‍ટર રાહુલ દેવ બુરાને કરેલી રજૂઆત

vartmanpravah

દાનહમાં 02 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

કુકેરીમાં લાકડા ભરવા બાબતે બે મિત્રો વચ્‍ચે થયેલી બોલાચાલીમાં એક મિત્રનું મોત

vartmanpravah

નારગોલ શ્રી નિર્મલા દેવી સહજોગ ટ્રસ્‍ટ દ્વારા સહષાારધામ નારગોલ ખાતે ભવ્‍ય પૂજાનો કાર્યક્રમ કરવામાં આવ્‍યો

vartmanpravah

Leave a Comment